________________
શાશ્વત સૌરભ ભાગ-૧
(૯) સાધ્વી ભગવંત વિનયપ્રભાશ્રીજી મ.સા. ૩૬૦થી વધુ વરસના સંયમપર્યાયવાળાં, વસોનો કાપ પણ ન કાઢનારાં તથા આઠ કરોડ નવકારથી પણ વધુ જાપ જપી જનારાં આ સાધિકાએ મહામંત્ર નવકારના જાપને વધારી કેન્સરને લોહીની ઊલટીથી દૂર કર્યું છે. સાપના ઝેરને જાપ વધારી મુખ વાટે લીલા પાણીની ઊલ્ટી કરી નાથી લીધું છે. જીવન આખુંય ખાખી વૈરાગી તથા સમતામય બની જવાથી અનેક પ્રકારના નાના-મોટા ચમત્કારિક પ્રસંગોના અનુભવી છે, પણ બધીય જશ મહામંત્રના નમસ્કારને આપી પોતાની લઘુતા દર્શાવે છે.
(૧૦) સાધ્વી ભગવંત એમશ્રીજી ઃ—ફક્ત છ વરસની ઉંમરે માતાની સાથે દીક્ષિત વનાર આબાલબ્રહ્મચારિણી સાધ્વી સંસારપક્ષે કચ્છનાં વતની હતાં. ૭૫થી વધુ વરસના સંયમપર્યાયમાં અનેકોને નવકારમાં જોડનાર તથા અનેક જાત્રાઓ કરી જીવનને સમકિતમય બનાવનાર હતા. તેમને એક્વાર બિહાર પ્રદેશમાં કલ્યાણક ભૂમિની સ્પર્શના કરતાં જંગલમાં અટવાઈ જવાનું થયું. બધાંય સાધ્વીઓ ગભરાણાં અને જંગલમાં રસ્તો કોઈ દેખાડે તેવી પ્રાર્થના નવકાર પાસે કરતાં જાપ ચાલુ કર્યા. પંદર મિનિટમાં જ એક માનવદેહ ધરાવતી વ્યક્તિ નિકટમાં આવી, સામે ચડી રસ્તો દેખાડ્યો. જંગલથી બધાંયને પાર ઉતારી પોતે કોઈ પણ વાતચીત કર્યા વગર અદશ્ય થઈ ગયો, તેવું જ થયું રાંખેશ્વર જતાં, જ્યાં એક ઘોડેસવારે આવી જઈ ભૂલેલ રસ્તેથી બહાર લાવી મદદ કરી, વળતરમાં કોઈ પરિચય પણ ન કર્યો. તે સાધ્વીજી માનતાં હતાં કે એંશી વરસની વયે પણ પાંચેય ઇન્દ્રિયોની પટુતા તથા નિરાલંબન જીવન તથા તમામ ઇચ્છાઓની સિદ્ધિ છે તે મહામંત્ર નવકારની આરાધનાને આભારી છે.
—
(૧૧) સાધ્વી ભગવંત ચંદ્રપ્રભાશ્રીજી વિ.સં. ૨૦૭૦ની સાલમાં જામનગર મુકામે ચાતુર્માસ માટે જતાં બે કાણા સાધ્વીઓને વિમ્બરમાં વરસાદ જોરદાર નચો. કોટડાપીઠા ગામે ચાલુ સાંજના પક્ષ્મી પ્રતિક્રમણ સમયે વાવાઝોડા સાથે એવો વરસાદ તૂટી પડ્યો ને તૂટેલાં નળિયાંને કારણે આખોય ઉપાશ્રય પાણીથી છલકાવા લાગ્યો. તે સમયે ભયજનક વાતાવરણ વચ્ચે બેઉ સાધ્વીઓએ નવકાર જાપ ચાલુ કરી દીધા. કમાલ એ થઈ કે ફક્ત આસન અને ચાર કબાટ જ બચ્યાં રહ્યાં. બાકીનો બધોય ઉપાશ્રયનો ભાગ જળબંબાકાર બની ગયો. તે પછી વિ.સં. ૨૦૩૧ની સાલમાં જૂનાગઢ તરફ
Jain Education International
७१७
જતાં ઉપલેટા ગામના ઉપાશ્રયે રાત્રિના સમયે પિશાચી ઉપદ્રવો ચાલુ થયા, જેથી ભયાનક અવાજો, વાસણ પડવાના શબ્દો વગેરે વચ્ચે રાત્રિના સાડાત્રણ વાગ્યા સુધી તેઓ નવકારના શરણે રહ્યાં પછી ઉપદ્રવ શમ્યો અને કોઈ નુકશાન ન થવા પામ્યું, તેવો જ ઘનઘોર વર્ષાતાંડવનો અનુભવ વિ.સં. ૨૦૩૪માં નાકોડાજીની નિકટમાં થયેલ હતો. છતાંય નવકાર પ્રમાણે રક્ષા થયેલ હતી.
(૧૨) ડૉ. સુરેશભાઈ ઝવેરી :—પૂર્વકાળમાં યુવાનીમાં રંગ-રાગવિલાસમાં બેફામ બની જવાથી શરીરમાં વિકારો થઈ ગયા. ઇંગ્લેંડની ધરતી ઉપર વલણ ઓપરેશન પૂર્વે પોતાનું તથા શ્રાવિકા મંજુલાબહેનનું નવકારશરણું ખરેખર કામ લાગી ગયું. શરીરમાંધી છ ઔંસ રસી અને ફેફસાંમાંથી સાડા પાંચ હાડકીઓ સડેલી નીકળી. છતાંય માતાએ બચપણમાં આપેલ નવકારથી જેઓ મૃત્યુમુખથી પાછા વળ્યા છે અને પછી તો જીવનપરિવર્તન જ કરી નવકારનું અઢારિયું કર્યું. વર્ધમાન તપની ૪૦થી વધુ ઓળી કરી તથા અમદાવાદ મુકામે હિંસાનિવારણ સંઘના મુખ્ય પદ ઉપર રહી સેવા આપી. તેમને લેખકશ્રી સુપેરે ઓળખે છે.
(૧૩) વિધિકાર શ્રી નરેન્દ્રભાઈ રામજી નંદુ ઃ—જોગેશ્વરી મુંબઈના નિવાસી અચલગચ્છના ધર્માનુરાગી શ્રાવકના ઉપર અઘોરી બાબાએ કરેલ વશીકરણ નવકારજાપના કારણે નિષ્ફળ ગયેલ. એક બહેન જેઓ મેલી વિદ્યાનો પ્રયોગ કરવાનાં હતાં તેની પણ વિદ્યા નાશ પામી, બલ્કે સામે ચડી નંદુની માફી માગી. નરેન્દ્રભાઈએ બ્રહ્મચર્ય વ્રત લઈ અનેકવાર ૧-૧ લાખ જાપનાં અનુષ્ઠાન કર્યાં છે. વાહનમાં પણ નવકાર જ ગણતા રહેનાર તેમને એક વખત ઓટો રીક્ષાના અકસ્માતમાં તથા બીજી વાર ઘોડાગાડીના અકસ્માતમાં પણ અદ્ભુત બચાવ ઘો છે. નવકારની વિધિસર પ્રતિજ્ઞા વિ.સં. ૨૦૩૦ની સાલમાં લીધેલ હતી.
(૧૪) સંગીતકાર શ્રી જયંતભાઈ રાહી — વર્તમાનમાં પોતાની સાંગીતિક ક્રાતિમાં નવકારનો રણકાર જોડી દેનાર તથા ફક્ત જાપમાં જ નહી બકે નવકારપ્રચારમાં પણ ઓતપ્રોત થઈ જનાર તથા મુંબઈ, ચેમ્બુર, મુલુંડ ઉપરાંત વિવિધ સ્થાને કલાકો સુધી નિઃસ્વાર્થ ભાવે લોકોને નવકારના સત્કારમાં રંગી દેનાર તેઓ પાલિતાણા મુકામે શાળના તીર્થ શાશ્વતા નવકારની પીઠિકા બનાવવાની ભાવના રાખે છે. સ્વયં નવકાર ચમત્કારના અનુભવકર્તા છે. ઉપરાંત અન્ય અનેકોના જીવનપ્રસંગોને પોતાના પ્રકાશન દ્વારા પ્રકાશિત કરી રહ્યા છે. તેમનો
For Private & Personal Use Only
www.jainelibrary.org