SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા ૬૨ સાથે સાથે બે હજાર દીનાર સુધીનો ખર્ચ આપવાની તૈયારી પણ બતાવી. શુભ મુહૂર્ત અને શુભ શુકને વિ.સં.૧૭૦૩માં કાશી તરફ -યાણ કર્યું. ત્રણ વર્ષ કાશી રોકાયા. ત્રણ વર્ષના અંતે એક વાદી આવ્યો. બંગાળી ભટ્ટાચાર્યના કહેવાથી શ્રી યશોવિજયજીએ વાદી સાથે વાદ કર્યો. એવા અકાટ્ય તર્ક કર્યા અને તે વાદમાં વિજયની વરમાળ વર્યા. TI ત્યાંથી ગુરુ મહારાજ સમેત વિ.સં.૧૭૧૦નું ચોમાસું સિદ્ધપુરમાં કર્યું. ત્યાં “જ્ઞાનસાર’ અને ‘દ્રવ્યગુણ પર્યાયના રાસની રચના થઈ. શ્રી સંઘને મહાન ભેટમળી. એ પછી વિ.સં.૧૭૧૮માં આચાર્યશ્રી વિજયપ્રભસૂરિ મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાય-પદ પ્રદાન થયું. વિ.સં.૧૭૨૨માં સુરત ચોમાસું રહ્યા. ત્યાં અગિયાર અંગની સઝાયની રચના કરી. વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં દાર્શનિક ગ્રન્થોની રચના ચાલુ જ હતી. આ સમયગાળામાં શ્રી આનંદઘનજી મહારાજ સાથેનું મિલન સંભવી શકે. વિ.સં.૧૭૩૮ના વર્ષમાં શ્રીપાળરાજાના રાસની પુરવણી અને અનુભવજ્ઞાનની પ્રાપ્તિનો ઉલ્લેખ એમાં કર્યો. વિ.સં.૧૭૪૩નું ચોમાસું ડભોઈમાં કર્યું અને ત્યાં અણસણ આદરી દેવલોક પામ્યા. આમ ઉપાધ્યાયજી મહારાજના જીવનની મોટી મોટી થોડી વિગતો મેળવી શકાઈ છે. બીજું કોઈ સાધન મળે તો તેઓશ્રીના જીવનની વધુ વિગતો મળે અને આપણને અપાર આનંદ થાય. કાશીની પંડિતમંડળી ડોલી ઊઠી અને એક જૈન સાધુની વિદ્યાની કદર થઈ. ન્યાયાચાર્ય અને ન્યાય-વિશારદ એવી બે પદવીની નવાજેશ કરી. બંગાળી ભટ્ટાચાર્યે કહ્યું કે “તમારે વિદ્યાર્થીઓની સાથે બેસવાની જરૂર નથી.” પંડિત નયવિજયજીના જાણવામાં આવ્યું કે આગ્રામાં પણ આવા પંડિતો છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયજી મહારાજથી ભાવિત ક્ષેત્ર હતું તેથી ત્યાં પધાર્યા. ચાર વર્ષ સ્થિરતા કરી. ત્યાં અનેક વિદ્યાર્થીઓ મળ્યા. આગ્રાના શ્રી સંઘે ઘણી ભક્તિ કરી અને એમને ચરણે રૂપિયા ૭૦૦ ધરી, જ્યાં વાપરવા હોય ત્યાં વાપરવાની અનુમતિ આપી. તેઓએ વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તક વગેરે સામગ્રી અપાવી. કાશી વગેરે પ્રદેશમાં કુલ સાત વર્ષ વિચરીને તેઓશ્રી ગુજરાત તરફ પધાર્યા. ત્યાં બનાસકાંઠામાં ગોબા ગામમાં પં.શ્રી ઋદ્ધિવિમલજીને ક્રિયોદ્ધાર કરાવવાનો હતો. તેઓને સમાચાર મળ્યા કે પંડિત નયવિજયજી સમેત શ્રી યશોવિજયજી આ તરફ આવે છે. છે. તેમના સાન્નિધ્યમાં ક્રિયોદ્ધાર કરાવ. પછી પાટણ આવ્યા અને ત્યાં વિ.સં.૧૭૧૦માં પોષ મહિને માત્ર પંદર દિવસ માટે નયચક્ર ગ્રન્થ મેળવ્યો. સાત મુનિવરો સાથે બેસીને તેની નકલ કરી લીધી. ( આ નકલ આપણી પાસે એલ.ડી.માં સચવાઈ છે.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy