SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ ધન્ય ધરા: ભવ્ય જિનાલયનું નિર્માણ પહાડ નીચે ચાલુ કરાવ્યું. ચાર વર્ષ સુધી આ જિનાલયનું કામ ચાલ્યું. ગગનચુંબી ભવ્ય જિનાલય તૈયાર થતાં વિ.સં. ૩૩૧ વૈશાખ સુદ ૧૦ના દિવસે શુભમુહૂર્તે આચાર્ય દેવસૂરિજી પોતાનાં ૧૦૦ શિષ્યો સાથે પધાર્યા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. પ્રતિષ્ઠા થયા પછી અધિષ્ઠાયક દેવની પૂર્ણકૃપાથી ચારેબાજુ જીરાવલા તીર્થનો પ્રભાવ-ચમત્કાર વ. થવા માંડ્યા. ૪) જિનાલયને લગભગ ૪00 વર્ષ પૂર્ણ થતાં અતિ જીર્ણ અવસ્થામાં જિનાલય થવાથી વિ.સં. ૭૬૩માં જેતાશા ખેતાશા મેરૂસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં 10,000 વ્યક્તિઓ સાથે સંઘ લઈને આવેલા. તે સંઘપતિએ ગુરુના આદેશથી આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવેલ. 5 આ જીર્ણોદ્ધારને પ૭૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે વિ.સં. ૧૦૩૩માં સહજાનંદ સૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી તેતલીનગર નિવાસી હરદાસ શેઠે બીજો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ વખતે જીરાવલામાં ૧૮૦૦ જૈનોનાં ઘરો હતાં. એ પણ બધા સુખી સમૃદ્ધિશાળી શ્રાવકો હતા. એક ચમત્કાર અને પાર્શ્વનાથ પ્રતિમાની પ્રાપ્તિ જીરાપલ્લી ગામમાં એક કછુઆ નામનો બ્રાહ્મણ હતો તે ઘણો જ ધર્માત્મા અને ક્રિયાકાંડવાળો હતો. તેની ગાય એકદમ સફેદ હતી. દરરોજ ગોવાલો એની ગાયને ચરાવવા જતો હતો, પરન્તુ એ ગાય સાંજે ઘેર આવે ત્યારે દૂધ આપતી ન હતી. એ ગાય દરરોજ પોતાની મેળે એક નિશ્ચિત જગ્યાએ જઈને દૂધ ઝરાવતી, પરન્તુ તે વાતની ગોવાળાને ખબર નહીં પડી. કડુઆ બ્રાહ્મણને દૂધ પ્રાપ્ત નહીં થવાથી દુઃખી થઈને ગામના સમૃદ્ધિશાળી શેઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ ધનાસાને વાત કરી. ધનાસાએ તે યોગ્ય મૂલ્ય આપી તે ગાય વેચાતી લઈ લીધી. પછી તે ધનાસા શેઠ તે ગાયની પાછળ પાછળ ગયા, જ્યાં દૂધ ઝરાવે તે જગ્યા જોઈ લીધી. હવે ત્યાં શું હશે એનાં માટે ધનાસા શેઠ જિનાલયમાં જઈ સાધના કરવા લાગ્યા. ત્યાં અધિષ્ઠાયક દેવે કહ્યું કે જે સ્થળે ગાય દધ કરાવે છે તે સ્થળે પાર્શ્વનાથની મતિ છે. આજથી પાંચ દિવસ પછી તે મૂર્તિ તું કઢાવજે. કારણ આ જિનાલયમાં જે મૂર્તિ છે તે ખંડિત દશામાં છે માટે આ મૂર્તિને તું જિનાલયના બીજા ભાગમાં સ્થાપન કરી અને આ જે મૂર્તિ નીકળશે તેને મૂલનાયક રૂપે સ્થાપિત કરજે. ધન્નાસા શેઠે પણ પાંચ દિવસ પછી આ વાત સંઘ સમક્ષ કરી. સંઘ સાથે તે સ્થળે જઈ પ્રતિમા બહાર કાઢી ધામધૂમથી પાર્શ્વનાથની પ્રતિમાનો પ્રવેશ કરાવ્યો. સ્વપ્નાનુસાર તે પ્રતિમાને મૂલનાયક તરીકે સ્થાપી. એ વખતે ઉપકેશ ગચ્છના દેવગુપ્તસૂરિ તથા જીરાવલ્લી ગચ્છના રામચન્દ્રસૂરિની નિશ્રામાં વિ.સં. ૧૪૨૧માં જેઠ સુદ૧૦ના દિવસે નવા મૂલનાયકની પ્રતિષ્ઠા થયેલ. કહેવાય છે કે વિ.સં. ૧૪૨૧થી ૧૮૫૧ સુધી ઘણા ગચ્છના ઘણા આચાર્યોએ આ જીરાવલા તીર્થ ચાતુર્માસ સાધનાઆરાધના વ. કરેલ. આચાર્ય શ્રી રંગવિમલસૂરિએ સંઘ પાસે ૩૦,૨૧૧ રૂપિયા અપાવી શિખર જીર્ણ થતાં શિખરનો જીર્ણોદ્ધાર કરાવેલ. વર્તમાનકાળમાં પ્રાચીન શ્રી જીરાવલા પાર્શ્વનાથને મૂલનાયક રૂપે સ્થાપવા માટે જીર્ણોદ્ધારનો નિર્ણય જીરાવલા ટ્રસ્ટના ટ્રસ્ટીગણે ઘણા આચાર્યો ભગવંતની સલાહ લઈને કરેલ. હાલ જીરાવલા તીર્થના જીર્ણોદ્ધાર માટે મુખ્યતઃ ૧. આચાર્ય ગુણરત્નસૂરિ, ૨. આચાર્ય યશોવિજયસૂરિ, ૩. આચાર્ય નવરત્નસાગરસૂરિ, ૪. આચાર્ય રત્નાકરસૂરિ. આમ ચાર આચાર્ય ભગવંતના સલાહ-સૂચન મુજબ જીર્ણોદ્ધાર ચાલે છે. પાંચ શિખર બાવન દેરીઓથી યુક્ત ભવ્ય ગગનચુંબી જિનાલય લગભગ ૮૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. પ્રતિષ્ઠા વખતે ભારતભરના સમરત આચાર્યોને ભેગા કરી જીરાવલા દાદાને ગાદીનશાન કરવાની ભાવના છે. | જીરાવાલા તીર્થમાં થયેલાં મહાન ચાતુમસો II As સર્વપ્રથમ અચલગચ્છના આચાર્યશ્રી મેરૂતુંગસૂરિએ ૧૫૨ શિષ્ય સાથે ચાતુર્માસ કરેલ અને જીરાવલા પાર્શ્વનાથ સ્તોત્રની રચના આજ આચાર્યો કરેલ. 8 ત્યાર પછી આગમગચ્છના આચાર્યશ્રી હેમરાજસૂરિજીએ પોતાનાં ૭૫ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ. ) ત્યાર પછી ઉપકેશ ગચ્છના આચાર્ય શ્રી દેવગુપ્તસૂરિજીએ ૧૧૩ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ. , ત્યાર પછી આગમગચ્છના આચાર્ય શ્રી દેવરત્નસૂરિજીએ ૪૮ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy