SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ એક વખત જૈનમુનિના ઉપદેશથી સિદ્ધગિરિની યાત્રાએ ગયા. અનુક્રમે દીવબંદર પહોંચ્યા. એ વખતે રત્નસાર નામનો વેપારી દીવ બંદર નજીક આવ્યો. એ વખતે બંદરમાં જોરદાર પાણીનો ભરાવો અને મહાવંટોળિયો વધી જવાથી વહાણો ડૂબવા માંડ્યાં. રત્નસાર ગભરાવા લાગ્યા. પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરી મરવાની તૈયારી કરવા લાગ્યા. તેટલામાં પાર્શ્વપ્રભુની અધિષ્ઠાયિકા દેવી તે રત્નસાર શેઠને અટકાવે છે અને કહે છે “હે વત્સ! સાંભળ, આ દરિયાના તળિયે કલ્પના પાટિયાથી બનાવેલી મહામૂલ્યવાન પાર્શ્વનાથની પ્રતિમા છે, તે બહાર વજે અને અયોધ્યાનગરીયી. તીર્થયાત્રા કરવા નીકળેલા અજયરાજાને આપજે, આ પ્રતિમાજીના રત્નજલથી રાજાનો રોગ શમી જશે. તમે અને રાજા બંને ભયમુક્ત બનશો એમ કહી અદૃશ્ય થઈ ગઈ. દેવીનાં વચનથી . રત્નસાર આશ્ચર્ય પામ્યો. જરીવાળા તંબૂમાં પ્રતિમાજી પધરાવી. અજયરાજાને સમાચાર મોકલ્યા. અજયરાજા પણ વધામણી સાંભળી ખુશ થયા અને ઇનામ આપ્યું. તે પ્રતિમા રાજાને ભેટ આપી અને બધી વાત કરી. રાજાએ પણ સ્વાગત સાથે પ્રતિમાનો નગરપ્રવેશ કરાવ્યો અને સ્નાત્રજલ મસ્તકે લગાવ્યું. આમ છ મહિના સુધી આ પ્રયોગ કરતાં અજયરાજાના ૧૦૮ રોગો નાશ થયા. રોગ નાશ થયા પછી અજયરાજાએ દીવ બંદરની નજીક અજયનગર વસાવેલ. ત્યાં વિશાળ જિનાલય બંધાવી જે પ્રતિમા પ્રાપ્ત થઈ તે પ્રતિમા પધરાવી. અજાહરા પાર્શ્વનાથ નામ રાખ્યું. પછી ગુરુભગવંતનો સંયોગ થતાં પુત્ર અનંતરથને રાજ્ય સોંપી પોતે દીક્ષા લીધી. આ પ્રતિમા ધરણેન્દ્રના ભવનમાં છ લાખ વર્ષ સુધી પૂજાણી હતી. બેરલોકના ભવનમાં ૬૮૦ વર્ષ સુધી પૂજાણી. વર્ણોના ભવનમાં સાત લાખ વર્ષ સુધી પૂજાણી, એટલે આ પ્રતિમા તેર લાખ વર્ષ સુધી પુરાણી અજયરાજાને પ્રાપ્ત થયેલ. ત્યારપછી ત્રણ લાખ વર્ષ પસાર થયાં પછી નમિનાથ પ્રભુનું શાસન આવ્યું. ત્યારપછી પાંચ લાખ વર્ષ પછી નેમિનાથનું શાસન આવ્યું. નેમિનાથ પ્રભુના નિર્વાણને આજે ૮૬,૪૯૨ વર્ષ થયાં, એટલે લગભગ ૨૨ લાખ વર્ષ પહેલાં આ પ્રતિમા મલ્લિનાથના શાસનમાં બની લાગે છે. આ નગરમાં વિ.સ. ૧૯૪૦માં ખોદકામ કરતાં બાવીસ પ્રતિમાજી નીકળી હતી. આ અજારાતીર્થમાં પ્રાચીન કાંસાનો ઘંટ છે. Jain Education International (સવની સંગ્રહ. કુદરતની વચ્ચે શોભતા ધરણવિહારનું સર્વગ્રાહી બાહ્ય દૃશ્યાણકપુર આબુ ઉપર જિનવર જુહાર ગુજરાતના રાજા ભીમદેવના મુખ્યમંત્રી વિમલશાહ હતા. આ વિમળશાહ મંત્રીએ સં. ૧૧૦૦માં આબુજી નીચે ઉપર જિનાલયનું નિર્માણ કરેલ. ૬૮૫ - વિમલમંત્રીને વિમલવસહિ નામનું જિનાલય બાંધતાં ૧૪ વર્ષ લાગેલાં. – આ જિનાલયને બાંધવા માટે દરરોજ ૧૫૦૦ કારીગર અને ૫૨૦૦ મજૂરો કામ કરતા હતા. a આ જિનાલયની જગ્યા લેવા માટે ૪ કરોડ ૫૩ લાખ ૬૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયેલ. - જમીન લેવા માટે જમીન ઉપર ચોરસ સોનામહોર પાવરી બ્રાહ્મણોને આપી પછી જગ્યા પ્રાપ્ત થયેલ. * આ જિનાલયમાં મૂલનાયક આદિનાથ છે. માટે શત્રુંજયાવતાર નામથી જિનાલય પ્રસિદ્ધ છે. આ જિનાલયની પાછળ ૧૮ કરોડ ૫૩ લાખનો ખર્ચ થયેલ. વિમલમંત્રીનો રાજાશાહી ઠાઠ કૈંક વિમલમંત્રીના ભોજનઅવસરે ૮૪ શ્રેષ્ઠ કાંત્રિક ઢોલ વાગતા હતા. – વિમલમંત્રીના પ્રતિપ્રયાણમાં ૨૭ લાખ દ્રવ્યનો વ્યય થતો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy