SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ આર્યરક્ષિતસૂરિધામ, શ્રી અજિતશાંતિ તીર્થધામ, ઊંઝા, બામણવાડા (રાજસ્થાન) વગેરે તીર્થના ઉદ્ધારક, * સ્વર્ણાક્ષરી આગમમંદિર, ઉનાવ, સેમલિયાજી, માલવા-મેવાડ વગેરે તીર્થના ઉદ્ધારક. * નાગેશ્વરજી તીર્થમાં સર્વપ્રથમ સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં. * કુલ ૨૫ જેટલા સંઘો. * ૫૦ થી વધારે પ્રતિષ્ઠા. * ૧૫થી વધારે ઉપધાન. * સાધુ ભગવંતોને પંન્યાસ પદવી, આચાર્ય પદવી. * જંબૂઢીપ માટે પૂજ્ય ગુરુદેવના અધૂરા કાર્યો આગળ વધારી આ સ્થળને વિશ્વ વિખ્યાત બનાવવા સિંહફાળો. * શિષ્યો, પ્રશિષ્યો (શ્રી સૌમ્યચંદ્ર મ.સા., શ્રી વિવેકચંદ્ર મ.સા., શ્રી ધૈર્યચંદ્ર મ.સા. વગેરે) પ્રેરક રહી શાસનનાં કાર્યો કર્યા. વિશિષ્ટ પ્રદાન માત્ર છ વર્ષના દીક્ષાપર્યાયમાં ૨૯૯ જેટલાં પદ્યબદ્ધ સંસ્કૃત શ્લોકોના રચયિતા, ‘ભૂગોળ-ભ્રમ-ભંજની’, ‘શું એ ખરું હશે?', ‘આપણી પૃથ્વી' અને સામાન્ય જનસમુદાયની સમજ પ્રમાણે લખેલું ‘આપણી સાચી ભૂગોળ'. જેની હિન્દીમાં બે તથા ગુજરાતીમાં પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ છે. ઉપરાંત અંગ્રેજીમાં પણ આ પુસ્ત પ્રગટ થયું છે. આ પુસ્તકમાં ભૂગોળ વિષયક ખ્યાલો, પૃથ્વી, સૂર્ય વગેરે વિષયક આધુનિક ખ્યાલોનું ખંડન કરતી માન્યતાઓ-માહિતી તથા તેની વીડિયો સી.ડી. પણતૈયાર કરી છે. ‘આપણી સાચી ભૂગોળ’ની સીડી વૈજ્ઞાનિકો, વિદ્વાનો તથા રસજ્ઞોએ નિહાળી છે. જિનશાસનમાં તત્ત્વોને રમતાં રમતાં સમજાય એવું ‘જ્ઞાન ગમ્મત ઉદ્યાન' તથા જયપુરમાં છે તેવી ‘જંતર-મંતર વેધશાળા', નવકારના વિશાળ પટો, અખંડ દીપકવાળું શ્રી નવકાર મંદિર, ભૂગોળ વિષયક યુવાનોના અનેક પ્રશ્નોના ઉકેલ માટે વિજ્ઞાનભવન તેમજ ચરમતીર્થ પ્રભુ મહાવીરસ્વામીનું અદ્ભુત અને કલાત્મક જિનાલયનું નિર્માણ વગેરે તેઓશ્રીના અજોડ કાર્યના સાક્ષી છે. આજે પણ જંબુદ્રીપમાં શ્રીમતી મેનકાબહેન નિતીશભાઈ સરકાર ઉપધાન ભવનમાં અજોડ ગુરુભક્તિના દર્શન થાય છે. અને અંતમાં : સર્વપ્રથમ દીક્ષાનો સ્વીકાર કરનાર ગુરુદેવશ્રીના પરિવારમાં બે ભાઈ, બે ભત્રીજા, એક ભાણેજ તથા બે બહેનો સંયમજીવનની આરાધના કરી રહ્યા છે. શ્રી શત્રુંજયતીર્થમાં શ્રી આદેશ્વર દાદા પ્રત્યેની અપાર ભક્તિની પ્રસાદી સ્વરૂપે મનભાવન વ્યાખ્યાનો તેમના મુખેથી સાંભળવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. Jain Education International ૫૧ મુંબઈમાં ચોપાટી વિસ્તારના મહત્વના સ્થળને શ્રી સાગરાનંદસૂરિજી ચોક તરીકે નામાભિધાન કરાવીને ગુરુભક્તિ અને બહુમાનનો લાભ લીધો. આવું બહુમાન પ્રગટ કરવા માટે તેઓનું હૃદય ઉત્સુક હતું. ૫૦ જેટલા શિષ્ય-પ્રશિષ્યોનો પરિવાર જેમાં આચાર્યપદે, પંન્યાસપદે, ગણિપદે બિરાજતાં શિષ્યો હોવાં છતાં સ્વભાવમાં ક્યાંય દંભ નહીં, આડંબર અને ગર્વ નહીં. સૌની સાથે સરળતા, નિખાલસતા અને નિર્ભયતાથી વર્તન કરવાનું શીખવું હોય તો ગુરુ મહારાજના ચરણે જવું પડે. પૂજ્ય આગમ ઉદ્ધારકશ્રીનાં તાત્ત્વિક પ્રવચનોને રજૂ કરતું સિદ્ધચક્ર' માસિકનો જિર્ણોદ્ધાર કરાવ્યો. આમ એક મૂલ્યવાન ખજાનાની રક્ષા કરી. પૂજ્ય દાદા ગુરુદેવ આ. ભગવંત શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મ. દ્વારા સ્થાપિત સિદ્ધચક્ર સમાજ’નો પુનરુદ્ધાર કરાવીને તારક ગુરુદેવની ભાવના જાળવી રાખી. શ્રી નવપદજી આરાધનાનો સાચો ક્રમ જાળવવામાં તેઓશ્રીનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આટલા પ્રબળ પુરુષાર્થી હોવા છતાં પોતાની પ્રસિદ્ધિ થાય, પોતાના ફોટા છપાય અને સમાજમાં બોલબાલા વધે એવી જરા પણ ઇચ્છા નહીં. આવા ગુણોથી વંદનીય બનેલું વ્યક્તિત્વ તપના પ્રભાવથી વધારે નિર્મળ બન્યું છે. વર્ધમાન તપની બાવન ઓળી અને કાયમી બિઆસણાથી તપોનિધાન બનેલા પૂ. ગુરુભગવંત શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.નું તેજ અનેરી આભા પ્રગટાવે છે. આવા પરમ ઉપકારી ગુરુભગવંતના ચરણોમાં કોટિ કોટિ વંદના. સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલીતાણા બંધુબેલડી પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy