________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૦૪૩
સંગીલોડો જળોનું પ્રદાન
– જયદેવભાઈ બી. ભોજક
જૈનોનું સંગીત, જૈનોનાં ભક્તિગીતો તદ્દન જુદા જ પ્રકારનાં ને વિષયના છે. (૧). જૈનોની ભાષા સંગીત માટે સૌથી અનુકૂળ ગુજરાતી સ્વરૂપ.
(૨) દેશી’ નામનો પ્રકાર લોકગીતો સહિત જૈનો દ્વારા પ્રચલિત થયો, એટલું જ નહીં તેને જીવતી કળાના સ્વરૂપે રક્ષણ આપ્યું. (૩) જૈન ધર્મ સનાતન ધર્મ (વૈદિક) જેટલો જ જૂનો છે. તેથી ૧૧મી કે બારમી સદી પૂર્વે રાગોનાં સ્વરૂપો નિશ્ચિત નહોતાં થયાં ત્યારના ગવાતા ઢાળો એટલે કે ૫-મીથી ૧૧મી સદી સુધીનું ગેય કાવ્યોનું સ્વરૂપ દેશી' નામથી જૈનોએ સાચવ્યું છે.
ભાષા બદલાયા કરી છે. ઢાળ એના એ જ રહ્યા છે તે સંગીત વિદ્યાનું ચિરંજીવપણું સૂચવે છે અને કિંઠોપકંઠ એ ન સચવાય તો સેંકડો ઢાળો વીસરાયાં એમ પણ બને છે.
-સંપાદકીય
છે કે ભારતીય કલાના અભ્યાસીઓએ આપણા દેશની ચિત્રકળા, શિલ્પકળા, સ્થાપત્ય કલા અને સંગીતકલાને વિષે ઘણું લખ્યું છે. ભારતમાં અંગ્રેજી રાજ્ય શરૂ થતાં પશ્ચિમનાં લોકોને તેમણે ભારતદેશ જાદુગરો, સાપ, નોળિયાને રમાડતા મદારીઓનો દેશ છે એવું ખોટું વર્ણન કરેલું. ૧૮૫૭ પછીથી દિલ્હી કલકત્તા વચ્ચે જ્યારે વાહનવ્યવહાર, તારટપાલ અને રેલ્વે શરૂ થઈ તે વખતનું રેલ્વેનું ટાઇમટેબલ આ લેખના લેખકના હાથમાં આવ્યું. આજના જેવું શુષ્ક ટાઇમટેબલ તે ન હતું. તેમાં જોવાલાયક સ્થળોના ફોટા તથા સ્થળની ઐતિહાસિક માહિતી પણ હતી. મોટા શહેરનાં વર્ણન પણ આપેલાં તે સાથે પ્રકરણને મથાળે સાપને મોરલી વગાડી રમાડતા મદારીનું ચિત્ર પણ છાપેલું. પ્રવાસે આવનારા પૈકી ભારતને પ્રત્યક્ષ જોનારાંઓએ જોયું કે ભારતદેશ તેમણે વાંચેલા વર્ણન કરતાં ઘણો સુસંસ્કૃત છે, એટલે ભારતની કળાઓ વિષે ફરીથી લખાવા માંડ્યું.
પશ્ચિમી લેખકોને એક વાત ખૂબ જ ધ્યાનમાં આવી ગઈ કે ભારતની તમામ કળાઓ, ધર્મ દ્વારા, મંદિરો દ્વારા કે અન્ય રીતે ધર્મની સાધનાના હેતુથી જ સર્જન પામી છે. આંખેથી પ્રત્યક્ષ દેખાય તેવી ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય કલા વિષે તો તેમને ભારતીયો જેટલું જ કે તેથી વધુ સમજાયું પણ સંગીતકલા વિષે લાંબા સમય સુધી સમજ પડી નહીં. પશ્ચિમના સંગીતમાં વાદ્ય સંગીત વધુ પ્રચલિત છે તેથી વાદ્ય સંગીતને તેઓ પ્રથમ સમજી શક્યા. વળી પાશ્ચાત્ય દેશમાંથી આવેલા હાર્મોનિયમ, ઓરગન છે અને વાયોલિન તો ભારતીય સંગીતકારો પણ કુશળતાથી વગાડવા લાગ્યા. આથી સંગીત સમજાવા માંડ્યું પણ લાંબા સમય સુધી કંઠ્ય સંગીત સમજાયું નહીં. તેમનો એક પ્રશ્ન હતો કે ભારતીય ગાયકો ગાયન ગાતાં ગાતાં વચ્ચે એબીસીડી (કક્કો મૂળાક્ષર) શા માટે બોલે છે ? આપણા સંગીતમાં ગીતને છોડી માત્ર રાગના સ્વરો; જેને, આપણે સરગમ પણ કહીએ છીએ તે ગાવાનો રિવાજ છે જે ગાયકની કુશળતા બતાવે છે. વખત જતાં એ પણ સમજાયું.
- ભારતીય સંગીતમાં મુખ્ય બે પ્રકાર છે (૧) મનોરંજન માટે ગવાતું સંગીત અને (૨) ભક્તિ માટે સંગીત. જૈન ધર્મ દ્વારા ભક્તિ માટે સંગીતનો ઉપયોગ ક્યારથી થયો તે વિષે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, છતાં એક બાબત જરૂર ધ્યાનમાં આવે તેવી છે કે મૂર્તિ અને મંદિર વિના માત્ર સાધના દ્વારા જ ધર્માચરણ કરવું એ જૈન સંપ્રદાયની જૂની પરંપરા છે. આ જૂની પરંપરામાં તંત્રની સાધના પણ છે. તંત્ર સાધના એ યોગનો એક પ્રકાર છે તેનો પ્રચાર સૌથી વધુ બંગાળ બાજુ છે, પણ વખત જતાં આ યોગસાધના સમગ્ર ભારતમાં પ્રચલિત થયેલ. યોગસાધનાનો એક તબક્કો એવો આવે છે કે
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org