SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૯૫ આબુના જળમંદિરોનાં શિલાલેખોમાં ઉલ્લેખિત રાજવીઓ અને મંત્રીઓ પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી (જૈન ધર્મના) ઇતિહાસના એક અગત્યના સાધન તરીકે પ્રાચીન ગ્રંથો, દાનપત્રો, જૂના સિક્કાઓ ઉપયોગી છે તેમજ પ્રાચીન ગ્રંથો પરની પ્રશસ્તિઓ, પ્રાચીન મંદિરો સંબંધી શિલાલેખો, રાસાઓ, પટ્ટાવલીઓ, તામ્રપત્રો વ. ઉપયોગી છે. આજથી સિત્તેર વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ “શ્રી અર્બુદ–પ્રાચીન–જૈન-લેખસંદોહ (ભાગ બીજો) ગ્રંથ : સંગ્રાહક-સંપાદક મુનિરાજ શ્રી જયન્તવિજયજીના ધર્મપ્રેમ અને ઇતિહાસપ્રેમને અભિવ્યક્ત કરતો વિ.સં. ૧૯૯૪નો આ ગ્રંથ અનેક રીતે મહત્ત્વનો છે. આ લેખમાલાની રજૂઆત કરનાર પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા, તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે. જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા પછી કવિશ્રી બોટાદકર કોલેજ-બોટાદ, પછી સી.એન. કોમર્સ કોલેજ-વિસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કોલેજ, જંબુસરમાં અધ્યાપક, હાલમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વ.માં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાના સામયિકોમાં લેખ પ્રકાશિત થયા, જેના ફળસ્વરૂપે ડૉ. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના “આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા ૬ જેટલાં રેડિયો પ્રવચનો આપ્યાં છે. સ્તંભેશ્વર તીર્થ (કાવી-કંબોઈ) અંગે ઓડિયો-વિડિયો સી.ડી. બનાવવામાં યોગદાન આપ્યું. કેન્દ્ર દ્વારા નિયુક્ત ‘આકાશવાણી'ના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૧૯૯૩) સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આર્થાઈઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે શિક્ષણ સાથે સમાજસેવા અને લેખનપ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાં-મોટાં ત્રેવીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭માં ના. માહિતી નિયામકશ્રીની કચેરી–ભરૂચ દ્વારા પ્રકાશિત “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે. તાજેતરમાં તેમને ભરૂચ જિલ્લા “હેરિટેજ કમિટી'માં લેવામાં આવ્યા છે. હાલ મુંબઈ સ્થિત શ્રી હર્ષદભાઈ શેઠની વી.સી.ડી. “જન્મભૂમિ જંબુસર : એક ઝલક'ના આલેખનમાં પ્રા. બી. આર. ત્રિવેદીએ સહયોગ આપ્યો છે. લગભગ પચીસેક પુસ્તકોમાં તેમણે પ્રકરણો લખ્યાં છે. પ્રા. બી. આર. ત્રિવેદીનું નમ્રપણે માનવું છે કે ઇતિહાસપ્રેમી, સંસ્કૃતિપ્રેમી અને ધર્મપ્રેમી સંશોધકો પોતાના શોધનિબંધો માટે મુનિરાજ શ્રી જયંતવિજયજી જેવાના ગ્રંથોને ધ્યાનમાં રાખીને આગળ વધશે તો સુંદર દિશા સાંપડશે. સરનામું : પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી, ૨૫-જયમહાદેવનગર, જંબુસર, જિ. ભરૂચ-૩૯૨ ૧૫૦. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy