SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ © ૨૧ જdhથી નહી હિબ્ધ કર્મથી સવાયા જળા આશધક–૨નોની સંક્ષિપ્ત ઝલક અચલગચ્છાધિપતિ પ. પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ૪૫ આગમ અભ્યાસી પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. જિનાજ્ઞા પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના દ્વારા મોક્ષમાર્ગની આરાધના કરે તે જૈન છે. તીર્થકરો રાજવંશીય હતા. ગણધરો અને કેટલાએ આચાર્યો, સિદ્ધસેન દિવાકરજી અને હરિભદ્રસૂરિજી આદિ બ્રાહ્મણો હતા. સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જન્મ્યા હતા. આચાર્ય બુદ્ધિસાગરસૂરિ મ. પટેલ હતા. આજે પણ જૈનેતરો સવાયા જૈન બન્યા છે. જૈનધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેની જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી પણ તેના જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ ઉપર અવલંબે છે. આ વાત નીચેના અર્વાચીન દષ્ટાંતો દ્વારા વધુ સ્પષ્ટ થશે. [આ લેખમાળાનાં દૃષ્ટાંતો ઉપરોક્ત લેખકશ્રી દ્વારા સંયોજિત “બહુરત્ના વસુંધરા’ ભાગ-૧ માંથી અત્યંત સંક્ષેપ કરીને રજૂ કરવામાં આવ્યાં છે. વિસ્તારરુચિવાળા વાચકોએ ઉપરોક્ત પુસ્તકનું અવગાહન કરવા વિનંતિ. પ્રાપ્તિસ્થાન : કસ્તૂર પ્રકાશન ટ્રસ્ટ, ૧૦૨ લક્ષ્મી એપાર્ટમેન્ટ, ૨૦૬ ડૉ. એની બેસન્ટ રોડ, વરલી નાકા, મુંબઈ ૪૦૦ ૦૧૮, ફોન : ૨૪૯૩૬૬૬૦, ૨૪૯૩૬૨૬૬, ૨૪૯૪૩૯૪૨ –સંપાદક] (૧) આજીવન ઠામ ચોવિહાર અવ૬ એકાસણા તપની અજોડ આરાધક શ્રી વનમાલીદાસભાઈ ભાવસાર ગુજરાતમાં મહુડી તીર્થની પાસે આવેલા વાપુર ગામમાં વિ.સં. ૧૯૮૫માં જન્મેલ શ્રી વનમાલીદાસભાઈ ભાવસારના પિતાશ્રી જગજીવનભાઈ કુળપરંપરાગત વૈષ્ણવ ધર્મનું પાલન કરતા હતા, પરંતુ જૈન શ્રાવકોના પરિચયથી તેમને અહિંસાપ્રધાન જૈન ધર્મનો રંગ લાગ્યો હતો. ૭ વર્ષની ઉંમરે વનમાલીદાસભાઈ પિતાજીની સાથે અમદાવાદ આવ્યા. ત્યાં એ જ વર્ષે અમથીબાઈ નામના શ્રાવિકાની પ્રેરણાથી દરરોજ નવકારશ્રી તથા જિનપૂજા કરવાનો પ્રારંભ કર્યો. ૨૦ વર્ષની ઉંમરે પૂ. માનવિજયજી મ.સા.ની પ્રેરણાથી આજીવન નવકારસી તથા ચોવિહાર કરવાની પ્રતિજ્ઞા લીધી. એક કલ્યાણમિત્રની પ્રેરણાથી ૩૫ વર્ષની યુવાવસ્થામાં તેમણે પોતાના ધર્મપત્ની ૧ હીરાબાઈ સાથે સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું ! ૩૮ વર્ષની વયે પૂ. પુણ્યવિજયજી મ.સા.ના શ્રીમુખેથી આજીવન અવઢું એકાસણાં કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી! છેલ્લા ૨૧ વર્ષોથી અવઢું એકાસણાની સાથે ઠામ ચોવિહાર પણ કરે છે! વિશાળ પરિવાર હોવા છતાં એકત્વ ભાવનાની પુષ્ટિમાં માટે તેઓ અમદાવાદમાં હઠીસીંગની વાડીમાં ઉપાશ્રયની પાસેના રૂમમાં એકલા જ રહે છે. સંથારા પર શયન કરે છે. સચિત્ત પાણીથી સ્નાન પણ કરતા નથી. રોટલી અને શાક જેવાં સાદાં ૨-૩ દ્રવ્ય સ્વયં રાંધીને ઉપર મુજબના એકાસણા કરે છે. દર બેસતા મહિને એક જ દ્રવ્યથી આયંબિલ કરે છે. છેલ્લા 10 વર્ષોથી આંબાનો ત્યાગ છે. તેમાં દૂધદહીં-તેલ તથા કઢા વિગઈ આ ૪ વિગઈઓનો કાયમને માટે ત્યાગ કર્યો છે. કવચિત્ તાવ જેવું 'ગે તો ચોવિહાર ઉપવાસ દ્વારા તેને કાબૂમાં લઈ લે પરંતુ એલોપથી દવા કદી લેતા નથી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy