________________
૫૬
યુવા હૃદયસમ્રાટ
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ.સં. ૨૦૦૭, ચૈ. સુ.-૧૦ ભાલક (વિસનગર). દીક્ષા : વિ.સં. ૨૦૨૩, જેઠ સુદ-૫, બોરસદ. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૩, અ.સુ.-૨, ખંભાત. ગણિ પદ : વિ.સં. ૨૦૪૫, અષાઢ વદ-૮, સુરત. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૮, ચૈ. સુ. ૫, વિલ્હોળી. આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૩ કા.વ. ૯, અમદાવાદ. માતા-કંચનબહેન પટવા પિતા-તારાચંદ
પ
જેઓશ્રીનાં નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો છે. પ્રખર પ્રવક્તાઓનાં આંગળીના વેઢે ગણાતાં નામોમાં જેઓશ્રીનું નામ લોકબત્રીશીએ ગવાઈ રહ્યું છે, એવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ સોળ વર્ષની ઊઘડતી ઉંમરે પ્રવ્રજ્યા સ્વીકારી હતી. વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર બન્યા હતા. ૨૫ વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા ત્યારથી લગાવીને આજ સુધી સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ વહેતી રહી છે. વાણીના અસ્ખલિત પ્રવાહમાં તેઓ હજારો હૈયાંઓને ભીંજવી શકે છે. ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને ઝૂમતા અને ઝઝૂમતા કરી શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી અંતરને તરબતર કરે છે અને ભગવાનની ભક્તિની વાતો કરતાં આખી સભાને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની સાથોસાથ તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી. જેમના ‘ચાલો જિનાલયે જઈએ' અને રિસર્ચ ઓફ ડાયનિંગ ટેબલ', અને બિઝનેસ સિલેક્શન' જેવાં બેસ્ટ સેલર પુસ્તકો ઘર ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજસુધીમાં અનેકવાર ઓપન બુક એક્ઝામનાં આયોજનો થયાં છે. પાઠશાળામાં આ પુસ્તકો ટેક્સબૂક તરીકે વપરાય છે, તો અનેક સાધુસાધ્વીજીઓ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં આયોજનો કરે છે. યુવાપેઢીને ઝકઝોરતા પૂજ્યશ્રીનાં અન્ય પ્રકાશનો છે ‘યુવાહૃદયનાં ઓપરેશન’ ‘યંગસ્ટર’, ‘યૌવન વીંઝે પાંખ', યૌવન માંડે આંખ, યૌવનની આસપાસ, યૌવનની
Jain Education Intemational
ધન્ય ધરાઃ
મઝધાર, યુવા શિબિર પ્રવચનો અને માનસ શિબિર પ્રવચનો' નોવેલના આશિક બનેલા યુવાનો આ પુસ્તકોને જ્યારે હાથમાં લે છે ત્યારે નીચે મૂકવાનું નામ લેતા નથી.
યુવાનોથી છલોછલ ઊભરાતા પ્રવચનમંડપોમાં જ્યારે પૂજ્યશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડિઓ અને મોડર્નયુગની વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્યભર્યા સિંહની અદામાં અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહુતિ થાય તે પહેલાં તો હજારો યુવાનોએ ઊભા થઈને હાથ જોડી દીધા હોય અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી હોય એવાં નયનાભિરામ દૃશ્યો અનેકવાર સર્જાયાં છે. લાખો યુવાનોને પૂજ્યશ્રીએ વ્યસનમુક્ત કર્યા છે. ફેશનમુક્ત કર્યા છે. ટી.વી., વીડિઓની વિકૃતિઓથી બચાવી લીધા છે. પરમાત્માના પરમ ભક્ત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી બનાવ્યા છે. આજે લાખો યુવાનોના હૃદયમાં પૂજ્યશ્રીનું એક અનોખું આગવું અને અંગત સ્થાન છે, માટે જ ખરા અર્થમાં પૂજ્યશ્રી યુવાહૃદય-સમ્રાટ છે.
ગુરુકૃપા અને અધ્યાત્મના સૂક્ષ્મબળથી પૂજ્ય
ગુરુદેવશ્રીના વરદ હસ્તે કેટલાંક કાર્યો એવાં થયાં છે કે જેનાથી જૈનસંઘના ઇતિહાસમાં કેટલાંક સુવર્ણો પૃષ્ઠો ઉમેરાયાં છે.
અમદાવાદ મુકામે ભુવનભાનુનગરમાં જે ગુરુ- પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરુદેવશ્રી જ હતા. ૯૦ એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુનગરમાં આઠ દિવસમાં ૩૦ લાખ માણસોનું પદાર્પણ થયું હતું. ભવ્ય જિનાલય, પ્રદર્શન, પ્રવચનકક્ષ, શ્રમણ-શ્રમણીવિહારો, શ્રાવક-નિવાસો, ભરતચક્રી ભોજનગૃહો, જેણે નજરે જોયું છે તેમના મુખમાંથી ‘વાહ! વાહ!' ના શબ્દો સરી પડ્યા છે. ગુણાનુવાદ સભાઓ, આચાર્ય પદપ્રદાન, વિશાળ રથયાત્રા અને ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવનો લહાવો અનેક લોકો માણી શક્યા હતા.
શ્રી શત્રુંજયતીર્થધામ–ભુવનભાનુ માનસ મંદિરમ્ મહારાષ્ટ્રમાં મુંબઈથી ૮૦ કિ.મી.ના અંતરે શાહપુર આસનગાંવ સ્ટે. પાસે એક અતિ ભવ્ય તીર્થનું નવનિર્માણ પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. વિશ્વમાં આજ સુધીમાં નિર્માણ થયેલી ઇમારતોમાં પ્રસ્તુત સ્થાપત્ય, શિલ્પકલા, બિલકુલ અનોખી છે. ૭૬×૭૬ સ્કવેરફૂટનાં વિશાળ રંગમંડપની ઉપર એકપણ પીલરના આધાર વિના માત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org