________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૪૯
શાસનકંટકોદ્ધારક અને મહાન શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.
શાસનસ્તંભ-શાસનકંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગર- સૂરીશ્વરજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૫૪ના કારતક વદ ૬ ને સોમવારે ઠળિયા ગામે થયો હતો. પિતાનું નામ દીપચંદ જેરામભાઈ અને માતાનું નામ ઉજમબહેન તથા પોતાનું સંસારી નામ હઠીચંદ હતું. હઠીચંદને બાળપણથી જ ધર્મપ્રીતિ સવિશેષ હતી. એમાં નાનપણમાં માતાપિતાનો સ્વર્ગવાસ થતાં કુટુંબની જવાબદારી તેમની ઉપર અને વડીલ બંધુ મોતીચંદભાઈ ઉપર આવતાં નાની વયે ધંધાર્થે મુંબઈ જવાનું થયું. મુંબઈમાં ધંધા સાથે હંમેશાં પ્રભુપૂજા-પ્રતિક્રમણ-સામાયિક અને વ્રત-નિયમ-તપ આદિ કરવાપૂર્વક ધર્મકાર્યોમાં દિન-પ્રતિદિન આગળ વધતા રહ્યા. ધર્મસમાજમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. નવપદજીની ઓળીનું આરાધન કરવા રાસ વાંચતા. એ માટે સેંકડોની માનવમેદની મળતી. સં. ૧૮૭૬માં લગ્ન થયાં. તેમને બે પુત્રો અને એક પુત્રી થયાં, પરંતુ ધર્મ પ્રત્યેની ભાવના જરાયે ઓછી થઈ હતી. સં. ૧૯૮૫માં દીક્ષા અંગીકાર ન કરાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો. ભરયુવાનીમાં ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. ૮-૧૦-૧૧૧૫–૧૬-૨૧ ઉપવાસ અને વર્ધમાન તપની ઓળીઓ આદિ તપસ્યાઓ કરી સં. ૧૯૮૫માં મુંબઈથી ઠળિયા આવી, શ્રીસંઘને એકત્રિત કરી, નૂતન જિનમંદિર બંધાવવાનો શુભ નિર્ણય કરાવ્યો. પોતાને છ વિગઈનો ત્યાગ હોવા છતાં, યથાશક્તિ ભાગ લેવાની ભાવનાએ શ્રી જિનમંદિર અંગેના પથ્થરો કઢાવવા માટે અને કાટકડા ગામનાં જંગલોમાં આઠ આઠ દિવસ રહીને પથ્થરની ખાણોમાંથી પથ્થરો કઢાવતા અને ગામ પહોંચાડતા. સં. ૧૯૮૬માં ખાતમુહૂર્ત અને શિલા સ્થાપન કરી, પાયા મથાળ સુધી લાવી, ચારિત્ર અંગીકાર કરવાની ભાવનાએ પાછા મુંબઈ ગયા. મુંબઈ સં. ૧૯૮૭ના કાર્તિક વદ ૬ને રવિવારે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે, ૨0 હજારની માનવમેદની વચ્ચે, હર્ષોલ્લાસપૂર્વક દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી (તે વખતે મુનિ શ્રી ચંદ્રસાગરજી) મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હંસસાગરજી નામે ઘોષિત થયા. દીક્ષા બાદ દોઢ વર્ષ સુધી પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજ સાથે રહ્યા. બાદ સુરત પધારી સ્વસમુદાય સાથે થઈ ગયા.
દીક્ષા બાદ પૂજ્યશ્રીએ ટૂંક સમયમાં ધર્મશાસ્ત્રોનું તથા આગમોનું સુંદર જ્ઞાનસંપાદન કર્યું. ‘પિંડનિર્યુક્તિ' ગ્રંથનો
અનુવાદ “શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર', ‘તત્ત્વતરંગિણી' ગ્રંથ ‘કુમકતાવિષ જાંગુલી’ મંત્ર તિમિરતરણિના અનુવાદ, પ્રાચીન-અર્વાચીન ઇતિહાસોની સમીક્ષા કરતું સાહિત્ય નિર્માણ કર્યું. અનેક સમાધાનગ્રંથો બનાવ્યા, અનેક ગ્રંથોનું સંપાદન કરી પ્રસિદ્ધ કરાવ્યા. કાવ્યરચના ક્ષેત્રે સ્તવન ચોવીશી, ચૈત્યવંદન ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, આગમશાસ્ત્રો, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીએ અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાધ્યો. પૂજ્યશ્રીએ અનેક ગામોમાં જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં. સેંકડો પ્રતિમાજીનો પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પોતાના પુત્ર, પુત્રી, પત્ની, ભત્રીજાઓને પ્રવ્રયા આપી શાસનને સુપ્રત કર્યા તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દોર્યા. પૂજ્યશ્રીની શાસનસેવાને અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ ચતુર્વિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે “શાસન કંટકોદ્ધારક' ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘોષણા કરી. પાલિતાણામાં પદવીસમારંભ યોજવાનો નિર્ણય થયો. સં. ૨૦૦૭ના મહાવદ પાંચમે વયોવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી અમરશી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને સં. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ ને ગુરુવારે ગણિ પદ આપ્યું. સં. ૨૦૨૨માં પાલિતાણામાં પૂ. આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ ને શનિવારે ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા.
ત્યાર બાદ, તેઓશ્રી પોતાની દેખરેખ તળે રૂ. એક લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકોદ્ધારક જ્ઞાનમંદિર' તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પૂર્ણાહુતિ અર્થે પોતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ બિમારી શરૂ થઈ. સુજાણ ડોક્ટરો નિરુપાય રહ્યા. સતત ઉપાયો ચાલુ હોવા છતાં શ્વાસનો વ્યાધિ વધતો ચાલ્યો. જેમ જેમ વ્યાધિ વધતો ચાલ્યો તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે સ્વસ્થતાથી વાતો કરતાં, ૩૮ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગગમન થયું. જૈનસંઘોએ મહાન જ્યોતિર્ધર ગુમાવ્યો! પૂ. શાસનસ્તંભ આચાર્યદેવના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org