________________
૦૨૨
૩૦ વર્ષ પહેલાં એકાંતરા પ૦ આયંબિલ કર્યાં. લાઇટ કે પંખાનું બટન પોતાના હાથે દબાવતા નથી. છાપું વાંચતા નથી. રોજ ૨ ટાઇમ પ્રતિક્રમણ, ૪ સામાયિક તથા જિનપૂજા અચૂક કરે છે. રોજ ૮ સામાયિક દ્વારા ૩ વર્ષમાં ૬૦૦૦ સામાયિક કર્યા. શિયાળામાં રાત્રે ૨-૩ વાગે અને ઉનાળામાં ૪ વાગે ઊઠીને જાપ તથા ૨૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ તથા અરિહંત અરિહંત'નો ૧૦ હજાર વાર જાપ કરે છે. દેહ અને આત્માના ભેદજ્ઞાનના લક્ષ્યપૂર્વક રોજ આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે. શ્રાવકનાં ૧૨ વ્રતોનો સ્વીકાર કર્યો છે. વિવિધ ક્ષેત્રોમાં ૬૦ લાખ રૂ।. થી અધિક દાન કરેલ છે. રોજ ૧૦૦ રૂા.નું પક્ષીઓને ચણ નાખે છે. પગરખા પહેરતા નથી. ૧૦૮ દિવસ સુધી અગ્નિકાય જીવોની વિરાધનાથી બચવા માટે ચણાના લોટમાં ઘી-ગોળ મિશ્રિત કરીને અથવા મમરામાં મીઠું-મરચું ભભરાવીને અવઢ એકાસણાં કરેલ. ૭૮ વર્ષની જૈફ વયે પણ તેઓ ખૂબ જ અપ્રમત્તપણે આરાધનામાં લીન રહેતા તેઓશ્રી ગત વર્ષે જ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ બન્યા છે.
(ર) વિકાર મહામંત્રને સિદ્ધ કરનાર સરપંચ લાલુભા મફાજી વાઘેલા
ગુજરાતમાં વીરમગામ તાલુકાના ટ્રેન્ટ ગામમાં રહેતા લાલુભાને સં. ૨૦૩૭માં કોઈ ધન્ય ઘડીએ નવકાર મહામંત્ર સમારાધક પ.પૂ. પં. શ્રી મહાયશસાગરજી ગણિવર્ય મ.સા. (પાછળથી આચાર્ય)નો સત્સંગ સંપ્રાપ્ત થયો અને તેમણે રોજની ૧૦૦ બીડીનું ધૂમ્રપાન કરવાની વર્ષો જૂની આદતને એક ધડાકે તિલાંજલિ આપી દીધી. પછીથી પૂજ્યશ્રીના સત્સંગના પ્રભાવે લાલુભાના અંતરમાં જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉત્તરોત્તર બળવત્તર બનતી ગઈ અને તેની ફલશ્રુતિ રૂપે તેમણે કંદમૂળ, રાત્રિભોજન તથા ૭ મહા વ્યસનના આજીવન ત્યાગની પ્રતિજ્ઞા લીધી. સગાભાઈની દીકરીના લગ્નપ્રસંગે તથા પોતાની દીકરીના સગપણ નિમિત્તે વેવાઈના ઘરે પણ તેમણે રાત્રિભોજન ન જ કર્યું. રોજ નવકાર મહામંત્રની ૧ બાધી માળાનો જાપ નિયમિત રીતે શરૂ કર્યો. દર વર્ષે પર્યુષણ પર્વમાં પોતાના પરમોપકારી ગુરુ મહારાજની નિશ્રામાં એકાંતરે ૪ ઉપવાસ તથા ૪ એકાસણા સહિત ૬૪ પ્રહરી પૌષધ કરવા લાગ્યા. સં. ૨૦૪૫માં પોતાના ગુરુદેવશ્રીની સાથે વર્ષીતપનું પારણું હસ્તિનાપુરમાં કર્યું. સં. ૨૦૪૮માં વર્ધમાન તપનો પાયો નાખ્યો. કષાય જય-તપ તથા ધર્મચક્રતપ પૂર્ણ કરી વીરમગામથી ટ્રેન્ટ ગામમાં પ્રભુને પધરાવીને ધામધૂમથી સ્નાત્ર પૂજા ભણાવીને
Jain Education International
ધન્ય ધરાઃ
આખા ગામને પ્રીતિભોજન આપવા દ્વારા સુંદર શાસનપ્રભાવના કરી. સં. ૨૦૪૯માં શત્રુંજય ગિરિરાજની ૬ ગાઉની પ્રદક્ષિણા આપી આદિનાથ દાદાની પૂજા કરી. એ જ વર્ષે ચાતુર્માસના અંતે ગિરિરાજની છત્રછાયામાં ગુરુદેવશ્રીની નિશ્રામાં પ્રથમ ઉપધાન તપ કરી મોક્ષમાળનું પરિધાન કર્યું. શ્રાવકના ૧૨ વ્રતોમાંથી વધારાક્તિ વ્રતો સ્વીકાર્યાં. અનુક્રમે ત્રણ ઉપધાન કરી લીધાં. શ્રી સમેતશિખરજી આદિ અનેક જૈન તીર્થોની ભાવપૂર્વક યાત્રા કરીને સમ્યક્ત્વને નિર્મલ બનાવ્યું. જૈફ વયે પણ પોતાનાં માતુશ્રીને છેવટ સુધી રોજ ચરણસ્પર્શ કરી પ્રણામ કરતા રહ્યા. ખેતીવાડીમાં પણ જંતુનાશક દવા છાંટવાનો ત્યાગ કરી જીવદયાનું સુંદર રીતે પાલન કરવા લાગ્યા. નવકાર મહામંત્ર પ્રત્યે દૃઢ શ્રદ્વાના કારણે તેમના જીવનમાં અનેક ચમત્કારિક ઘટનાઓ બની છે, જેમાંની કેટલીક ઘટનાઓ સંક્ષેપમાં નીચે મુજબ છે. (૧) પોતાના ભાણેજને કેન્સર જેવા દર્દના કારણે થતી લોહીની ઉલટી ૧૦૮ નવકારથી અભિમંત્રિત પાણી પીવડાવીને મટાડી. (૨) એક યુવકને કરડેલ ઝેરી સર્પના વિષને નવકારધી અભિમંત્રિત પાણી છાંટીને વિષમુક્ત કર્યો, (૩) ટ્રેન્ટ ગામના બ્રાહ્મણ ટપાલીનું ૬ મહિનાથી અસાધ્ય પેટનું દર્દ નવકારધી અભિમંત્રિત પાણી પીવડાવીને મટાડ્યું. (૪) પોતાના હાથે કરડેલ કાળા વીંછીની અસહ્ય પીડાને નવકારના જાપ દ્વારા ૧ કલાકમાં શાંત કરી. (૫) સામાયિકમાં શંખેશ્વર પાર્શ્વનાથની છબી સમક્ષ જાપ કરતી વખતે ધરણેન્દ્ર નાગરાજે પ્રભુજીની છબી ઉપર ફણા કરી, છતાં લાલુભાએ ગભરાયા વિના જાપ ચાલુ રાખતાં નાગરાજ અર્દશ્ય થઈ ગયા. (૫) સં. ૨૦૪૩માં દુકાળ વખતે આજુબાજુના ખેતરોમાં બોર નાખતાં ખારું પાણી નીકળ્યું. ફક્ત લાલુભાના બોરમાં જ મીઠું પાણી નીકળતાં તેમણે આખા ગામને ઉદારતાથી મીઠું પાણી આપી સહુનાં દિલ જીતી લીધાં. (૬) જીરાના પાકમાં થતા બંટીરોગને નાબૂદ કરવા અન્ય ખેડૂતોએ જંતુનારાક દવા છાંટી પરંતુ દવા નહીં છાંટનાર લાલુભાના ખેતરમાં વધુ પાક થયેલો જોઈ બુધાનાં અંતરમાં અહિંસામય જૈન ધર્મ પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયો. (૭) સં. ૨૦૫૪માં લાલુભાના નજીકના સંબંધીને ઉત્પન્ન થયેલ કેન્સરની ગાંઠને પણ નવકારના પ્રયોગથી મટાડતાં ડૉક્ટરો પણ આશ્ચર્ય-ચકિત થઈ ગયા.
લાલુભાના એક સુપુત્ર જયેશે નવસારી તપોવનમાં ૩ વર્ષ સુધી અભ્યાસ કરીને જૈન ધર્મના સુંદર સંસ્કારો પ્રાપ્ત કર્યા છે. * સં. ૨૦૬૨માં અમારા ચાતુર્માસ પ્રવેશ વખતે કચ્છ
For Private & Personal Use Only
www.jainelibrary.org