SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ આરસપહાણના કોતરણીવાળા સ્તંભોનું દૃશ્ય રાણકપુર આ મંત્રીએ ૧૨ બાદશાહોને જીતીને ૧૨ છત્ર ગ્રહણ કર્યાં હતાં. “કુંભારિયાના જિનમંદિર માટે વિમલમંત્રીએ પાયા ખોદાવ્યા ત્યારે પાપાને ભરવા માટે જ શાંઠો ભરીને સોનારૂપાની ઈંટો લાવેલ તે બધી પાયામાં ભરી હતી. કુંભારિયાજમાં પ્રથમ ૩૬૦ જિનાલયો હતાં. (વિમલ પ્રબંધ) અચલગચ્છીય પૂ. મુનિશ્રી વિમલસાગરજી મ.સા.એ વિમલમંત્રીનો ૧૦૦ ગાયાનો શ્લોક રચ્યો છે, જે પૂ. મુનિ શ્રી સર્વોદય સાગરજીના સંગ્રહમાં છે. માંડવગઢના પેથડમંત્રીએ જિનાલયજિનપ્રતિમા માટે આપેલ અનન્ય યોગદાન Jain Education International ધન્ય ધરા ૮ ૫૬ ધડી સુવર્ણની બોલી બોલીને ગિરનાર તીર્થને શ્વેતામ્બર બનાવેલ અને ઇન્દ્રમાળા પહેરેલ. આ બોલી બોલ્યા પછી ૧ ધડીમાં ૧ યોજન ચાલે તેવી સાંઢ ઉપર સુવર્ણ આવ્યા પછી સુવર્ણ ભરીને જ ત્રીજા દિવસે અન્નજળ ગ્રહણ કરેલ. ૫૬ ધડી એટલે ૫૬૦ મણ સુવર્ણ થાય. * L * 2 20 - – ૨૧ ધડી સોનું બોલી સિદ્ધાચલ તીર્થે જિનાલય બંધાવેલ. ૭ કરોડ દ્રવ્ય ખર્ચી આગમો લખાવી જ્ઞાનભંડાર બનાવેલ. ૧૧ લાખ દ્રવ્ય ખર્ચી શત્રુંજયનો સંઘ કાઢેલ, જેમાં સાતલાખ માણસ હતા. બાવન જિનાલય અને ૧૨,૦૦૦ ગાડાં હતાં. શત્રુંજયમાં ૨૫ ધડી સુવર્ણ ખર્ચ કરેલ. ૧૮ લાખ થ ખથી માંડવગઢમાં ૭૨ દેરીવાળુ જિનાલય ભોંધાવેલ નમસ્કાર મહામંત્રનું ભવ્ય ઉજમણું કરેલ, એ ઉજમણામાં ૬૮ સોનાનાં ગોલા મોતી-પરવાળાથી ભરીને મૂકેલ. ૬૮ પ્રકારનાં સર્વ જાતિનાં ફ્ળો, ૬૮ સર્વ જાતિનાં સોના રૂપાનાં નાણાંઓ, ૬૮ રેશ્મી વસ્ત્રો, ૬૮ ધજા આદિ મૂકેલ. જ્યારે પેથડ મંત્રીએ સમકિત સ્વીકારેલ ત્યારે ૧,૨૫,૦૦૦ સાધર્મિકોને 1 લાડુમાં 1 સોનામહોર મૂકીને અર્પણ કરેલ. સવા કરોડ દ્રવ્ય દાનશાળામાં વાપરેલ. પેથડ મંત્રીએ ૩૨ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ. પેથડમંત્રી પખી પ્રતિક્રમણ કરવા માટે માંડવગઢથી ૪ કોસ દૂર સુધી પણ જઈને સાધુ મ.સા.ની નિશ્રામાં કરતા હતા. આ મંત્રીએ માંડવગઢનાં ૩૦ જિનાલયો ઉપર સોનાના કળો ચઢાવેલ. ભીમ શ્રાવક જયારે ચતુર્થ વ્રત સ્વીકારીને ૭૦૦ પૂજાનાં વસ્ત્રોની લહાણી સાધર્મિકોને કરે છે, તેમાંથી એક જોડ પેડમંત્રીને મોકલે છે, ધડમંત્રી તે જોડને હાથી ઉપર પધરાવી વરઘોડાની સાથે બહુમાનપૂર્વક પોતાના ઘેર લાવ્યા તેમાં ૧૦,૦૦૦નો ખર્ચ થયેલ. ચતુર્થવ્રતધારીની પૂજાની જોડ ઘેર આવવાની ૩૨ વર્ષની ઉંમરે પેથડમંત્રી પણ ચતુર્થવ્રત સ્વીકારે છે. ચતુર્ય વ્રત સ્વીકાર્યા પછી મંત્રીના શરીરનું તેજ એટલું વધી ગયું કે એમના પગ ધોઈને પાણી પીવાથી રોગ ચાલ્યો જતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy