________________
૫૯૨
ધન્ય ધરાઃ
પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા પર્વતિથિની વિશેષ તપસ્યાઓની- એમની નિયમિત આરાધના ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે.
નાના દેહમાં વિપુલ જ્ઞાનનો સાગર ધરાવનાર એમની સંઘયાત્રા સ્વોપકાર અને પરોપકાર રૂપી “તિનાણે નારયાણ' ભાવને અભિવ્યક્ત કરતી જીવનસરિતાના કિનારાઓને
રેલમછેલ કરતી કલ્યાણપથ પર આગળ વધી રહી છે.
એમનું જીવન શ્વેત વસ્ત્ર જેવું છે. એમની સંયમ રૂપી ચાદર સર્વત્ર સફેદ જ સફેદ જોવા મળે છે. એમના શિષ્યો મુ. શ્રી પ્રાશરતિવિજયજી મ., મુ.શ્રી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી અભયરત્નવિજયજી મ.
આયંબિલ તપની આરાધના કરી તીર્થકર નામકર્મ કરનાર
તપસ્વિની-દમયંતી
A
,
રેખાંકન : સવજી છાયા,
દ્વારકા
CHHAYA
પૂર્વભવે ૨૪ ભગવાનના ઉત્કૃષ્ટ ૨૪ આયંબિલ કરી પ્રભુના ભાલ (કપાળ) ઉપર તિલક સ્થાપ્યા
તેથી સતી સ્ત્રીના કપાળે ભાલતિલક છે. એક દિવસ નળરાજા જુગારમાં બધુ હારી જંગલમાં દમયંતીને ત્યજી ભટકતો થયો. ભાગ્યયોગે દધિપર્ણ રાજા નળરાજાની વિનંતિ સ્વીકારી રાજ્યમાં પ્રજાને સાત વ્યસનથી મુક્ત કર્યા. આમ નળ-દમયંતીનો સંયોગ બાર વર્ષે
થયો. આવેલ આપત્તિ વચ્ચે અનેક સતીઓએ પોતાની પ્રતિભા પ્રગટ કરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org