________________
૪૬
ગરબાની દેશી-ઢાળ-ગુજરાતમાં લોકપ્રિય છે જેનો ઉપયોગ અમૃત વિજયજી, રામચંદ્રજી-રામવિજયજીચતુરવિજયજી, જિનહર્ષ, માન સાગરજીએ કરેલ છે. ગરબાની શૈલીમાં આપણા બારમાસી ગીતોનો પણ ઉપયોગ થયો છે.
“કપૂર હુઈ અતિ ઊજલું રે” કેદાર ગોડી રાગમાં સમયસુંદરજીએ સંવત ૧૬૫૯ (સને ૧૬૫૩)માં લખ્યું તે પછી તે ઢાળ-દેશીનો ઉપયોગ ગંગદાસ-દર્શનવિજય-માનસાગરજી-બિહર્ષજીમોહન વિજયજીએ અપનાવેલો.
J©
જયવંતસૂરિજીએ સંવત ૧૬૧૪માં લખેલું, જેના પછી સમપ્રમોદ-સમયસુંદર–રાજસિંહ-સૂમતારો-યશોવિજયજીવિનયવિજયજી, જ્ઞાનવિમલજી, ખીમમુનિ, પદ્મવિજયજી અને ધીર વિજયજીએ છેક સં. ૧૯૦૨માં તેનો ઉપયોગ કર્યો. આમ ત્રણસોથી ચારસો વર્ષ સુધી કેટલીક દેશીઓમાં જૈનાચાર્યોએ પદો લખ્યાં. નરસિંહ મહેતા સોળમી સદીના પૂર્વાર્ધમાં થયા. પાંચ સો વર્ષ બાદ પણ એમનાં પદ આપણે ગાઈએ છીએ પણ એમના પદોના ઢાળ પરથી અન્ય કવિઓએ કેટલાં ગીતો લખ્યાં? જૈન સમાજ જેવી પરંપરા જળવાઈ નહીં. એ તો જગપ્રસિદ્ધ વાત છે કે નરસિંહ પૂર્વે પણ જૈન પ્રાકૃત ગુજરાતી કાવ્યો લખાયાં છે ને તેના ઢાળો પણ પરંપરારૂપે જૈનો પાસેથી આપણને મળ્યા છે જે ગુજરાતનું સંગીત ધન છે.
TH
જૈન અને અન્ય દેશીના અભ્યાસનું
મહત્વ
કાવ્યને કંઠોપકંઠ જાળવવાની પરંપરાના સમયમાં છંદો પછી નવીન રીતે ગવાતા ઢાળના પદ સૌ પ્રથમ કોણે ગાયા FTA એનો અભ્યાસ સંગીત અને કાવ્યનો અભ્યાસ કરનાર માટે એક નવીન દિશા ખોલી આપે છે, જેમકે ન્હાનાલાલનું “મારાં નેયોની ઓળસ રે' તે કાવ્યની ઉપર આશ્રમ ભજનાવલીમાં “શીખ 'સાસુજી દે છે રે” એ ઢાળ એવો નિર્દેશ છે. આથી આપણે સમજીએ છીએ કે દયારામે ‘શીખ સાસુજીને દે છે રે' લખ્યું છે તેથી તેમનો સમય ન્હાનાલાલ પૂર્વે છે. આ તો આપણી જાણની વાત છે. દેશીનો રચના સમય ક્યો છે ?
જૈ-તે'દેશીનો નિર્દેશ સૌ પ્રથમ ક્યારે થયો છે તે જાણવાથી ઐતિહાસિક માહિતી પર પ્રકાશ પડી શકે છે. (દા.ત. થોભણ અને વલ્લભટ્ટની કૃતિઓના રચના સમય વહેલા હોવાનું
સૂચન એમની પંક્તિ દેશી તરીકે ઉદ્ધૃત થયાના સમયને
આધારે સાંપડે છે.)
Jain Education International
ધન્ય ધરા
આમાં ચોક્કસાઈ જરૂરી છે ઉલ્લેખાયેલી પંક્તિ મૂળ બે કવિને નામે મળતી હોય ને પંક્તિનો દેશી તરીકે નિર્દેશ એના મૂળ રચના સમયથી વહેલો મળતો હોય એવા દાખલા પણ ક્વચિત મળે છે ને આમાં સંશોધનને અવકાશ છે એમ સમજાય છે. છતાં એકંદરે દેશી નિર્દેશના સમય પર આધાર રાખવામાં કાંઈ ખોટું નથી (જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮, જે જૈન દેશીઓના’ સંગ્રહનું પુસ્તક છે.) તેના સંપાદકશ્રી જયંત કોઠારીએ ઉપર મુજબ નિર્દેશ કર્યો. ખરેખર ‘જૈન દેશી'નો અભ્યાસ સાહિત્ય અને સંગીત બંને ક્ષેત્રના ઇતિહાસ પર નવી રીતે પ્રકાશ ફેંકી શકે તેમ છે. એમ છતાં તેનું એક ભયસ્થાન પણ છે તે એક પાછલા કાળના કોઈ ગાયકે કાવ્ય પર બીજો ઢાળ લખ્યો હોય તો લખાયેલા પુસ્તકની સાલ નક્કી ન થાય. સંગીતમાં એક જ સરખા છંદમાં લખાયેલ કાવ્ય એકથી વધારે ઢાળમાં ગાઈ શકાય છે. આમ છતાં જૂના સમયમાં અત્યારે છે તેવું ઢાળોનું વૈવિધ્ય ઓછું હતું તેથી લોકપ્રિય ઢાળને સર્વત્ર ખૂબ આવકાર મળતો. આથી જૂના ઢાળો કાળનિર્ણય કરવામાં વિશ્વસનીય અને ખૂબ જ ઉપયોગી છે.
રાગસંગીત અને જૈનસમાજ
જૈન સમાજમાં ‘દેશી’ માટે જે અભિરુચિ છે તેટલી રાગ સંગીત માટે નથી. સંપ્રદાયોમાં જ્યાં જ્યાં સંગીત પ્રયોજાયું છે ત્યાં ભક્તિ, ગુણાનુવાદ, પ્રાર્થના જેવા પ્રકારનાં ગીતોનું પ્રાધાન્ય છે. આપણે ત્યાં પુષ્ટિ સંપ્રદાય પ્રચાર પામતાં ઉત્તર હિન્દુસ્તાની રાગોનું ચલનવિશેષ પરિચયમાં આવ્યું. છ રાગ ને છત્રીસ રાગિણીના પરિઘમાં જે વખતે સંગીત હતું ત્યારે અષ્ટછાપ સંગીતજ્ઞોએ કીર્તન ને રાગસંગીતનું ચલન ગુજરાતમાં પ્રસ્થાપિત કર્યું હતું.
નરસિંહ મહેતાને કેન્દ્રમાં રાખી રાગ સંગીતમાં ક્યા રાગો પ્રચારમાં હતા તે જોઈએ. કે.કા. શાસ્ત્રીએ તેમના ‘ભક્તિસંગીત અને શાસ્ત્રીય સંગીત' વિષેના લેખમાં નરસિંહ મહેતાએ અને ભાલણે શાસ્ત્રીય રાગોનો ઉપયોગ કર્યો છે, બંને ગાયક પણ હતા તેવું લખ્યું છે.
નરસિંહના રાગો (ચોવીસ)
૧. કેદાર
૫. સોરઠ
૯. સામેરી
For Private & Personal Use Only
૨. મલ્હાર
૬. કાલેરો ૧૦. આસાવરી
૪. રામગ્રી
૩. સિંધુ ૭. બિભાસ ૮. પંચમ ૧૧. પ્રભાતી ૧૨ બેહાગ
www.jainelibrary.org