SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ રાજશેખર બંને ભાષાનો સમાદર કરતા હતા. એ સમયમાં પણ એવું મનાતું કે “પાણિની આદિથી શીખવવામાં આવેલી હોવાથી જેમ સંસ્કૃત ભાષા ઉત્તમ ગણાય છે તેમ વાલ્મીકે વ્યાકરણ બનાવેલ હોવાથી પ્રાકૃત પણ ઉત્તમ છે.'' આ ઉલ્લેખ ‘શંભુરહસ્ય’ નામના જૈનેતર ગ્રંથમાંથી છે. જૈનોનું પ્રદાન વિક્રમની-પાંચમી શતાબ્દીથી આજ સુધી મુખ્ય મુખ્ય ભારતીય ભાષાઓને સાહિત્ય દ્વારા જીવિત રાખવાનું શ્રેય જૈન આચાર્યોને છે. પ્રાકૃત ભાષાઓને ધર્મપ્રચારનું વાહન બનાવી તેને સાહિત્યનું રૂપ જૈન આચાર્યોએ આપ્યું. આ ભાષામાં નવા છંદો ઉદ્ભવેલ છે. અપભ્રંશમાં અસંખ્ય નવા છંદો છે. તેમાં અક્ષરમેળ છંદો વપરાયા માત્રામેળ છંદો કે જે વૈદિક કવિતામાં જોવામાં આવે છે તે નહીં. પ્રાસબંધ છંદ તો પ્રાકુભવિ તથા પ્રાસાનુબંધ છંદ પહેલી વખત જ અપભ્રંશમાં મળે છે. આ છંદગાન સાહિત્યને ગેયરૂપ આપે છે. જૈન આચાર્યોએ વાર્તાઓ દ્વારા વિવિધ રાસો રચ્યા છે. આરંભમાં તે ટૂંકા ને સમૂહમાં નૃત્ય તથા ગીત સાથે થઈ શકે તેવા હતા. વખત જતાં તેમાં લંબાઈ વધતી ગઈ અને શ્રાવ્ય બની ગયા તેમ છતાં તેનું ગેય સ્વરૂપ તો રહ્યું જ. અહીં એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે જૈન સમાજને સંસ્કૃત ભાષા માટે અનાદર ન હતો. જૈન વિદ્વાનો સંસ્કૃત ભાષાને સ્વીકારતા એટલું જ નહીં પણ હેમચંદ્રાચાર્યજીનું સંસ્કૃત વ્યાકરણ તો આજે સમગ્ર સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં આદર પામ્યું છે. રાસાઓ તથા છંદો દ્વારા સંગીત આપણે જાણીએ છીએ કે છંદોના પ્રકાર મુજબ તે જુદી જુદી રીતે ગવાય છે. બે પંક્તિનો દુહો તથા ચારથી છ પંક્તિના છંદગાન ખૂબ સહેલા અને નિશ્ચિત સ્વરૂપનાં હોવાથી ગાવામાં સરળ છે. રાસામાં વિષય બદલાય ત્યારે દુહો કે છંદ લખાય છે. તે જ પદ્ધતિથી ઘણી જૈન પૂજાઓમાં પ્રથમ દુહો કે છંદ ગવાય પછી ગીતની જેમ પૂજા ગવાય છે જે આજ સુધી પ્રચારમાં છે. રાસામાં રજૂ થયેલી ગેય સ્વરૂપની વાર્તાઓ જેમ કે ‘નેમ-રાજુલ’ની વાત. એવા ઘણા પ્રસંગો ગેય રીતે જૈનસમાજ માણે છે. આપણે ત્યાં ભારતભરમાં ભક્તિપદોનો પ્રચ! જયદેવની અષ્ટપદીઓ લોકપ્રિય થઈ ત્યારથી અવિરત ચાલુ છે. Jain Education International tort ઢાળોનો ઉપયોગ : 'દેશી' ઘણા ગીતોને મથાળે એ ગીત કયા ઢાળમાં ગવાશે તેની નોંધ હોય છે. ‘આશ્રમ ભજનાવલી'માં ન્હાનાલાલનું “મારા નયણાની આળસ રે'' ભક્તિ ગીત છે તેના પર “શીખ સાસુજી દે છે રે” એ ઢાળ એમ લખેલું છે. એ જ ઢાળનું જૈનપદ “મનમંદિર આવોને કહું એક વાતલડી'' જવિજયજીનું પણ છે. જેના પર બીજા જ કોઈ ગીતની પંક્તિ લખી છે અને પછી એ ઢાળ'ને બદલે ‘એ દેશી' લખેલું છે. ‘દેશી' એટલે નિશ્ચિત ઢાળમાં ગવાતાં વિવિધ ગીતો. જૈનેતર સમાજ કરતાં આપણી પરંપરાગત સંગીતની આ દેશીઓનું સંરક્ષણ જૈન સમાજમાં ખૂબ જ થયું છે. થોડાં ઉદાહરણ જોઈએ. ૧. સીખ સાસુજી દે છે ૨ે રહો વહુજી ઢંગે-દયારામ ૨. મનમંદિર આવોને કહું એક વાતલડી-શુભવીર ૧. માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે રે-દયારામ ૨. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે ૩. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે-વિનયવિજયજી. આ ગીતો જ્યારે લખાય ત્યારે તેના ઢાળનો નિર્દેશ કરવા ‘એ દેશી’ એવી નોંધ કરવામાં આવે છે. આવી બે હજારથી વધુ દેશી’ઓનો સંગ્રહ મોહનલાલ દલીચંદ શાહે તેમના “જૈન ગુર્જર કવિઓ''ની નવી આવૃત્તિના આઠમા ભાગમાં છાપી છે. આમાની સેંકડો ‘દેશી’ઓ ગુજરાતી સમાજ ભૂલી ગયો છે એક દાખલો લઈએ. “નંદ કુંવર કેડે પડ્યો કેમ કહિયે, હારે કેમ કહિયે રે...’ નરસિંહ મહેતા “તિરથની આશાતના ક્યમ કરીએ, હાંરે ક્યમ કરીએ રે..... જૈનપદ. જૈન સમાજ આજે પણ આવા જૂના ઢાળોમાં પદો દેરાસરમાં ગાય છે. આપણે ત્યાં શું આ રીતે મંદિરમાં આ જૂનો ઢાળ કોઈ ગાય છે? જૈન સમાજે જેમ સંગીતના જૂના ઢાળો સાચવ્યા છે તેમ જૈનેતર ગ્રંથો પણ તેમના પાટણ, ખંભાત અને જેસલમેર, જેવાં જૂના ગ્રંથ ભંડારોમાં સચવાયા છે. ગ્રંથો સાચવવા સહેલા છે કારણ કે તે વસ્તુસ્વરૂપે છે પણ પદના ઢાળ સાચવવા માટે ગાવાની પરંપરા જોઈએ બાકી તો સઘળું ભુલાઈ જાય. દેશીની પરંપરાનું રક્ષણ લોકોના સંગીતને પ્રાધાન્ય આપનાર જૈનાચાર્યોએ કરેલા કાર્યને ટૂંકાં અવલોકીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy