________________
૦૫૦
ધન્ય ધરાઃ
પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસોએ રાતે પણ ભાવનાઓમાં સંગીતના સથવારે નૃત્ય, ગરબા, રાસ સાથે ગવાતાં ગીતોના કારણે ભક્તિનો અનન્ય માહોલ જામે છે. રાવણ-મંદોદરીનો અષ્ટાપદનો પ્રસંગ નૃત્ય-ગીત-વાજિંત્ર ભક્તિનો એક અનોખો ઐતિહાસિક પ્રસંગ છે, જે જાણવા-માણવા જેવો છે. ઉદાયન રાજા અને તેમની પ્રભાવતી રાણી પણ રોજ પ્રભુ આગળ કલાકો સુધી આ રીતે ગીત-વાજિંત્ર
નૃત્ય ભક્તિ કરતાં. આજે પણ સેંકડો સંગીતકારો, પાલિતાણાના કોઈ જિનાલયમાં કોઈ પૂણ્ય અવસરે મત
નૃત્યકારો જૈન દેરાસરોમાં ભક્તિસંગીત પીરસી સતત મૂકીને કોઈ ધાર્મિક વિધિને રસમય બતાવતા સંગીત કલાવી સંજયભાઈ કાંતિલાલ બારોટ
ઉત્સવ–આનંદનો માહોલ સર્જે છે. પરમાત્માનું સાકાર ધ્યાન સિદ્ધસ્વરૂપના નિરાલંબન ધ્યાન માટે અગત્યનું છે. વીતરાગતા અને કરુણાની સાક્ષાત્ પ્રતિકૃતિ સમાન જિનપ્રતિમાઓ આંગીરચના વિના પણ ચિત્તને આકર્ષે છે, સ્થિર કરે છે, શાંત કરે છે.
પરમાત્માની દ્રવ્યપૂજામાં શિરમોર સ્થાને છે આંગી. પરમાત્માના ભક્તશ્રાવકો શ્રેષ્ઠતમ દ્રવ્યોથી પ્રભુના અંગે સજાવટ, ગભારો સજાવટ વગેરે કરે, એ આંગી કહેવાય. તેઓ પરમાત્માને ત્રણ લોકના નાથ માને છે. પ્રભુન મંદિરને પ્રભુના દરબારસમ લેખે છે. જગતનું ઉત્તમ દ્રવ્ય જગતના સૌથી શ્રેષ્ઠ મહાપુરુષની આંગીમાં ધરી તેઓ પ્રભુની અનન્ય કરુણા-પ્રભુના અનન્ય ઉપકારની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરે છે. એ નિમિત્તને પામી પરમાત્માની સાથે એકાકાર થવાના સફળ પ્રયાસ આદરે છે. કુમારપાળ જેવા રાજાઓ અને પેથડશા જેવા મંત્રીઓ આ રીતે આંગીરચના નિમિત્તે કલાકો સુધી પરમાત્મમય બની જતા. એ આંગીરચના જોનારને પણ એ નિમિત્તે પ્રભુદર્શનનું અલબેલું આકર્ષણ જાગે છે ને એવી લાખેણી આંગી વચ્ચે પણ પ્રભુની નિર્લેપતા–વીતરાગતાને નિહાળી ધન્ય બનેલા તેઓ પછી સંસારનાં લોભામણાં આકર્ષણોની સામે સ્વસ્થ ભાવે ટકી શકે છે. વર્તમાનકાળે પણ નાનાં બાળકોથી માંડી વૃદ્ધો સુધીના ઘણા-ઘણા શ્રાવકો પોતે અને કલાવિદો-તજજ્ઞો દ્વારા પ્રતિદિન પ્રભુની એવી વિશિષ્ટ અંગરચનાઓ થતી હોય છે કે જોનારાં ઘડીભર થંભી જાય છે. મન સોળે કળાએ ખીલી ઊઠે. આત્મા નિજાનંદમાં સરી પડે
આ સૌ કલાવિદો અને સંગીતજ્ઞોનો પરિચય કરાવનાર શ્રી નવીનચંદ્ર રમણિકલાલ ભોજક, B.A, B.Ed., S.K. Ratna Medalist-સંગીત પ્રથમ પૂર્ણ, નિવૃત્ત પ્રિન્સિપાલ, શેઠ એ. એન. કુમકુમ મંગલ મંદિર વિદ્યાલય, ઉણ–તા. કાંકરેજ, બનાસકાંઠા, હાલ. ૨-પાર્શ્વનાથ સોસાયટી, પેટ્રોલપંપ પાછળ, શંખેશ્વર પીન-૩૮૪ ૨૪૬ જિ. પાટણ ફોન : ૦૨૭૩૩-૨૭૩૫૨૮ મો. ૯૪૨૭૪૮૮૩૬૨.
-શ્રેષ્ઠ શિક્ષક-રાષ્ટ્રીય (રાષ્ટ્રપતિ) એવોર્ડ-૧૯૯૬ વિજેતા. - શ્રેષ્ઠ શિક્ષક–રાજ્ય એવોર્ડ વિજેતા-૧૯૯૩ - સભ્ય, જિલ્લા સાક્ષરતા સમિતિ, બનાસકાંઠા. ટ્રસ્ટી, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગ્રામવિકાસ ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય, શંખેશ્વર. મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ઉણ વિભાગ કેળવણી મંડળ (ઉ. માધ્ય. વિદ્યાલય) મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી ગ્રામવિકાસ ટ્રસ્ટ, ઉણ (બનાસકાંઠા), સભ્ય, ગવર્નિગ બોડીશ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શંખેશ્વર. પરિચયકર્તાએ ઘણી જહેમત લીધી છે. ધન્યવાદ.
-સંપાદક.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org