SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ o૫૯ અમદાવાદ ખાતે નિવાસ કરી પૂજા, ભાવના, પૂજન અને મહોત્સવોમાં સંગીતકાર તરીકે સેવા આપે છે. તેમનું સંગીતનું કાર્યક્ષેત્ર વિશેષ અમદાવાદ રહ્યું છે. સરનામું : ફોન : ૦૭૯-૨૭૬૬૦૩૬૬. ડી–૨/૬ આવાસ હાઉસિંગ સોસાયટી (ફ્લેટ્સ) નંદબંગ્લોઝની બાજુમાં, ઘાટલોડિયા, પાવાપુરી સોસાયટી પાસે, અમદાવાદ. સ્વ. શ્રી ભરત ઠાકુર એન્ડ પાર્ટી વતન : પાટણ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂજા–ભાવના અને મહોત્સવોના કાર્યક્રમોમાં જૈન સંગીતકાર તરીકે સેવા આપી છે. જિનભક્તિસંગીતક્ષેત્રે પ્રગતિ માટે પ્રયત્નશીલ હતા. આપબળે શ્રદ્ધાથી ભક્તિસંગીતના કાર્યક્રમો આપ્યા છે. સંગીતકાર સ્વ. હસમુખ દિવાન પાસેથી પ્રેરણા લઈ સંગીતની કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રયત્નપૂર્વક આગળ વધી રહ્યા છે. તેઓ તાજેતરમાં આવસાન પામ્યા. સરનામું : ફોન : ૯૯૦૯૨૧૭૪૫૬ વાગોળનો પાડો, મદારસા, પાટણ (ઉ. ગુજરાત) પીન : ૩૮૪ ૨૬૬ શ્રી પરેશકુમાર વી. નાયક શ્રી પરેશભાઈ અમદાવાદના જૈફવયના સંગીતકાર શ્રી વાસુદેવભાઈના પુત્ર છે. સંગીતનો શોખ અને જન્મદત્ત સંગીતના સંસ્કારોએ સંગીતકાર બનવાની પ્રેરણા આપી. શ્રી પરેશભાઈ પૂજા, ભાવના, અંજનશલાકા મહોત્સવોમાં સંગીતકાર તરીકે સેવા આપે છે. અમદાવાદ શહેરમાં સંગીતકાર તરીકે જાણીતા છે. સરનામું : ૦૭૯-૨૭૪૭૫૩૬૬ ૧૧, નરસિંહ પાર્ક, વિજયનગર, નારણપુરા અમદાવાદ. શ્રી વિજયકુમાર ડાહ્યાલાલ ભોજક વતન : કડી નિવાસ : અમદાવાદ શ્રી વિજયભાઈ જૈન સંગીતકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ આત્મબળે કરી રહ્યા છે. પોતાના પિતા અને દાદા પાસેથી સંગીતના સંસ્કારો મળ્યા છે. પૂજા, ભાવના, પૂજનોમાં જિનભક્તિસંગીતના કાર્યક્રમો આપે છે. સંગીતની તાલીમ લઈ વિકાસના પંથે આગેકૂચ કરવા પ્રયત્નશીલ છે. | જૈન ધર્મમાં સદીઓથી સંગીતને ખાસ મહત્વ આપવામાં આવે છે. પાલિતાણામાં એક પ્રસંગે સાંગીતિક રજૂઆત Iકરતા જૂની પેઢીના ખ્યાતનામ સંગીતકાર બારોટ નંદલાલ લ્યાણતા કલાકાર વાસદાસે શેત્રુંજય મહાતીર્થના સંગીતકારો શેત્રુંજય ધામમાં દેરાસરોમાં બારોટ સમાજ (બ્રહ્મભટ્ટ સમાજ)ના ભાઈઓ ઘણાં વર્ષોથી હૃદયપૂર્વક જિનભક્તિ કરે છે. પૂજા, ભાવના, પૂજન, દાંડિયારાસ અને અંજનશલાકામહોત્સવોમાં જિનભક્તિ દ્વારા સંગીતકાર તરીકે સેવા આપે છે. જિનશાસનના સૌથી મોટા આ તીર્થધામમાં અને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં તેમનું જિનભક્તિસંગીત પ્રસિદ્ધિ પામ્યું છે. ઘણાં વર્ષો પૂર્વે શેત્રુંજય પર્વત પર અગાઉની પાંચ પેઢીથી શ્રી નંદલાલભાઈ કલ્યાણજીભાઈ બારોટ શેત્રુંજય પર્વત ઉપર દેરાસરમાં સંગીતકાર તરીકે સેવા આપતા હતા. એકવાર પાલિતાણાના બાબુ દેરાસરના ટ્રસ્ટીઓ ત્યાં આવ્યા અને તેમણે શ્રી નંદલાલભાઈની સંગીતસેવાઓથી પ્રભાવિત થઈ, બાબુ દેરાસરમાં સંગીતકાર તરીકે સેવા માટે ઓફર કરી. શ્રી નંદલાલભાઈએ બાબુ દેરાસરમાં ઘણાં વર્ષો સુધી જિનભક્તિ કરી. શ્રી નંદલાલભાઈના પુત્રો શ્રી દલપતભાઈ અને શ્રી કાંતિલાલભાઈએ પણ પિતાજીનો સંગીતનો વારસો જાળવી રાખ્યો છે. શ્રી દલપતભાઈ પૂજા, ભાવના, જિનભક્તિસંગીતના કાર્યક્રમો આપે છે અને જિનભક્તિ સંગીત માટે જાણીતા છે અને સંગીતકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના ભાઈ સ્વ. મનુભાઈ અને સ્વ. મંગુભાઈ સંગીતકાર તરીકે સેવાઓ આપતા હતા. | શ્રી નંદલાલભાઈ અને શ્રી કાંતિલાલભાઈના જિનભક્તિ સંગીતના સંસ્કારો તેમના સુપુત્ર સંજયભાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy