SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આપે છે. ભોયણીતીર્થ ખાતે નિષ્ઠાપૂર્વક મલ્લિનાથદાદાની ભક્તિ કરે છે. ભોયણી (તીર્થ) તા. વિરમગામ, જિ. અમદાવાદ. શ્રી મૂકેશભાઈ કે. નાયક જન્મભૂમિ પાટણ ખાતે આઠ વર્ષની નાની વયે સંગીતના શોખને લીધે, સંગીતક્ષેત્રે પ્રવેશ કર્યો. ભક્તિસંગીત માટે પ્રસિદ્ધ સંગીતકાર બળવંત ઠાકુર પાસેથી પ્રેરણા મળી. તેઓ બુલંદ અવાજ ધરાવે છે. પૂજા–ભાવના મહાપૂજન અને મહોત્સવોમાં સુંદર ભક્તિસંગીત દ્વારા પ્રસિદ્ધિ પામ્યા છે. છ'રીપાલિત સંઘોમાં તેમના સંગીતમાં અર્વાચીન અને લોકસંગીતનો વિશેષ પ્રભાવ છે. નવીન ભક્તિરચનાઓ દ્વારા જિનભક્તિસંગીતક્ષેત્રે સફળ આગેકૂચ કરી રહ્યા છે. ઠે. બડવાવાડો, પાટણ શ્રી જયેન્દ્રભાઈ કે. નાયક અમદાવાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી, શિક્ષણક્ષેત્રે સ્થિર થયા છે. તેમના મોટા બાપુજી હવેલીસંગીતજ્ઞ શ્રી કાંતિભાઈ પાસેથી સંગીતની પ્રેરણા મળી. તેમણે સંગીતની તાલીમ આપી. શ્રી જયેન્દ્રભાઈ છેલ્લાં ૨૫ વર્ષથી અમદાવાદ ખાતે પોતાના શિક્ષકના વ્યવસાય સાથે જૈન સંગીતકાર તરીકે પણ સેવાઓ આપે છે. તેઓ ‘અંતરાયકર્મની પૂજા'ના સ્પેશ્યાલિસ્ટ તરીકે ખ્યાતિ પામ્યા છે. શ્રી મનોજભાઈ કે. નાયક ચારૂપ તીર્થ ખાતે પ.પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ઓમકારસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયેલ કાર્યક્રમમાંથી શ્રી મનોજભાઈને જિનભક્તિની પ્રેરણા મળી. છેલ્લાં કેટલાંક વર્ષથી જૈન સંગીતકાર તરીકે પૂજા-ભાવના–મહોત્સવોના કાર્યક્રમોમાં સેવા આપી રહ્યા છે. જીવદયા માટે ભજન-ભક્તિ સંગીતના કાર્યક્રમોમાં માનટ્સેવા આપી, જીવદયાનું પુનિતકાર્ય કરે છે. જિનભક્તિ સંગીતક્ષેત્રે યશસ્વી કારકિર્દી માટે ખૂબ પ્રયત્નશીલ છે. સરનામું : બડવાવાડો, પાટણ. પીન-૩૮૪૨૬૫. શ્રી પ્રદીપભાઈ અંબાલાલ ઠાકુર શ્રી પ્રદીપભાઈને સંગીતના સંસ્કારો વારસામાં મળેલા છે. કારકિર્દીનો પ્રારંભ વાહનવ્યવહાર વિભાગમાંથી કર્યો. સંગીતના શોખને લીધે તેમણે નોકરી છોડી સંગીતકાર તરીકે સેવા આપવા વિચાર્યું. હાલ શંખેશ્વર ખાતે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનમંદિરમાં સંગીતકાર તરીકે સેવા આપે છે. સૂરીલા અવાજવાળા શ્રી પ્રદીપભાઈ શાસ્ત્રીય સંગીતનું પણ જ્ઞાન ધરાવે છે. પ્રદીપભાઈ પ્રસિદ્ધ સંગીતકાર શ્રી બળવંત ઠાકુરના મોટાભાઈ છે. પૂજા, Jain Education International ધન્ય ધરા ભાવના, પૂજન અને અંજનશલાકામહોત્સવોમાં શ્રી બળવંતભાઈ સાથે પણ સંગીતની સેવા આપે છે. Ph:૦૨૭૩૩-૨૭૩૭૩૯. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર જિ. પાટણ શ્રી રાજેશ ગુણવંતલાલ ભોજક(ઠાકુર) વતન : કડી હાલ : ભોયણી તીર્થ. મલ્લિનાથદાદાના ભોયણીતીર્થમાં પોતાના પિતાશ્રી સાથે સંગીતકાર તરીકે સેવા આપે છે. પરિવારના આનુવંશિક સંગીતના સંસ્કારો પ્રાપ્ત થયા છે. તે તારસપ્તકનો પ્રકાશિત સ્વર ધરાવે છે. પૂજા ભાવના-પૂજન અને મહોત્સવોમાં લોકભોગ્ય સંગીતનું જ્ઞાન ધરાવે છે. તેમની સ્તવનોની ઓડિયો કેસેટ તેમજ સીડી ઉપલબ્ધ છે. ચુંવાળ પંથકમાં લોકપ્રિય સંગીતકાર તરીકે ચાહના મેળવી છે. જિનભક્તિસંગીતક્ષેત્રે તેમની વિકાસયાત્રા ચાલુ છે. સરનામું : ભોંયણી (તીર્થ) તા. વિરમગામ શ્રી હસમુખલાલ રમણિકલાલ ઠાકુર વતન : રાધનપુર કર્મભૂમિ : ગોતરકા. શંખેશ્વર મહાતીર્થ ખાતે આજીવન આપનાર પરમાત્મભક્તિ કરી, સંનિષ્ઠ સેવા સંગીતકાર પિતાશ્રી રમણિકભાઈ તથા મોટાભાઈ દિલીપભાઈ પાસેથી સંગીતના સંસ્કારો મળ્યા. શ્રી હસમુખભાઈ પાટણ જિલ્લાના ગોતરકા ખાતે હાઇસ્કૂલમાં ક્લાર્ક તરીકે સેવા આપે છે. ક્લાર્ક તરીકેની સેવાઓ સાથે પૂજા, ભાવના, પૂજનો અને મહોત્સવોમાં જિનેશ્વર ભક્તિના કાર્યક્રમો આપે છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેમની સંગીતકાર તરીકેની સેવાઓ યશસ્વી રહી છે. સરનામું ઃ ફોન : ૯૮૨૫૩૩૨૩૧૯. ગોતરકા ઠે. હાઇસ્કૂલ જિ. પાટણ. ૨. પાર્શ્વનાથ સોસાયટી, શંખેશ્વર પીન : ૩૮૪૨૪૬ શ્રી પ્રમોદકુમાર રમણિકલાલ ભોજક વતન : શંખેશ્વર હાલ : અમદાવાદ શ્રી પ્રમોદભાઈને સંગીતના સંસ્કારો પિતાજી સંગીતકાર રમણિકભાઈ તથા મોટાભાઈ દિલીપભાઈ પાસેથી મળ્યા. બુલંદ–પહાડી અવાજ ધરાવે છે. તબલાંવાદનના પણ જાણકાર છે. હાલ-ગાંધીનગર ખાતે પશુપાલન નિયામકની કચેરીમાં હિસાબનીશ તરીકે સેવા આપે છે. પોતાની સરકારી નોકરી સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy