SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ઘોષ સદા ગુંજતો જ રહેવો જોઈએ. તેનાથી મારા જાપમાં એકાગ્રતાનો જરાપણ ભંગ થતો નથી; પરંતુ જો તમે વાતો કરો તો જ એકાગ્રતાનો ભંગ થાય છે.' * ઉનાળાના દિવસોમાં સાંજે વિહાર કરી માતર તીર્થે પહોંચતાં શિષ્યે કહ્યું—“ગુરુદેવ! પહેલાં પાણી પી લો. પછી જિનાલયમાં પધારો' તરત પૂજ્યશ્રીએ કહ્યું—“ગામમાં પ્રવેશ કર્યા પછી જ્યાં સુધી પ્રભુદર્શન ન થાય ત્યાં સુધી પાણી કેમ પીવાય?’'.....પૂજ્યશ્રી પ્રભુભક્તિમાં એટલા લીન બની ગયા કે સૂર્યાસ્ત સમયે દેરાસરમાંથી બહાર પધાર્યા ત્યારે ચોવિહારનું પચ્ચક્ખાણ લઈને જ પધાર્યા!....... * શિષ્યે પૂજ્યશ્રીની તરપણી ઉપરની ટોક્સી નમૂના રૂપે બતાવવા શ્રાવકને આગલા દિવસે આપી હતી. બીજે દિવસે સવારના પૂજ્યશ્રીને ખ્યાલ આવતાં જ ટોક્સીનું પડિલેહણ ૧ ટંક રહી જવા બદલ, જેઠ મહિનામાં ૧૪ કિ.મી.નો વિહાર થયો હોવા છતાં, પ્રાયશ્ચિત્તરૂપે ચોવિહાર ઉપવાસ કર્યો! * પૂજ્યશ્રીનાં ચશ્મા તૂટી જતાં, જેની ચશ્માની ૬ દુકાનો હતી એવા ગુરુભક્ત શ્રાવકે ગોલ્ડન ફ્રેમવાળી સારામાં સારા ચશ્માનો પોતાને લાભ આપવા માટે આગ્રહભરી વિનંતી કરતાં પૂજ્યશ્રીએ દૃઢતાથી કહ્યું—“તમારે ભક્તિ કરવી છે કે મારી કમબખ્તી? સાધુજીવનમાં સાદગી જ હોવી જોઈએ. મારે ગચ્છ સંભાળવો છે-ઘર નહીં'.....આખરે પૂજ્યશ્રીએ સાદામાં સાદી ફેમનો જ સ્વીકાર કર્યો! ઇત્યાદિ અનેક પ્રેરક પ્રસંગો પૂજ્યશ્રીના સ્મૃતિગ્રંથમાંથી વાંચવા સુજ્ઞ વાંચકોને ખાસ ભલામણ છે. (૧૨) ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.ની અનુકરણીય ક્રિયાનિષ્ઠતા તથા વાત્સલ્ય મહાન શાસનપ્રભાવક ઉપરોક્ત પૂજ્યશ્રીના જીવનમાં રહેલી ક્રિયાનિષ્ઠતા, સમયની નિયમિતતા અને વાત્સલ્યભાવ ખરેખર અનુમોદનીય તથા અનુકરણીય છે. પૂજયશ્રીનાં દર્શનવંદન કરવા તથા ધર્મનાં અનેક કાર્યો અંગે માર્ગદર્શન લેવા માટે રોજ સેંકડો ભક્ત શ્રાવકો આવતા હોય છે, છતાં પણ સાંજે સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણમાં તેમનું શ્રમણસૂત્ર અચૂક ચાલુ હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં તેઓ આમાં ફેરફાર થવા દેતા નથી. પૂજ્યશ્રી રાત્રે ૨ થી ૫ સુધી જાપ-ધ્યાનની સાધના વર્ષોથી નિયમિતપણે કરતા આવ્યા છે. પરિણામે દૈવી તત્ત્વોનું Jain Education International Foto સાંનિધ્ય પણ તેમણે સારું સંપાદન કર્યું છે. ગોચરીની માંડલીમાં પણ બધા શિષ્ય-પ્રશિષ્યાદિને વાત્સલ્યભાવે ગોચરી પોતાના હાથે વહેંચીને પછી જ પોતે વાપરે છે. આવા અનેક ગુણો સંપન્ન, વિજાપુરમાં શ્રી સ્ફુલ્ડિંગ પાર્શ્વનાથ તીર્થના પ્રેરક પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના. પૂજ્યશ્રી તાજેતરમાં કાળધર્મ પામ્યા છે. (૧૩) પ.પૂ. આ.ભ. શ્રી વિજય ટુચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની વંદનીય ક્રિયાચુસ્તતા પૂજ્યશ્રીના વરદ્ હસ્તે એક કુમારિકાની દીક્ષા થઈ હતી. હવે એ નવદીક્ષિત સાધ્વીજીને વડી દીક્ષા માટે યોગોહન કરાવવાના હતા, પરંતુ એ વર્ષે ચૈત્ર મહિનામાં ૩ દિવસ સુધી સચિત્ત-અચિત્ત રજ ઉડ્ડાવણીનો કાઉસ્સગ્ગ કરવાનું છદ્મસ્થદશાવશાત્ શરતચૂકથી રહી ગયું હતું, જેથી પૂજ્યશ્રીએ નિખાલસતાથી સ્વયમેવ કહી દીધું કે-“મારો આ કાઉસ્સગ્ગ કરવાનો રહી ગયો હોવાથી શાસ્ત્ર-મર્યાદાનુસાર યોગોહન તથા વડી દીક્ષા હું નહીં કરાવી શકું, પરંતુ થોડા દિવસ પછી બીજા આચાર્યશ્રી પધારશે તેઓ કરાવશે.’’ પૂજ્યશ્રીની આ કેટલી નિખાલસતા તથા શાસ્ત્રમર્યાદાનું બહુમાન!!! પ.પૂ.આ.ભ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂજ્યશ્રી તાજેતરમાં કાળધર્મ પામ્યા છે.ગ (૧૪) પ્રથમ રાખ વહોરાવાય તો જ પારણું કરવાનો ગુપ્ત અભિગ્રહ લેનાર મહા તપસ્વીરત્ન પ.પૂ. આ.ભ. શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. ૧૦૮ અષ્ટમ તથા વર્ધમાન તપની ૧૦૦ + ૬૦થી અધિક ઓળી કરનાર ઉપરોક્ત પૂજ્યશ્રીએ અક્રમના પારણે મનમાં ઉપર મુજબનો અભિગ્રહ લીધો. ઘણાં ઘરોમાં ગોચરી માટે ગયા પરંતુ પ્રથમ રાખ કોણ વહોરાવે!.....આખરે સાંજે પોતાની સંસારી માસીના ઘરે ગયા. તેમણે પણ વહોરાવવા માટે અનેક વસ્તુઓનાં નામ લીધાં, પરંતુ પૂજ્યશ્રીએ મસ્તક હલાવી ‘ના’ જ પાડતાં આખરે માસીથી રહેવાયું નહીં. તેમણે કહ્યું કે “મ.સા. આપને આમાંથી કાંઈપણ ન ખપે તો શું હવે આપને રાખ વહોરાવું?' મહાત્માએ મસ્તક હલાવી સંમતિ આપતાં છેવટે રાખ વહોરાવાઈ. ત્યારબાદ જ અન્ય વસ્તુઓ વહોરીને પારણું કર્યું....... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy