SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ પ૦૦ પથ્થરોના સંયોજનથી તૈયાર થયેલો ડોમ અજોડ આખા વિશ્વની અજાયબી ગણાય છે. પંચધાતુમય ભગવાન આદિનાથ (૬૩”)ની ચમત્કારિક ભવ્ય પ્રતિમાજીનું નિર્માણ પ્રાચીન ૧૫૦ જિનબિંબોનો આધાર લઈને કરવામાં આવ્યું છે. વિશાળ વટવૃક્ષની શીતલ છાયામાં સાક્ષાત ક્ષેત્રપાલ દેવે આસન ગ્રહણ કર્યું છે. પ્રસ્તુત તીર્થના પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરમાંથી પાંચ લાખ જૈનો ઊભરાયા હતા. પ00 ઉપરાંત સાધુસાધ્વીજી ભગવંતોના પાવન સાન્નિધ્યમાં સંપ્રાપ્ત થયું હતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્માણ થયેલું આ તીર્થ જૈન-અજૈન હજારો યાત્રિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી છેલ્લાં ૧૨ વર્ષથી ભારતભરમાં જૈન એલર્ટ ગ્રુપના યુવાનો વિવિધ સેવાઓ બજાવી રહ્યા છે. હજારો યુવાનો આજે ઠેર ઠેર ભક્તિપ્રાર્થના, પૂજા, આરતીથી શુભારંભ કરીને સાધર્મિકસહાય, અનુકંપાદાન, ભૂકંપ- રાહત, રેલરાહત, દુષ્કાળરાહત, સંઘસેવા, સાધુસાધ્વી વૈયાવચ્ચ, | મસ્તકવિતરણ. ફટવિતરણ. હોસ્પિટલોમાં વિઝિટ, મૂંગા-બહેરાં શાળાની વિઝિટ, અનાથાશ્રમો મુલાકાતોથી માંડીને પાંજરાપોળમાં પશુઓની સેવા, ઘાસવિતરણ, ગોળવિતરણ, જળપ્રદાનથી માંડીને બિમાર પશુઓ માટે હરતુ ફરતું દવાખાનું, પશુઓને નવકાર મંત્રનું શ્રવણ કરવા સુધીનાં કાર્યો બજાવે છે. અમદાવાદ મુકામે યોજાયેલા ભુવનભાનું પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૦૦૦ યુવાનો તથા માનસ મંદિરમુમાં યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો યુવાનોએ જાતે કારસેવા આપીને-લાખો ભાવિકોની મેદનીને સંભાળી હતી. સૌજન્ય : શ્રી સમીરભાઈ વી. ઝવેરી પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. - સુરત વીસાશ્રીમાળી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ પિતાશ્રી ચિમનલાલ ખીમચંદ સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત વૈરાગી શ્રી હેમંતકુમારે હિાલ ૫.પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી ચંદ્રોદયવિજયજી મ.સા. હાલ પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.] તથા પ.પૂ. પં. શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. હિાલ પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે શરણાં અંગીકાર કર્યા. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક અંજનશલાકા પ્રસંગે વિ. સં. ૨૦૨૫, માગસર વદ ૩ના જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની દીક્ષા પ.પૂ. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર ૫.પૂ. આચાર્યશ્રી વિજય માણિક્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. કુમારવયના ભાઈ-બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બંગીય સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. ત્યારબાદ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની અને આગળ વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા આપી. ભારતીય વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર બધા જ વિષયોમાં સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સજર્યો. મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. ૨૪) વ્યાકરણાચાર્યનું બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવાસાંભળવા મળે છે. | સર્વ રીતે યોગ્ય જાણી જન્મભૂમિ સુરતમાં વિ. સં. ૨૦૫૨, જેઠ સુ. ૬ના ગુરુદેવે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રીએ અંજનશલાકાની પ્રતનું સંપાદન કર્યું, જે ખૂબ જ લોકાદર પામતાં બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરવામાં આવી. ‘પાઈએ વિજ્ઞાણ ગાહા’–‘પ્રાકૃત પાઠમાળા માર્ગદર્શિકા–‘પ્રાકૃતસચિત્ર બાળપળી ભાગ ૧ થી ૪'નું સુપેરે સંપાદન કરી પ્રાકૃત ભાષાને નવપલ્લવ કરવાનું પ્રશંસનીય કામ કર્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy