________________
૧૬
મૃત્યુમુખા બનેલ છતાંય નવકાર જાપ સ્વયં કરી જીવનદાન આપ્યું. વિહારમાં ધારાનગરી તરફ અજૈનોના ઉપદ્રવ સમયે ફેંકાયેલા પથ્થરો સમયે નવકાર જાપના પ્રભાવે ફક્ત તરપણીના ટુકડા થઈ ગયા, પણ એક પથ્થર પણ મહાત્માને વાગ્યો ન હતો.
ન
(૩) વિવિધ નવકાર આરાધકો : પૂ. પંન્યાસ ભદ્રંકર વિજયજી, પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા., પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા., પૂ. ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ઉપરાંત અન્ય સમુદાયના અનેક મહાત્માઓ નિકટના ભૂતકાળમાં મહામંત્ર નવકારના આરાધક અને પ્રભાવક બન્યા. તે બધાય મહાત્માઓના જીવનનો પાર્યો નવકાર હતો, અનેક પ્રકારના ચમત્કારોની અનુભૂતિઓ તેમની જીવનમૂડી હતી તે માટે તેમના લેખો, વન-કવનની ઘટનાઓ વાંચવી રહી, તેમાંય જીવનમર ખૂબ ઊંડાણથી નવકારનું ખેડાણ કરનાર પંન્યાસજીનું ચિંતન ભાવિના જીવોને દીવાદાંડી સમાન છે.
(૪) પૂ.પં. ભદ્રેશ્વર વિ.મ.સા. -—ત્રીસેક વરસ પૂર્વે ધુવારણથી કાવી જતાં પાંચ સાઘુઓ હોડીમાં બેઠેલ ત્યારે અચાનક ધોધ અને વમળ તરફ હોડકું ધસી જતાં પ્રાણ કંઠે આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાણી ત્યારે પંન્યાસજીએ સાગારિક અણશણ કરી, સૌને ખમાવી, નવકાર જાપ ચાલુ કરી દીધા અને જોતજોતાંમાં ફસાયેલ હોડકું થાંભલાની બાજુમાંથી નીકળી જતાં ૩૦-૩૫ મુસાફરો મોતના મુખથી બચી ગયા.
(૫) પૂ.આ. હેમરત્નસૂરિજી મ.સા. :વિ.સં. ૨૦૩૭ના તીર્થરક્ષા અભિયાનમાં ગુંડાઓની વરસતી લાકડીઓ અને પ્રહારો વચ્ચે પૂજ્યશ્રીએ સાગારિક અલાલ કરી નવકારશરણું લઇ લીધું, થોડી જ વારમાં પોલીસવાન આવી જતાં સાધુ-સાધ્વીભગવંતોની પ્રાણરક્ષા તથા ખાસ તો ગુંડાઓથી સાધ્વીઓની જીવરક્ષા ચમત્કારિક રીતે થઈ ગઈ. તે ઘટના અંતરીક્ષજી તીર્થ મુકામે બનેલ હતી.
(૬) પૂ. ગણિવર્ય મહોદય સાગર મ.સા. :જૂના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર' નામના ગુજરાતી, હિન્દી, પુસ્તકના સંકલનકાર તથા પ્રસ્તુતકર્તા અચલગચ્છના પૂ. ગણિવર્યજી સ્વયં નવકાર મહામંત્રના પરમ આરાધક, વિવિધ ચમત્કારોના અનુભવકર્તા તથા પ્રસ્તુતકર્તા છે. તેમનું નવકારસંબંધી સંપૂર્ણ પુસ્તક વર્તમાનકાલીન સત્ય પ્રસંગોથી ભરપૂર છે. ચમત્કાર અનુભવકર્તાનાં નામ પણ વિગતો સાથે આપી તેમણે ખૂબ સારી જહેમત ઉઠાવી છે.
Jain Education International
ધન્ય ધરાઃ
(૭) પ્રસ્તુત લેખના લેખકના આત્માનુભવો -- વિ.સં. ૧૯૯૨માં ગુંડાઓના આક્રમણ સમયે બચી જવું, તા. ૬-૨-૧૯૮૮માં જાત્રાની બસમાં થયેલ અકસ્માતમાં નવ યાત્રાળુઓનાં મરણ સમયે નવકારજાપ પ્રભાવે સજોડે સુરક્ષિત રહેવું, તે જ પ્રમાણે ૧૧-૧-૯૯, બુધવારના દિવસે ગાહાટી એરપોર્ટ ઉપર વિમાનઅકસ્માતમાં નવકારશરણ પ્રભાવે ૯૨ અજૈનોના + લેખકશ્રીના જીવનની ચમત્કારિક રક્ષા, તા. ૩૭-૯૯ના શનિવારે નવસારી મુકામે ઉપાશ્રયની છત ઊતરવા છતાંય જાપ-પ્રભાવે રહ્યા. તેજ પ્રમાણે ૨૬-૧-૨૦૦૦ના કચ્છના ધરતીકંપ વચ્ચે પણ વિશિષ્ટ અનુભવ, ઉપરાંત પાટણ, કલ્યાણ અને અને મુરુડ-ઝંઝીરામાં અમીઝરણાં, શ્થિામાં ભગવાનના છત્રનું ફરવા લાગવું, જાત્રામાં આવેલાને છૂપી સહાય વગેરે અનેક પ્રસંગો પોતાના જ હોવાથી સંકંપ્યા છે. તે ઉપરાંત પણ નાની–મોટી ઘટનાઓ, પ્રસંગો એકધારા છેલ્લાં છત્રીસ વરસમાં અનુચિત થયાં છે, કારણ કે ના, ૨૧-૧૦૧૯૭૧ના શુભ દિવસે ગુરુદેવ પ.પૂ. જયસોમ વિ.મ.સા. પાસે નવલખા જાપની પ્રતિજ્ઞા ઝરિયા મુકામે ગ્રહણ કરી ફક્ત ૪।। વરસના નાના ગાળામાં વિધિવત્ પૂર્ણ કરેલ, જેના પુણ્યોદયે છેલ્લાં ૧૬ વરસના સંયમપર્યાયમાં સોળ હજારથી વધુ ભાવિકો નવલખા જાપની પ્રતિજ્ઞામાં જોડાયા છે. ઉપરોક્ત લખાણ આત્મપ્રશંસાથી પર રહી નવકારપ્રભાવને દર્શાવવાના શુભ ઉદ્દેશ્યથી લખાયેલ છે. વિશેષ અવારે.
(૮) સાધ્વી ભગવંત ભવ્યગુણાશ્રીજી
મ.સા. :–સાંસારિક અવસ્થામાં જરાય પણ તપ ન કરી શકનાર તથા ચારિત્ર માટે પણ મનને ખૂબ મનાવી-મારીને તૈયાર થનાર ઉપરાંત દીક્ષા પૂર્વેની છેલ્લી જાત્રાની સફરમાં થયેલ ખસઅકસ્માતમાં તા. ૬-૨-૧૯૮૮ના અશુભ દિવસે નિટની સીટ ઉપર બેઠેલ નવ જાત્રાળુઓનાં મરણ છતાંય નવકારની આરાધનાથી આશ્ચર્યકારી રીતે બચી જનાર અને ખૂબ ચઢત્તા પરિણામે સજોડે બરીય અનુકૂળતાઓના સુખનો ત્યાગ કરી સંયમમાર્ગે સંચરનાર તેઓશ્રી સાધ્વી ભગવંત વિશિષ્ટ બ્રહ્મચારિણી વસંતપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યા બન્યાં છે તથા દીક્ષાજીવનમાં સુંદર જ્ઞાનાભ્યાસ સાથે તપમાં પણ પરાક્રમી બન્યાં છે. સારામાં સારી યાદશક્તિ અને વક્તૃત્વકળા તથા વિવિધ ગુણ સંપન્ન તેમનું નામ પણ ગુણોચિત છે તથા હાલ પણ નવકાર ચમત્કાર અનુભવકર્તા પૈકીના એક સાધિકાનું જીવન વે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org