________________
૬૬૮
ધન્ય ધરાઃ
૧૦૫ વર્ષની પાકટવયે પણ તમામ ઇન્દ્રિયો સતેજ છે. સુખશીતલતાને જીવનમાં ક્યાંય અવકાશ નથી આપ્યો. સંથારામાં ઉંમરના કારણે વધુ ઉપાધિનો ઉપયોગ કરવો પડે તે પણ તેમને ખટકે છે. એ માટે ક્યારેક હૈયાવરાળ પણ સાંભળવા મળતી હોય છે. આંતરિક સભાનતા-સજાગતાનું આ પ્રતીક છે.
૫. સાધ્વીજી શ્રી હેમશ્રીજી મ. હીમ જેવાં શીતલ છે તો હેમ જેવાં નિર્મળ સ્વચ્છ છે. સુવર્ણવર્ણ દેહછબી છે તો ચમકતી શાંતિ ચહેરા ઉપર છે. ચન્દ્ર જેવું સૌમ્યવદન છે.
ઓછું પણ અવસરે–અસરકારક-માર્મિક-વેધક બોલવું. છતાં હિતકર અને દ્વેષ ઊભો ન થાય તેવું બોલવું એ તેઓની આગવી વિલક્ષણતા છે. નિર્મળ સંયમજીવન એ તેઓનો વ્યક્તિ પરિચય છે. કરુણાપૂર્ણ દૃષ્ટિએ જેઓના દરિયાઈ દિલનો પરિચય છે. ક્રિયાની અપ્રમત્તતા એ જિનાજ્ઞાની વફાદારીનો અને સમ્યગ્દર્શનની નિર્મળતાનો પરિચય છે. જ્ઞાન-સ્વાધ્યાયની રસિકતા એ આંતરિક પરિણતિનો પરિચય આપે છે. વધારે તો શું કહીએ તેઓના ગુણો ગાવા માટે કાગળ અને કલમ વામણાં લાગે છે.
પૂજ્યશ્રીનું જીવન એક વટવૃક્ષ સમું ગુણસમૂહની શાખાપ્રશાખા, પત્ર-પુષ્પાદિથી સમૃદ્ધ છે. તેઓ પાસે આવનારને કંઈક વિશિષ્ટ જ અનુભૂતિ થાય છે. પૂજ્ય મહારાજજીનો ભદ્રક સ્વભાવ, સહજ સદા ખીલતા કમળ જેવું વદન, વિશાળ ભાવ, કરુણામૃત ઝરતાં નયનો, સુકોમળ વરદ કરકમલ, નાજુક-નમણું શરીર.....આ બધું અન્યને શાતા આપનારું, સમાધિ આપનારું, સમતામાં ઝીલાવનારું, અધ્યાત્મની ચેતનાને જગાડનારું, વાત્સલ્યનું અમપાન કરાવનારું છે!
તેઓ ઘનિષ્ટ ત્યાગ અને તિતિક્ષાની મૂર્તિ છે. વિશિષ્ટ સંયમમૂર્તિ છે. બલિષ્ઠ સમાધિમૂર્તિ છે. ઉત્કૃષ્ટ આરાધકમૂર્તિ છે. પ્રકૃષ્ટ પ્રેરણામૂર્તિ છે. તારક આજ્ઞાપાલક મૂર્તિ છે. ગુણાનુરાગની મૂર્તિ છે. તેઓને દુ:ખની આહ નથી, સુખની ચાહ નથી. કીર્તિની કામના નથી, યશની ચાહના નથી, પદનું પ્રલોભન નથી, સન્માનનું આકર્ષણ નથી, અપમાનની અકળામણ નથી. હા, પાપની આહ છે, ધર્મની ચાહ છે, મુક્તિની કામના છે, ગુણોની ચાહના છે. આજ્ઞાપાલનનું પ્રલોભન છે. ગુણોનું આકર્ષણ છે. દોષોની અકળામણ છે છતાં જેઓ શાંત-પ્રશાંત-ઉપશાંત બનીને શ્રમણતત્ત્વના ઉધાનમાં વિચરી રહ્યાં છે.
આ ગુણીની સૌભાગી નિશ્રામાં, તેઓશ્રીના લઘુ
ગુરુભગિની પરમવિદુષી, યોગક્ષેમકુશળ પૂ. સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ. જેવાં જ્ઞાની–ધ્યાની–આદર્શ—અગ્રગણ્ય શ્રમણીરત્ન છે તો બીજી તરફ વર્ધમાનતપની પૂર્ણાહુતિ કરનાર અને પૂર્ણતાના આરે પહોંચનાર તપસ્વી શ્રમણીરત્નો છે. તે જ રીતે જ્ઞાન-ધ્યાનમગ્ન, સેવા-વૈયાવચ્ચાદિ દ્વારા અહોભાવ જગાડનારાં શ્રમણીરત્નો પણ છે.
આવા વિરલવિભૂતિ સમા, વિશિષ્ટ ગુણનિધિ પૂ. ગુરુણીજીનાં પાવન ચરણકમલમાં કોટિ કોટિ વંદન......અનંત અનંત નમન. પ્રવતિની પૂ. સાધ્વીજીશ્રી હંસશ્રીજી મ.
જૈનશાસનના વિશાળ પટાંગણમાં શોભતા સુરિરામના ‘આરામ' માં અનેક આરાધકોનાં આમ્રવૃક્ષો આરાધનાની ઘેઘૂર ધરાથી શોભી રહ્યાં છે. તેમાં શોભતાં સાધનાના સુરવૃક્ષ સમાં સાધ્વીશ્રી હંસશ્રીજી મહારાજ પોતાની સાધના સૌમ્યઆભાસુપ્રસન્નતા-સ્વાધ્યાય મગ્નતા-સદામૌન પ્રાયઃ વૃત્તિ આદિ પોતાની આગવી ગુણસમૃદ્ધિ દ્વારા શ્રમણી વૃંદમાં એક વિશિષ્ટ અસ્મિતા ધરાવતાં હતાં.
ગરવા ગૌરવ દેશમાં ગૌરવવંતા છાણી ગામમાં પુણ્યવાન પિતા હિંમતલાલ તથા માતુશ્રી મંછાબહેનની રત્નકુક્ષિએ જન્મીને તેઓએ નામ ધારણ કર્યું હસમુખબહેન!
જિન જિનાજ્ઞા અને જિનાજ્ઞાનુસારી સાધુસાધ્વીજી ભગવંતોએ હસમુખબહેનની મોહમસ્તીને મહાત કરી નાખી તેમાં પણ સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં સૌમ્ય દર્શનથી તો જાણે તેઓ સમ્યગ્દર્શનમાં સફળતા પામી ચૂક્યા! સંસારમાં સુસ્તી કર્મ સાથે કુસ્તી અને મોક્ષની મસ્તી આ ત્રિભેટે ઊભેલાં મુમુક્ષુ હસમુખબહેન શ્રી દર્શનશ્રીજી મ.નાં આશિષ મેળવી, સંસારના શણગાર ઉતારી અણગાર જીવનના શણગાર સજી, સા. હસશ્રીજી મ. નામ ધારણ કરી મહાપુરુષોનાં મહિમાશાળી આશિષ પામી તેઓ પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ.નાં શિષ્યા બની સંયમજીવનમાં પ્રવેશ્યાં.
મૌનમુદ્રા એ તો જાણે તેઓશ્રીનો મુદ્રાલેખ બની ગયો અને અપ્રમત્તભાવ એ તો જાણે તેઓશ્રીનું અપરનામ બની ગયું!
સંયમપર્યાયની વૃદ્ધિની સાથે પરિણામની વૃદ્ધિ પણ આત્મસાતુ કરતાં સા. હિંસશ્રીજી મ. સમુદાયમાં એક અદના આરાધક તરીકે પંકાયાં. ગુરુજનની સેવામાં સદા સમર્પિત રહેનારા આ સાધક મહાત્માને સ્વયં ગુરુતા પ્રાપ્ત થવા લાગી.
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org