________________
શાશ્વત સૈરભ ભાગ-૧
૮૧૩
હતા ત્યારે માંસ અને દારૂ બંધ કરાવવામાં ઘણા પ્રયત્ન પછી સફળ થયા હતા. ત્યાં ઘણું મોટું ફંડ એકત્રિત કરી ગરીબોમાં અન્નદાન સાથે વિકલાંગોને ટ્રાયસાઇકલો આપતા. ગામડાઓમાં નોટબુક્સ વિતરણ વારંવાર કરતા. વિજયપુર ગૌશાળામાં પ્રાણીનો શેડ અર્પણ કરવા સાથે Animal nightsમાં મોટું આર્થિક યોગદાન આપેલ.
દાનવીર-શાસનપ્રેમી ધર્માનુરાગી શ્રી એમ. આર. પારેખ સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ્ચભક્તિ અપૂર્વ આનંદથી કરતા. તેમને વારસામાં મળેલ સંસ્કાર તેમના પુત્ર શ્રી મનુભાઈ તથા શ્રીમતી સુશીલાબહેને દિપાવ્યા છે. શ્રી માણેકભાઈ તથા પત્ની ઝવેરબહેન કેટલુંય ગુપ્તદાન અને સા.ભક્તિ કરતા તો કોઈનેય ખબર ન પડતી. તેઓ સમાધિમરણ પામ્યા ત્યારે તેમના પરિવાર સાથે કેટલાય પરિવારે આધારસ્તંભ ખોયાની લાગણી અનુભવી. ગાંધીનગર સંઘને આવા દાતાની ખોટ પડી. તેમના પુત્ર-પુત્રવધૂ ધાર્મિક છે. ધર્મદપંતી આજે જીવનનો વધુ સમય પ્રભુભક્તિ, વૈયાવચ્ચભક્તિ, સા. ભક્તિમાં જનસેવા આદિ અનેક કાર્યો વ્યસ્ત રહે છે.
સાદાઈ અને નમ્રતાની મૂર્તિ સ્વ. શ્રી રતિલાલ વેલચંદભાઈ સંઘવી
બેંગ્લોર - દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્ર-ભૂમિમાં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલ વડિયા ગામમાં રહેતા ધર્માનુરાગી શ્રીયુત્ વેલચંદ ફૂલચંદ સંઘવીના ઘેર માતા પૂરીબહેનની કુક્ષિએ ઈ.સ. ૧૯૧૭ને ઓક્ટોમર માસની સત્તરમી તારીખે પુત્રનો જન્મ થયો. તેનું નામ રતિભાઈ પાડેલ.
રતિભાઈના નાનપણથી જીવન ધર્મમય લાગણીસભર હતું. ભણવાની જાગૃતિ, વિવેકપૂર્વક ગામની નજીક આવેલ શિહોરની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સમય પાણીના પ્રવાહની જેમ જતો હતો તેમ તેમની ઉંમર બાલ્યાવસ્થાથી યુવાવસ્થામાં આવવા લાગી. પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા.
તિલક સૌરભ સમાન યુવાવસ્થામાં આવ્યા પછી દરેક કાર્યમાં પ્રવીણતા મેળવી જીવન સુંદર રીતે ચાલી રહ્યું હતું. અભ્યાસ પૂર્ણ થયા પછી પોતાની ઉપર પડેલી નૈતિક જવાબદારી આવતાં તેમના આત્મબળ ઉપર પ્રગતિના શિખરો સંપન્ન કરવાના મનોબળ સાથે મક્કમ નિર્ધાર કર્યો.
લાજવાબ આપવાની એમની કુશળતા, આંખોમાં અમી સમાન એમના દાદા શ્રી મણિલાલ નેમચંદભાઈએ બેંગ્લોર બોલાવવા માટે સલાહ આપી ત્યારે લગ્નગ્રંથિથી જોડાયેલ તેમનાં ધર્મપત્ની શ્રીમતી શાંતાબહેને પોતાની કુનેહપૂર્વક સાથ આપેલ. તેમનો સ્વભાવ એકદમ પ્રેમાળ, હસમુખો હતો. તેમની કાર્ય કરવાની અલગ શૈલી હતી અને દરેકની સાથે હળીમળીને રહેવાની ભાવના સાથે તેમનું જીવન નંદનવન જેવું બનાવવું તેમની ખાસ વિશેષતા હતી. તેઓ ગુપ્તદાન, જીવદયા, સાધર્મિક ભક્તિ કરતાં. કોઈને ખબર ન પડતી. આવા વિવેકી સ્વભાવથી રતિભાઈને ઘણો સાથ આપ્યો ને બેંગ્લોર જવા માટે હિંમત આપી ત્યારે બેંગ્લોરમાં આવ્યા.
લલાટે આપના જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાયાં જ હશે ત્યારે જીવનની શરૂઆત તેમના દાદાશ્રી મણિભાઈ નેમચંદને ત્યાં તેમની જ પેઢીમાં રહી ખંતપૂર્વક સર્વિસ કરી. જેમ ધંધાનો અનુભવ થતો ગયો તેમ પોતાના હુન્નર, કળા, પ્રવીણતાની સાથે બેંગ્લોર ખાતે નાના પાયા ઉપર પોતાનો સાયકલનો ધંધો શરૂ કરેલ. ત્યારપછી પ્રિસિડન્સી સાયકલ ઇમ્પોટિંગ કંપની નામથી પેઢી શરૂ કરી. કાર્યમાં મશગૂલ રહી પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા.
વેલચંદભાઈએ તેમના પિતાનું નામ રોશન કરવા અને માતા પૂરીબહેનનું કુળ દિપાવવા પોતે પૂરેપૂરો પુરુષાર્થ કર્યો હતો. સાથે સાથે તેમનાં ધર્મપત્ની શાંતાબહેનને સુંદર સહકાર, સહયોગ આપી પ્રગતિ સિદ્ધ કરી તેમનું નિયમ મુજબ જીવન સાર્થક કરવા પોતે સજાગ રહેતા. સમાજના કોઈપણ કાર્ય જેવાં કે સારાં કે નરસાં હોય તો તે પ્રથમ આવી પહોંચતા. કાર્યમાં સંયોગ આપતા. આ તેમની ખાસ આ વિશેષતા હતી.
લઘુતામાં પ્રભુતાનો વાસ છે. એ સૂત્ર તેમના જીવનમાં વણી લીધું હતું. તેઓ કોઈ પણ ઋતુ હોય. શિયાળાની કડકડતી ઠંડી હોય કે પછી ઉનાળાના ધમધમતો તાપ હોય કે પછી ધોધમાર વરસાદ હોય તો પણ તેમના સમયમાં કદી ફેરફાર ન થાય. તેઓ આજીવન શ્રી મહાવીર સ્વામી જૈન મંદિરમાં સવારે
Jain Education Intemational
Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org