________________
Face
આવા તો અનેક અભિગ્રહો પૂજ્યશ્રી અનેકવાર લેતા રહે છે. ૮૯મી ઓળી મીઠા વગરના ફક્ત મગથી ઠામ ચોવિહાર અવઢ આયંબિલ દ્વારા પૂર્ણ કરી!
ઓળી સિવાયના દિવસોમાં પણ દર મહિને ઓછામાં ઓછા ૨ ઉપવાસ, ૫ આયંબિલ તથા બાકીના દિવસોમાં એકાસણું હોય જ.
આ મહાત્મા સવારથી માંડીને પુરિમઢ સુધી નવકાર તથા સૂરિમંત્રનો જાપ મૌનપૂર્વક કરતા રહે છે. પુરિમડુ સુધી જાપ પૂર્ણ કર્યા પછી જ પચ્ચક્ખાણ પારે છે. સાંજે હંમેશાં સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલાં પાણહારનું પચ્ચક્ખાણ લઈ લે છે. ત્રિકાલ દેવવંદન તથા બિમારીમાં પણ બંને ટાઇમ ઉભા ઉભા અપ્રમત્તપણે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ ઉલ્લાસપૂર્વક કરે છે. માલવભૂષણ પૂજ્યશ્રીએ ૧૧ વર્ષની વયે સંયમગ્રહણ કરેલ છે. પૂજ્યશ્રીની નિશ્રામાં કરોડ નવકાર જાપ આદિનાં અનેક સુંદર આયોજનો થતાં રહે છે. પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના.
(૧૫) સળંગ ચોવિહારા ૪૦ વર્ષીતપ કરનારા મહા તપસ્વીરત્ન
પૂ.આ.ભ. શ્રી વિજય વસંતસૂરીશ્વરજી મ.
મહાન શાસનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ઉપરોક્ત પૂજ્યશ્રી છેલ્લાં ૪૦ વર્ષોથી સળંગ ચોવિહારા ઉપવાસથી વર્ષીતપની મહાન તપશ્ચર્યા કરી રહ્યા છે. તેમાં પણ ૧૦ વર્ષીતપ ચોવિહાર છટ્ટ દ્વારા કર્યાં. ૧ વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે આયંબિલથી કર્યું અને એક વર્ષીતપ ચોવિહાર અઠ્ઠમના પારણે અષ્ટમથી કર્યું છે. ૯ વર્ષની બાલ્યવયમાં દીક્ષિત થયેલા આ મહાત્માએ ૨૮ વર્ષની ઉંમરથી સળંગ વર્ષીતપનો પ્રારંભ કર્યો છે. તેઓ અનેકવાર હસ્તિનાપુરમાં ધ્યાન શિબિરો ચલાવે છે. મહા તપસ્વી સૂરિજીના ચરણોમાં ભાવભરી વંદના.
(૧૬) ૧૦ વર્ષની અથાગ મહેનતથી દ્વાદશાર નયચક્ર ગ્રંથરત્નનું સંપાદન કરનારા આગમપ્રજ્ઞ, પ્રભુભક્ત
૫.પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.
જેમાં ૧૨ પ્રકારના ભારતીય દાર્શનિક મતો સાથે સ્યાદ્વાદદર્શનની સુંદર સમીક્ષા કરવામાં આવી છે એવા શ્રી
Jain Education International
ધન્ય ધરાઃ
મલ્લવાદીજી દ્વારા વિરચિત ઉપરોક્ત કઠિનતમ ગ્રંથરત્નના સંશોધન-સંપાદન-પ્રકાશન માટે પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા આદિ દેશોમાંથી પ્રાચીન ગ્રંથોની અલગ અલગ પદ્ધતિથી લેવાયેલ પ્રતિકૃતિઓ, માઇક્રોફિલ્મ પ્રતો આદિ સામગ્રી એકઠી કરી દેશ-વિદેશના સાક્ષરો સાથે પત્ર વ્યવહાર કર્યો અને ૨૦ વર્ષની જહેમતથી આવા દુર્લભ ગ્રંથરત્નનું પ્રકાશન કરાવીને જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ મહાત્મા સંસ્કૃત-પ્રાકૃત ઉપરાંત અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, તિબેટીઅન આદિ અનેક વિદેશી ભાષાઓ ઉપર પણ સારું પ્રભુત્વ ધરાવે છે. એમની પાસે જૈન ધર્મનો અભ્યાસ કરવા માટે વિદેશી લોકો પણ અવારનવાર આવતા હોય છે. અરિહંત પરમાત્મા તથા પોતાના સ્વર્ગસ્થ પિતા ગુરુદેવ પ્રત્યે તેમનો સમર્પણભાવ અનન્ય કોટિનો છે. તેઓએ જેસલમેર ઋષિકેશ આદિમાં પણ ચાતુર્માસ કરેલ છે. દર મહિને ૧ અઠ્ઠમ જરૂર કરે છે. લગભગ ૮૫ વર્ષની જૈફ વયે તેઓ પગે જ વિહાર કરે છે. અગાધ શ્રુતજ્ઞાન હોવા છતાં તેઓશ્રીની વિનમ્રતા ખૂબ જ અનુમોદનીય છે. અનેક આગમ ગ્રંથોનું પણ પૂજ્યશ્રીએ સંશોધન-સંપાદન કરેલ છે. સુદેવ-ગુરુ અને શ્રુતજ્ઞાનના ભક્ત પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના.
(૧૭) ૩૪ વર્ષીતપ સાથે નવકારૂ લોગનમોત્થાં ધમ્મો મંગલ-ચત્તારિ મંગલ અરિહંતો મહદેવ આદિ દરેકનો –૯ લાખ જાપ કરનાર
લાલચંદ્રજી મહારાજ.
એક સ્થાનકવાસી સમુદાયના નાયક ઉપરોક્ત મહાત્માએ ૪૬ વર્ષના દીક્ષાપર્યાયમાં નીચે મુજબ તપ-જપની આરાધના કરેલ. (૧) છેલ્લાં ૩૪ વર્ષ સળંગ વર્ષીતપ, (૨) ૨ માસક્ષમણ, (૩) ૨૫ તથા ૩૫ ઉપવાસ, (૪) છેલ્લે સંથારાની ભાવના સાથે ૪૫ ઉપવાસ, (૫) એકેક પખવાડિયા સુધી મીઠું-મરચું વગેરે ૬ રસોનો ત્યાગ, (૬) ૧ વાર મૌન સહિત અઠ્ઠાઈ તપ કરીને એકાંતમાં ધ્યાન-સાધના, (૭) વર્ષો સુધી ઘી-તેલ તથા ખાંડનો મૂળથી ત્યાગ, (૮) રોજ ૦।। કલાક શીર્ષાસનમાં ધ્યાન, (૯) ૨૦ વર્ષ સુધી રોજ પંચપરમેષ્ઠીને ૧૦૮ ખમાસમણ દ્વારા વંદના, (૧૦) ઉપરોક્ત ૬ મંત્ર-સૂત્રોનો ૯-૯ લાખનો જાપ. ૨ પુત્રી અને ૩ પુત્રો સહિત ૪૧ વર્ષની વયે દીક્ષા લઈને ૮૮ વર્ષની વયે ઇંદોરમાં સં. ૨૦૪૮માં કાલધર્મ પામ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org