________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જૈન
સંગીતકાશેઃ આંગી રચનાના લજ્ઞો: ચક્ષુ-ટીકાના કલાવિદો
—નવીનચંદ્ર રમણિકલાલ ભોજક
પ્રભુભક્તિમાં ગીત, નૃત્ય, વાજિંત્રનાદને પણ વિશેષ સ્થાન અપાયું છે. પૂજાઓ, પૂજનોમાં તો ભક્તિરસના ઝબ્બર ઉછાળા સંગીતકારોએ પીરસેલાં પરમાત્મભક્તિનાં સંગીતમય ગીતોના કારણે જ વિશેષ આવે છે.
પ્રત્યેક માનવીમાં સૌંદર્યને પરખવાની–પામવાની વૃત્તિ રહેલી હોય છે. પછી તે ગુફાવાસી માનવ હોય કે આધુનિક માનવ હોય. ઝીણી ઝીણી બાબતો વધુ સુંદર-વધુ સરસ કેમ લાગે તેની દૃષ્ટિ પ્રત્યેક માનવી ધરાવતો હોય છે, એટલે તો કહેવાયું છે કે કળા વ્યક્તિજન્ય વસ્તુ નથી, સમૂહચેતનામાં પ્રગટતી બાબત છે. પ્રાચીન ભક્તિગીતો, ભજનો, પ્રાસંગિક ગીતો, કેટકેટલી કથા-વારતાઓના રચિયતા કોઈ એક વ્યક્તિ નથી; ગુફામાં દોરેલાં ચિત્રો કે અજંટા-ઇલોરાના કલાકારનાં નામો મળતાં નથી; ભરત-ગૂંથણની ભાતો કોઈ એક વ્યક્તિએ નક્કી કરી નથી. એ બધું સામૂહિક રીતે ક્રમે ક્રમે પરંપરાગત વિકસતું જતું હોય છે. હા, એનું જતન કરવું, જાળવવું એ જે-તે પ્રજાની નૈતિક ફરજ બની રહે છે. પ્રજાની સાચી સંસ્કૃતિ એની વિશિષ્ટ કળામાં સચવાઈ રહી હોય છે. એનું પ્રજાને ભાન કરાવવું એ સંસ્કૃત માણસની ફરજ છે. એવી ફરજના ભાગરૂપે કેટકેટલાં કલાકારો પેઢીદર પેઢીથી પ્રવૃત્ત રહે છે.
આ કળા વિવિધ ક્ષેત્રે પ્રસરેલી છે, જેમાં સંગીત–ગાયન-વાદન, નર્તન-નાટક, કથન-મંચન, ભરત-ગૂંથણચિત્ર, માટી–કાષ્ઠાદિ શિલ્પકામ, આંગીરચના, ચક્ષુ-ટીકા અને એવી તો અનેક ઝીણી ઝીણી બાબતો છે કે જે રોજિંદા વપરાશની વસ્તુને સુંદ૨રૂપે રજૂ કરે છે. સમૂહ માધ્યમોની ભરમાર વધતી ચાલી ત્યારે એમ થતું હતું કે આ કળાઓ વિલુપ્ત થઈ જશે. છાપેલો શબ્દ બોલતા શબ્દને દબાવી દેશે, રેડિયો અને દૂરદર્શન કેટલીક કળાને રૂંધી નાખશે, પણ આ કળા આકાશમાંથી વરસતાં નિર્મળ પાણી જેવી ફર્સ્ટ હેન્ડ આર્ટ છે. અન્ય માધ્યમો કરતાં એ કલાકારના દિમાગમાંથી સ્વયંભૂ પ્રગટ થાય છે અને શ્રોતાઓને સીધી અપીલ કરે છે, એટલે એના કસબી કલાકારો જીવશે ત્યાં સુધી આ તેજસ્વી કળા પણ જીવશે અને અમર રહેશે.
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org