________________
૫૦૮
ધન્ય ધરા:
- પૂ. વિનયચંદ્રસૂરિ મ.સા.ની શુભ પ્રેરણા અને આશીર્વાદથી બનાસકાંઠા જિલ્લામાં રાધનપુરથી ૩૦ કિ.મી. દૂર થરા ગામની બાજુમાં રૂની તીર્થનો ભવ્ય જીર્ણોદ્ધાર સાથે તીર્થોદ્ધારનું ભગીરથ કાર્ય થયું, જે તીર્થમાં જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલા શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનાં ચરણપાદુકા જમીનમાંથી સ્વયં પ્રગટ થયાં છે તે પાદુકા બિરાજમાન છે. ભવ્ય ધર્મશાળા, ભોજનશાળા આરાધનાભવન વગેરે નિર્માણ થયું છે તથા પૂજ્યશ્રીનાં વરદ્ હસ્તે ૨૦૪૮ની સાલમાં વૈશાખ સુદ-
ના શુભદિવસે એ તીર્થે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠાનો પાવન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો અને વર્ષોથી એ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુ, ગૌતમ સ્વામી, પદ્માવતી માતા શ્રી માણિભદ્રજી આદિ મૂર્તિમાંથી અમી ઝરે છે, આવા શુભ તીર્થનું તીર્થોદ્ધાટનનું કાર્ય પૂજ્યશ્રીનાં જીવનનું અદ્ભુત કાર્ય છે.
રૂની તીર્થોદ્ધારક પ. પૂ. આ. શ્રી વિનયચંદ્રસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન શ્રી કલ્પજયસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થપ્રભાવક ટ્રસ્ટ રૂની (જિ. બનાસકાંઠા)ના સૌજન્યથી
સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર પૂ. આ.શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મ.
જિનાજ્ઞા અને ગુવંજ્ઞાના પાલન દ્વારા જેમનું ગુલાબી જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરીજી મહારાજને જોતાં જ પવિત્ર “પંચસૂત્ર'નું ‘વેવI Mારે' સૂત્ર યાદ આવે. પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ લાગે જ્ઞાનસારસૂત્ર'ના “નિ:સ્પૃહત્વે મહાસુરમ્' પદનો જીવંત અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. સ્પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. ગુલાબ અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી અનેક શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે.
કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૫ ને મંગળવારે કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું
સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન શાસનના સ્વ-પર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હ્રીંકારવિજયજી મહારાજ તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજ્યશ્રીની સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો વડે શોભી રહી અને કોને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. અપ્રમત્તતા, ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે.
સં. ૨૦૪પના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, તપસ્વીઓનું બહુમાન યોગાસંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાનઉજમણાં, દીક્ષા પ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર કરીને સબોધની સરિતા વહાવી છે. જૈનસાહિત્ય અને જૈન જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. કોટિશ: વંદન હજો એવી વિભૂતિને! ..
સૌજન્ય : શ્રી વાવ જૈન છે. મૂ. સંઘ, વાવ (જિ. બનાસકાંઠા) સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ પ્રશાંતમૂર્તિ
પૂ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ
રાજસ્થાનના ભૂષણ સમું ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં શ્રાવકોની આરાધના માટે પાંચ પાંચ પૌષધશાળાઓ છે.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only