SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ધન્ય ધરા: વર્તમાનમાં જૈનસંઘોની પવિત્ર-પુણ્યશાળી અને પ્રભાવક પ્રમુખ પ્રતિભાઓમાં જેઓશ્રીનું નામ અચૂકપણે આદરપૂર્વક સહસા લેવાઈ જાય એવા છે બંધુ-બેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરજી મ. જીવન તેજ-લકીરનું શબ્દ ચિત્ર... મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છાણી ગામે જૈન સંઘને અનેક શ્રમણ-શ્રમણી રત્નોની ભેટ ધરી છે. ઘરે-ઘરે થી સંયમ સ્વીકારના આત્માઓથી “છાણી-દીક્ષાની ખાણી'રૂપે પ્રસિદ્ધ છે. આ છાણીમાં પિતા શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ તથા માતા મંગુબહેનની રત્નકુક્ષિથી પાંચ પુત્ર-ત્રણ પુત્રીઓએ જનમ લીધો. માતાના હાલરડામાં જ સંયમ કોડને જગવતા ભાવો પ્રગટી રહ્યા હતા એથી પરિવારમાંથી પાંચ સંતાનોએ સંયમ સ્વીકાર કર્યો છે. કુલ્લે આઠ પુણ્યાત્માઓ વીરધર્મની સંયમચર્યા આરાધી રહ્યા છે. પરિવારમાં સૌથી નાના બે પુત્ર જયકાન્ત અને હર્ષકાન્ત બાલ્યકાળથી જ એક-બીજાના બંધુપ્રેમથી બંધાયા હતા. બંને બંધુ બધું જ કાર્ય સાથે જ કરતા. એમનું શૈશવ સત્ત્વ અને સંસ્કારથી શોભતું હતું. સુશ્રાવક શાંતિલાલે ઘરઆંગણે શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને પધરાવી ભવ્ય મહોત્સવ આયોજ્યો. પૂજ્યશ્રીના વરદ્હસ્તે સં. ૨૦૨૦ના વૈ. સુ. ૧૦ના દિવસે જયકાન્ત ઉંમર વર્ષ ૧૨, હર્ષકાન્ત ઉંમર વર્ષ ૧0 સંયમધર્મ સ્વીકાર્યો. પ. પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના શિષ્ય તરીકે ઘોષિત થયા. ત્યારબાદ વડી દીક્ષાના અવસરે પોતાના વડીલબંધુ અશોકસાગર મ.ના શિષ્ય રૂપે જાહેર થયા. પૂ. આ.શ્રી હેમચંદ્રસાગરજી સૂરિજી મ.નો જ્ઞાનવૈભવ, પ્રવચનભવ, સંયમવૈભવ અને લેખનભવ આગવો છે. ગુરુદેવ શ્રી તથા મૂર્ધન્ય પંડિતો પાસે તેઓશ્રીએ તન્મય થઈ આગમન્યાય-સાહિત્ય જેવા વિષયોનું તલસ્પર્શી અધ્યયન કર્યું છે. હિન્દી-ગુજરાતી ભાષા ઉપર શ્રેષ્ઠ પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીના સરળ, સુગમ, સચોટ ૨૦ જેટલાં પુસ્તકો આજે જૈન-જનતામાં રસપૂર્વક વંચાઈ રહ્યાં છે. નવકારમહામંત્ર વર્ણન અને વૈરાગ્યભર્યા પ્રવચનો તેમના પ્રવચનની આગવી ખાસિયત છે. જાપ-સાધનામાં તેઓ અચ્છા માહિર છે. બે વર્ષ તપ તથા ૭૬ આયંબિલની ઓળીની આરાધનાથી તપસ્વી પણ છે. સં૫, સમન્વય અને સમાધાન માટે પણ પણ પૂજ્યશ્રી કોઠાસૂઝ ધરાવે છે. ઠેર-ઠેર પડેલી પરિવાર-સમાજ-સંઘની તિરાડોને ભૂંસવાનું ભગીરથ કાર્ય કરતા રહે છે. આત્મશુદ્ધિ અને પુણ્ય સમૃદ્ધિની લાયકાત પર પૂ. ૫, શ્રી અભયસાગરજી મ.ના વરદ્ હસ્તે ચાણસ્મા મુકામે ગણિ પદવી પ્રદાન કરવામાં આવી. ગચ્છા. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.ના હસ્તે ઇન્દોરમાં પંન્યાસ પદવી એનાયત થઈ તથા પૂ. ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાથી તથા પૂ. ગુરુદેવ આ. અશોકસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં સુરત મુકામે ભવ્ય આચાર્ય પદવી શ્રી સંઘે અર્પી હતી. ‘બંધુબેલડી' તરીકે પ્રસિદ્ધ આ બંધુયુગલે ગુરુકૃપાના પનોતા બળે ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા-સેવા માટે સતત જાગરૂક અને સક્રિય હોય છે. કલકત્તાથી ગુજરાત ભણી પાછાં વળતાં મોટી સંખ્યામાં માંસાહારી જનતાને પ્રવચનો-સત્સંગ દ્વારા માંસ-મદિરાપાનત્યાગના શપથ અપાવ્યા છે. પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.ની દીક્ષાશતાબ્દીના ઉપલક્ષમાં પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨૫૦ વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર સુરતથી સમેતશિખરજીનો છ'રીપાલિત સંઘ કપરી સ્થિતિમાં પણ ૭00 યાત્રિકો, ૧૪૦ સાધુ-સાધ્વી સાથે ૨૨00 કિ.મી.નો વિહાર કરી ઇતિહાસ ખડો કર્યો હતો. મધ્યપ્રદેશમાં કેટલાંય નાનાં-મોટાં ગામડાં, નગરોતીર્થોમાં તેઓશ્રીની પ્રેરણાથી મંદિર-જીર્ણોદ્ધાર તથા ઉપાશ્રયોનું નિર્માણ થવા પામ્યું છે. ઇન્દોર, સુરત, બોલયા, કરજણ, પૂના, મુંબઈ જેવાં અનેક નગરોમાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા તથા અંજનશલાકા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં અકચ્છ સફળતાથી પાર પાડે છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તથા સાધર્મિક ભક્તિ માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી શાસનપ્રેમી શ્રાવકો તથા ઉદાર દાનવીર શ્રેષ્ઠીઓ મન મૂકી સહયોગ આપે નવકાર મહામંત્રના નિમિત્તને લઈને લોકજાગૃતિઆન્સરજાગૃતિ વિશ્વશાંતિ-આત્મસમાધિની નેમ લઈ સમૂહ જાપ–ચેતનાનું અભિયાન લઈ જાપ–વણઝારા સર્વત્ર સામૂહિકચેતના જગાવી રહ્યા છે. કલકત્તામાં ૯ લાખ નવકારના સામૂહિક જાપથી શરૂઆત કરી પાલિતાણામાં ૬૮ લાખનો સામૂહિક જાપ, સુરતમાં ૯ કરોડનો જાપ, અમદાવાદમાં ૨૭ કરોડ જાપનાં કરેલાં ચોમાસામાં મહા અભિયાનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. ગોવાલિયા ટેકમાં ૬૮ કરોડની સંખ્યામાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy