SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ મહોત્સવો, સંઘયાત્રાઓ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક જીવોને બોધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાનસાધનામય જીવનને જોતાં તેઓશ્રીને ‘ન્યાયવાચસ્પતિ' અને ‘શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો પણ મળ્યાં છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા જેસર, જસપરા, સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે સ્થાનોના જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી સુસમ્પન્ન બની હતી. ૬૪ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો કર્યાં! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી! સં. ૨૦૧૬ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની ઝાંખી થઈ. તેઓશ્રીનો જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની અપૂર્વ કીર્તિગાથાનો પરિચાયક બની રહ્યો! એવા મહાસૂરિવરને કોટિ કોટિ વંદના! પ.પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રી પ્રદ્યુમ્ન-સૂરિજી મ.ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી, બોરીવલી (ઇસ્ટ) મુંબઈના સૌજન્યથી હાલારદેશોદ્ધાર–કવિરત્ન–પરમ પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનો જન્મ સોજીત્રા (જિ. ખેડા) ગામે સં. ૧૯૫૫ના આસો સુદ બીજે થયો હતો. પિતાનું નામ માણેકચંદ, માતાનું નામ પરસનબહેન અને તેમનું સંસારી નામ અંબાલાલ હતું. તેમના પિતાશ્રી વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે ખંભાતમાં પૂજ્ય ગુરુભગવંતોના પરિચયમાં આવવાનું થયું. સં. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને તે વખતે તેનો અર્થ પણ લખતા. એક વાર તેઓશ્રી રાત્રે ખાટલા પર સૂતા હતા. તરસને કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલું તે પી ગયા, પણ છેલ્લે ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમનો લાભ જાગ્યો. શાસનપ્રભાવક ૧૯૮૦ના કારતક સુદ ૧૫ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા પણ Jain Education International ધન્ય ધરાઃ દીક્ષિતની દૃઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના ક્ષયોપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક ગોખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. સં. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચોમાસું કર્યું અને જૈનશાળાની રક્ષા કરી શ્રીસંઘને આરાધનામાં દૃઢ બનાવ્યો. તેઓશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં ‘સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ’, ‘ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતયઃ', ‘જયવિજય કથાનક' વગેરે ગ્રંથો લખ્યા છે. ન્યાયના વિષયમાં તર્કસંગ્રહ ઉપર ‘પ્રભા' નામની ટીકા લખેલી છે, જે અપ્રગટ છે. ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અમૃતબિન્દુ લખ્યાં છે, પૂજાઓ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દૃઢ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યાદ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી મનહરવિજયજી તથા પૂ.શ્રી કર્પૂરવિજયજી મહારાજની આચાર્યપદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને ત્યાર બાદ, ફાગણ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યંત ભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી લાખાબાવળથી ‘શ્રી મહાવીરશાસન’ નામનું પત્ર શરૂ થયું હતું, જે આજે પણ જૈનધર્મનો પ્રચાર અને રક્ષાનું કાર્ય કરે છે. પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા (ડીસા) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામંદિરનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના ઉપદેશથી થયો હતો. પૂજ્યશ્રીના હસ્તે દીક્ષાઓ પણ અનેક થઈ હતી. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણોની ભૂરિ ભૂરિ અનુમોદનાપૂર્વક તેઓશ્રીને કોટિ કોટિ વંદના! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy