________________
૦૦૨
ધન્ય ધરા:
વિક્રમ સંવત્ ૧૫૨૫ના ફાગણ સુદ-૭ શનિવારે રોહિણી નક્ષત્રમાં શ્રી અર્બુદગિરિ-આબુ ઉપર દેવડા રાજધર સાયર શ્રી ડુંગરસિંહના રાજ્યમાં; ગૂર્જર જ્ઞાતિના શાહ ભીમસિંહે બંધાવેલા મંદિર (ભીમચેય)માં; ગૂર્જર શ્રીમાલજ્ઞાતીય રાજમાન્ય મંત્રી રાજાની ભાર્યા સૂલ્લી તથા મંત્રી મંડન ભાર્યા લોલી, તેના પુત્રો ૧ મંત્રી સગર અને ૨ મંત્રી સુંદર, તેમાંના મંત્રી સગરના પુત્રો ૧ નાથા અને ૨ ગહિલા. મંત્રી સુંદરની ભાર્યા ૧ હાંશી તથા ૨ પદમાઈ, તેના પુત્ર રાજમાન્ય મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્રો ૧ શ્રીરંગ, ૨ વાઘા આદિ કુટુંબથી યુક્ત મંત્રી સુંદર અને ગદાએ; આબુના અધિપતિ-રાજા દેવડા શ્રીવીસાના પુત્ર કુંભાના પવિત્ર પુત્ર રાજધર સાયર દેવ ચંડાના પુત્ર રાજધર....રામદાસની મંજુરીથી ૧૦૮ મણ પ્રમાણ ધાતુની પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની સપરિકર મનોહર પ્રતિમા નવી કરાવીને....” ઘણાં ગામોના સંઘે અહીં યાત્રા કરીને મોટા મહોત્સવપૂર્વક અહીં વિરાજમાન કરીને તપાગચ્છના શ્રીમાનુ લમીસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી તે ઉલ્લેખ સાથે “......મહિસાણા (મહેસાણા) નિવાસી મિસ્ત્રી દેવાના કલાકૌશલ્યથી આ મૂર્તિ બની છે” તેમ લખ્યું છે.
કુમારપાલ (લે. ૨૫૦), કૃષ્ણરાજ (લે. ૨૫૦) અગાઉ ઉલ્લેખ આવ્યો છે. કેશરીસિંહ (લે. ૪૯૦)-શ્રી સિરોહી દેશમાં શ્રી કેશરીસિંહજીના રાજ્યમાં, શ્રી અચલગઢ મહાદુર્ગમાં બે જોડી પગલાંવાળા પાદુકાપટ્ટ પર કોતરેલા લેખ પ્રમાણે–સં. ૧૯૬૩ના વૈશાખ સુદી ૧૧ને શુક્રવારે શ્રી તપાગચ્છની શ્રી કમલકલશ શાખાના ભ. શ્રી યશોભદ્રસૂરિજીની તથા શ્રી મહેન્દ્રસૂરિજીની પાદૂકા પધરાવ્યાનો લેખ છે.
ચૂંડા (લેખ નં. ૨૪૮-૪૦૭-૪૬૨) :
(લે. ૨૪૮) શ્રી આબુ તીર્થ (દેલવાડા)માં શ્રી આદિનાથ ભગવાન વ. ૩ જિનમંદિરો માટે સં. ૧૪૮૯માં રાજ શ્રી રાજધર દેવડા ચુંડાના વિજયવંતા રાજ્યમાં શ્રી રાજધર દેવડા ચુંડા વગેરે રાજ્યાધિકારીઓએ પોતાના રાજ્યના અભ્યદયને માટે, દેવડા સાંગા, મંત્રી નાથ.....સામંત વગેરેએ મળીને આઘાટ ઘલાવિ૬-યાત્રામુક્તિ કરાવી એટલે કે ઉક્ત ત્રણે જિનમંદિરોના કાર્યવાહકો પાસેથી અથવા તેના યાત્રીઓ પાસેથી એક પૈસો પણ ન લેવો એમ ઠરાવ્યું. (લેખ-૪૬૨માં પણ) દેવડા સાંડાનું નામ આવે છે. તે દેવડા ચૂંડાનો પુત્ર અથવા નજીકનો કોઈ કુટુંબી હોવો જોઈએ. ક્રમાંક-૪૦૭માં ચૂંડાનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. દેવડા ચૂંડાના પુત્રનું નામ ડુંગરસિંહ હતું.
લેખ નં. ૪૬૨, દેલવાડાની એક સડકના કિનારે આવેલા દિગંબર જૈન મંદિરના સભામંડપની દિવાલમાં કોતરેલ છે, આ લેખનો વચલો થોડો ભાગ નષ્ટ થયેલો છે : વિ.સં. ૧૪૯૪ના વૈશાખ સુદી ૧૩ને ગુરુવાર....“ગામ ઊબરણીમાં આબુના રાજા રાજધર દેવડા ચુડા પાસે દોસી કરણા તથા સંઘવી ગોવિંદે આ અક્ષરવિધિ કરાવી (લેખ લખાવ્યો) છે. માટે આ મંદિર થતાં કોઈએ કર-લાગા માટે માગણી, રકઝક કે તકરાર કરવી નહીં. તેમ કોઈએ દેવદાય કે બ્રહ્મદાય (દેવના કે બ્રાહ્મણના ભાગદાન) તરીકે પણ કાંઈ માંગવું નહીં. જો કોઈ કાંઈ માગશે અને લાગા સંબંધી કોઈ કાંઈ તકરાર કરશે તો તે રાજશ્રી દેવડા કૂંડા ભોગવશે...” ત્યાર પછી સાક્ષી અને મુખ્ય માણસોનાં નામ આપેલા છે.
જગમાલ : (લેખ નં. ૪૬૪-૪૭૧-૪૭૩-૪૭૪૪૮૨-૪૮૩-૪૮૪) સિરોહી (રાજપુતાના)ના મહારાવ લાખાના પુત્ર મહારાવ જગમાલ વિ.સં. ૧૫૪૦માં સિરોહીની ગાદીએ બેઠા હતા, તેમનું અવસાન સં. ૧૫૮૦માં થયું, તેમણે ૪૦ વર્ષ રાજ્ય કર્યું હતું. તેમના પછી જયેષ્ઠ પુત્ર મહારાવ અખયરાજજી (પ્રથમ) ગાદીએ આવ્યા. સંવત્ ૧પ૬૬ના ફાગણ સુદી ૧૦ને સોમવારના અચલગઢના લેખમાં રાજાધિરાજ શ્રી જગમાલના વિજયવંતા રાજ્યમાં સંઘવી સહસાએ પોતે કરાવેલા ચતુર્મુખ મંદિરના ઉત્તર કારમાં વિરાજમાન કરવા માટે મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ધાતુમય ભવ્ય પ્રતિમા કરાવી જેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી જયકલ્યાણસૂરિજીએ કરાવ્યાનો ઉલ્લેખ છે. નીચેના છએ લેખ આ મંદિરની પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠિત થયેલ ધાતુની મનોહર મૂર્તિઓની બેઠકો પર કોતરેલ છે. આ છએ લેખમાં ફક્ત ભગવાન અને પ્ર. કરાવનાર ધણીના નામ સિવાયની બીજી બધી હકીકત લગભગ સરખી છે. વિ.સં. ૧૫૬૬ના ફાગણ સુદી ૧૦ને સોમવારે શ્રી અચલગચ્છ મહાદુર્ગ (કિલ્લા)માં, મહારાજાધિરાજ શ્રી જગમાલના વિજયવંતા રાજ્યમાં, સંઘવી સાલિગના પુત્ર સંઘવી સહસાએ કરાવેલ શ્રી ચતુર્મુખમંદિરમાં અમુક કરાવેલ અમુક બિંબની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. ભદ્રપ્રાસાદમાં| (લે. ૪૭૧) શ્રી સુપાર્શ્વબિંબ શ્રીસંઘે કરાવ્યું. (લે. ૪૭૩) શ્રી આદિનાથ બિંબ સંઘવી શ્રીપતિએ (લે. ૪૭૪) શ્રી આદિનાથ બિંબ સંઘવી સાલિગની બીજી ભાર્યા નાયકદેએ (લે. ૪૮૨) શ્રી પાર્શ્વનાથબિંબ સમસ્ત સંઘે (લે. ૪૮૩) + (લે. ૪૮૪) શ્રી આદિનાથબિંબ સંઘવી કૃપા તથા ચાંડાએ કરાવ્યું,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org