SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ પાંચ ક્રિષ્ના અને ચાલીશ આસપાસ શિષ્યા-પ્રશિ આચિતોનો વિશાળ પરિવાર ધરાવનારાં આ સાધ્વીવર્યા આગળ વધીને એક પાવનીય પણે પ્રતિનીના પાવનકારી પદે પ્રસ્થાપિત થયાં અને પૂજ્યપાદ ભારતવર્ષાલંકાર જૈનશાસનના દિવ્યજ્યોતિરિી તપાગચ્છાધિરાજ સૂરિચક્રચક્રવર્તી આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મહારાજાધિરાજાના સુવિશાળ-સુવિશુદ્ધ અને સુવિખ્યાત સમુદાયમાં એક અગ્રગણ્ય અનુપમ આરાધક, આદરણીય સ્થાન શોભાવનારાં એક શ્રેષ્ઠશ્રમણીના સ્વરૂપમાં ઝળહળી રહ્યાં હતાં. છેલ્લાં ૧૬ વર્ષથી તેઓશ્રીના પગની શારીરિક તકલીફના કારણે બૃહદ્યાીગઢ તેઓશ્રીને ખુરશીમાં બેસાડી ખભે ઉપાડી અને વિહારાદિ કરાવતાં-ખુરશી ઉપાડવા માટે પણ સાધ્વીગઢ પડાપડી કરતાં.....અરે......શત્રુંજયગિરિરાજની યાત્રા પણ સ્વયં સાધ્વીવૃંદે ખુરશીમાં ઉપાડીને ઘણી કરાવી છે. આ ખરેખર! તેઓનું અજબ-ગજબનું પુણ્ય સાથે નિસ્પૃહતા પણ અપરંપાર હતી. આવા અનેકાનેક ગુલાબોથી મઘમઘતા વનઉપવનનાં સ્વામી, ૨૫૦થી વધુ અંક ધરાવતા વિશાળ શ્રમણવૃન્દનું સુસફળ નેતૃત્વ અદા કરતાં પૂ. સા. શ્રી હંસશ્રીજી મહારાજ પોતાના શિષ્યાવૃન્દથી વહન કરતાં અમદાવાદ-સાબરમતી સૂરિરામ-સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગને નજરે નિહાળવા પધાર્યાં હતાં પરંતુ આયુષ્યનો કોઈ ભરોસો નથી. પ્રતિષ્ઠા પૂર્વે જ પો. વદ ૭+૮ ના તેઓ સુવિશાળ ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રી. મહોદયીઘરજી મહારાજાની પાવન છત્રછાયામાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામી ગુરુભક્તિનો એક આદર્શ ઇતિહાસ રચી ગયાં. ધન્ય હો સાઘ્વીરત્ના પ્રવર્તિની પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ. ને! પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ.સા. ધર્મનગરી. અમદાવાદમાં વિ.સં. ૧૯૬૭ના આસો વદ ૧૨ (વાઘબારસ)ના દિને જન્મ થયો. વાય જેવી શૂરવીરતા દ્વારા કર્મ સત્તાને ધૂળ ચાટતી કરી દેવાના લક્ષણ સાથે જાણે જન્મ્યા ન હોય! માતા ચંદનબેનના ખોળે અને પિતા રૂપચંદભાઈના હાથે રમેલી ઉછરેલી આ બાળકી મંજુલા ઉત્તરોત્તર ધર્મ સંસ્કાર પામ્યા. ગુણોમાં ઉદાતા, સહૃદયતા અને ગંભીરતા તો જાણે સાથે લઈ આવ્યા ન કોય!! બગીચાની માખી ઉકરડામાં બેસી શકે નહીં તેમ Jain Education International વિરાગની વાટે સંચરવા જન્મેલો આત્મા રાગના ખાબોચિયામાં ડૂબી કેમ શકે? કુટુંબીના આગ્રહવશે સંસારના બંધનમાં બંધાવા છતાં સતત સંઘર્ષરત રહી સ્વજનોની અનુમતિ મેળવી વિ.સં. ૨૦૦૨ વૈશાખ સુદ ૧૧ વડોદરા મુકામે પ.પૂ. સાધ્વીજી શ્રી કલ્યાણશ્રીજી મ. (ડભોઈવાળા)ના ચરણોમાં જીવન સમર્પિત કરી. સાધ્વીજી શ્રી રોહિતાશ્રીજી મ. બન્યા. અષ્ટ પ્રવચનમાળાનું પાલન, મહાવ્રતોમાં સાવધાની અને જ્ઞાનાદિમાં સતત લીન બન્યા.....અત્યંત સરળ સ્વભાવ, ભદ્રિક હૃદય, સદા પ્રસન્ન મન એમની અનેરી પોંચાન બની છે. કાળક્રમે બીમાંથી વડલો પા થાય તેમ ટ૦ થી અધિક શિષ્યપ્રશિષ્યાઓના સમુદાયના સર્જક અને સંવર્ધક બન્યા. શિષ્યપ્રશિષ્યાઓના બાહ્ય-આત્યંતર જીવનના ઉત્તમ શિલ્પી બની રહ્યા, હિતશિક્ષા કે ઠપકો પણ એવી મધુર રીતે આપે કે સાંભળનારની પ્રસન્નતા સહેજ પણ ઘટે નહીં. માતાનું વાત્સલ્ય અને પિતાનો પ્રેમ બન્ને વરસાવનારા તેઓ મહાત્માઓની મક્તિ માટે સદૈવ તત્પર રહેતા. આરાધના અને ઉપયોગમાં સતત અપ્રમાભાવે રમતા. તે જ પ્રમાણે સ્વ-પરની સમાધિ માટે ખૂબ જ સાવધાન રહેતા. અનેક નાની-મોટી વા વગેરેની બિમારીઓ વચ્ચે પણ સહનશીલતાના યોગે અપૂર્વ સમાધિભાવ અને પ્રસન્નતા ઝળકતા જોવા મળતા. પુણ્ય-પ્રભાવ અને પ્રતિભા પણ જબરદસ્ત.....શારીરિક પ્રતિકૂળતાના યોગે છેલ્લા ૧૦ વર્ષથી પિંડવાડામાં જ સ્થિરવાસ રહેવા છતાં નિઃસ્પૃહતાના યોગે સંઘના તમામ સભ્યોના ઉછળતા બહુમાન ભાવને પ્રાપ્ત કર્યો હતો. ૬૬૯ આવું પંચાચારમય જીવન જીવી ૯૧ વર્ષે પિંડવાડા મુકામે વૈશાખ સુદ ૧૦ તા. ૨૧-૫-૨૦૦૨ના સમાધિમય રીતે સ્વર્ગવાસ પામ્યા. પંચાચારમય જીવન જીવી જનારા સાધ્વીરત્નાના ચરણોમાં ભાવભર્યા વંદન. પ. પૂ. વિદુષી સાધ્વીજી શ્રી રોહિણાશ્રીજી મહારાજ સ્થંભન તીર્થની પુણ્યભૂમિમાં માતુશ્રી મણિબહેનની કુક્ષિએ વિ.સં. ૧૯૭૦માં જન્મ થયો. પૂર્વભવના તથા માતુશ્રીના ગળથૂથીના સંસ્કાર તથા પૂજ્ય ગુરૂ ભગવંતોના પ્રવચન અને શ્રવણથી, સાધ્વીજી ભગવંતોના સત્સંગના પ્રભાવે ધર્મશ્રદ્ધા દૃઢ બની. આચારોનું પાલન ચુસ્તપણે કરતા. મોહાધીન પરિવારજનોએ દીક્ષાની ભાવના જોતાં ૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy