________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૯૩
તપ ત્યાગ અને સાધનાથી વિભૂષિત. વાગડ સમુદાયના કર્ણધાણે
પૂ.પં. શ્રી મુક્તિચંદ્રવિજય મ. સા., પૂ.પં. શ્રી મુનિચન્દ્રવિજય મ. સા.
ભારતની પશ્ચિમ દિશાએ આવેલો ખમીરવંતો કચ્છપ્રદેશ, એનાં ભૌગોલિક સ્થાનો, એની ભાષા, એના રિવાજોથી સૌમાં નિરાળો તરી આવે છે. કચ્છ વાગડમાં જૈનધર્મનું પ્રાબલ્ય પ્રાચીન કાળથી જોવા મળે છે. ખમીરવંતા કચ્છની ધર્મભાવનાની સૌરભથી મઘમઘતા વિરલ વાગડ પ્રદેશના અનોખા દેદીપ્યમાન પ્રાચીન જૈન તીર્થો રોમાંચક અને હૃદયદ્રાવક નજરે પડે છે. આ ધન્ય ધરાને મોટું ગૌરવ અને યશકીર્તિ અપાવવામાં સંતરત્નોનું મૂંગું છતાં મહત્ત્વનું પ્રદાન નોંધાયું છે. અણવિકસિત એવા વાગડ પ્રદેશમાં ત્યાગી વૈરાગી અને ઉત્તમ ચારિત્રજીવનના સંયમયાત્રીઓ ઝબકી ઊઠ્યા અને આ ભૂમિને પોતાની સાધનાની અનુભૂતિનું પયગાન કરાવી દૂરદૂરના વિસ્તારો સુધી જૈનશાસનની ધજાપતાકા ફરકાવી મહાન ઉપકાર કર્યો છે.
વાગડના કર્ણધારોનો પરિચય કરાવે છે બે વિદ્વાન પંન્યાસ મહારાજશ્રીઓ. જેઓના પરિચયો અત્રે પાછળના પાને પ્રગટ થયાં છે. પૂજ્યોને લાખ લાખ વંદના.
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org