________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૬૫૭
શાસનનાં તેજસ્વી લક્ષણોઃ શ્રમણીરો
ડૉ. કવિન શાહ ઃ બિલિમોરા
પ્રભુના શાસનમાં જેમ શ્રમણોનું યોગદાન છે તેમ શ્રમણીઓએ પણ નામનાની કામના વિના પ્રભુના શાસનને અજવાળવાનું કામ કર્યું છે. એ વાત તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીશક્તિ જાગે તો ઘર આખું આગળ આવે. ઘરઘરમાં અને ઘટઘટમાં ધર્મરંગે પ્રસરાવવાનું કામ, આચારોના વારસોને ચોલ મજીઠ રંગ લગાડવાનું કામ આ શ્રમણી - ભગવંતોએ જ કર્યું છે.
જૈનશાસનને ૧૪૪૪ ગ્રંથોની જે અણમોલ ઉમદા ભેટ સાંપડી તેના મૂળમાં હરિભદ્રસૂરિજી મ.ને પ્રભુના શાસનમાં લઈ આવવાનું કામ કરનારાં યાકિની મહત્તરા’ સાધ્વી જ હતાને?
અભિમાનના હાથી ઉપર આરૂઢ બંધુ મુનિ બાહુબલિને એ હાથી ઉપરથી નીચે ઉતારીને કેવળજ્ઞાનનો અણમોલ ઉપહાર પ્રાપ્ત કરાવનાર બહેનો સાધ્વીજીઓ જ હતી ને?
ધંધુકાની ધરતી પર છેલ્લી નિર્ધામણાની વેળાએ પોતાના પુત્રશ્રેષ્ઠ સમા આચાર્ય હેમચંદ્રાચાર્ય મહારાજા પાસે ૩ કરોડ શ્લોકની રચનાનો સંકલ્પ મેળવનાર માતા પાહિની દેવી પણ સાધ્વી જ હતાં ને?
શય્યાતર શ્રાવિકાને ત્યાં મોટા થયેલા વજસ્વામી સાધ્વીજીના ઉપાશ્રય અથવા તો ઘોડિયામાં સૂતાં સૂતાં સાધ્વીના મુખેથી સાંભળીને શું અગિયાર અંગો હોતા ભણ્યા? આ શ્રમણીરત્નોએ કમાલ કરી છે. પઠન, પાઠન અને સ્વાધ્યાયના ઘોષને જીવંત બનાવી રાખ્યો તો શ્રમણોના યોગદાનમાં પણ સહયોગી બનીને પ્રભુના શાસનનો જયજયકાર કરાવ્યો, સંઘની શ્રાવિકાઓમાં આરાધના કરાવી, તો સાથે સાથે દુર્ગમ અને દુષ્કર એવાં ક્ષેત્રોમાં વિચરણો કરીને સમાજને લીલોછમ બનાવી રાખ્યો જેમનાં કાર્યોની નોંધ લખતાં ગ્રંથનાં પાનાં ઓછાં પડે. સાક્ષાત સરસ્વતી સમી ઉપમાને વરેલાં આ શ્રમણીઓને ક્યા શબ્દોથી બિરદાવીએ?
શ્રી ચતુર્વિધ સંઘમાં સાધ્વીઓનું અને શ્રાવિકાઓનું સ્થાન શ્રમણસંસ્કૃતિએ સ્વીકારી પ્રતિષ્ઠા કરી એ વિરલઉત્તમ નમૂનો છે. રાજમહેલમાં રહેનારી રાજપુત્રી વસુમતિ તપસ્વીઓમાં અગ્રેસર બની ચંદનબાળા બની શ્રમણીસંઘને અજવાળતી ગઈ. પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી બ્રાહ્મી, સુંદરી વગેરે સાધ્વી પરંપરા તેજસ્વી નક્ષત્રની જેમ, જિનશાસનમાં આજ પર્યત દીપી રહી છે. શ્રાવિકા સુલસા માત્ર શ્રદ્ધાના બળે ભગવાન મહાવીર સ્વામીનાં ધર્મલાભ પામી શકી. આ સલસા આવતી ચોવીશીમાં ૧૫ તીર્થકર નિર્મમ નામે થશે. ચેલણા દેવાનંદા, પ્રિયદર્શના જેવી તારિકાઓની એક નક્ષત્રમાળા અહર્નિશ ઘૂમતી રહી છે. ત્રિશલામાતા પણ ઇતિહાસમાં અમર બની ગયાં.
વર્તમાનકાળનાં શ્રમણીઓ પ્રતિ દષ્ટિપાત કરીએ તો તેમના તપસ્વીપણાની, સ્વાધ્યાયરમણતાની, ક્રિયારૂચિની મધુરકંઠે ગવાતી સ્તુતિ અને સ્તવનો, સાધુ વૈયાવચ્ચભાવના, સ્ત્રીઓને ધર્મમાર્ગે જોડવા અને ટકાવવાની, શાસનનાં કાર્યોમાં પ્રેરણા દ્વારા ઉદાર હાથે ફાળો આપવાની ઇત્યાદિ ગુણોની પ્રશંસા કર્યા વિના રહી શકાય તેમ નથી.
આ ટૂંકી લેખમાળા રજૂ કરનાર ડૉ. કવિનભાઈ શાહ બિલિમોરાના વતની છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને સંશોધક છે. દક્ષિણ ગુજરાતની વિવિધ સંસ્થાએ એ પ્રસંગોચિત તેમનું બહુમાન કરી સમાન્યા છે. –સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org