________________
શાશ્વત સરભ' ભાગ-૧
૫૦૦
વિસ્તારના બધા જ જેનોનાં ઘેર ઘેબરની પ્રભાવના કરવામાં આવી હતી તથા ઓપેરાથી છેક પાંજરાપોળ રિલીફ રોડ સુધીની ગુરુભક્તિ યાત્રા ઘણી લાંબી નીકળી હતી. ચાતુર્માસ બાદ કલિકુંડનો સંઘ નીકળ્યો ત્યાંથી પાલિતાણા કદંબગિરિ ભાવનગર વ. થઈ પુનઃ અમદાવાદ આવ્યા. આ વિ. સં. ૨૦૫નું ચાતુર્માસ શાંતિનગર, આશ્રમરોડ (અમદાવાદ) મ્યું. આ ચાતુર્માસમાં બાળકોની પાઠશાળાના વિકાસનું સંગીન કાર્ય થયું. ચાતુર્માસ બાદ શેરીસા પધાર્યા ત્યાં પોષ દશમીના અઠ્ઠમતપની આરાધના સારી રીતે થઈ. ત્યાંથી વિહાર કરી ભાવનગર પધાર્યા. ત્યાં કાળુભા રોડ પાર્થપેલેસમાં નૂતન જિનાલયમાં શ્રી ખદરપર પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. ત્યાંથી પાલિતાણા થઈ કદંબગિરિ પધાર્યા. કદંબગિરિમાં ચાલતા જીર્ણોદ્ધારનું કામ નિહાળી પૂજ્યશ્રીને સંતોષ થયો.
ત્યાંથી અમદાવાદ સરખેજ શ્રી નેમિ-મહિમાપ્રભસૂરિ વિહાર ધામમાં નૂતન નિર્મિત ભવ્ય જિનાલયમાં (પ્રાસાદમાં) વૈશાખ સુદ-૧૩ના પ્રતિષ્ઠા મહોત્સવ પૂજ્યશ્રીની તથા પૂ. આ.મ. શ્રી મહિમાપ્રભસૂરિ મ.ની નિશ્રામાં ઊજવાયો. ત્યાંથી અમદાવાદ પધાર્યા. સં. ૨૦૫૭નું ચાતુર્માસ શાંતિવન (પાલડી) શ્રી મહિમાપ્રભસૂરિ જ્ઞાનમંદિરમાં થયું. આ ચાતુર્માસમાં પૂજયશ્રીને ઘણો આનંદ આવ્યો. અહીંનું શાંતિમય વાતાવરણ ઘણું અનુકૂળ આવ્યું. આસો સુદમાં સરખેજ વિહારધામમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા ત્યાં અહંતુ મહાપૂજન પણ ત્રણ દિવસનું ઉલ્લાસથી થયું.
પૂજ્યશ્રીનું આ ચાતુર્માસ અંતિમ ચાતુર્માસ બન્યું. તેઓશ્રીની તબિયત છેક સુધી સારી જ હતી પણ ઉંમરના કારણે અશક્તિ રહ્યા કરતી હતી. એમાં કારતક સુદ-૨ (૧૯૫૮) ની રાત્રે તબિયત વધુ અસ્વસ્થ જણાતાં ત્રીજની સવારે પટવા ન.હો.માં લઈ ગયા. દિવસ દરમિયાન ચાંપતા ઉપચારો કરવામાં આવ્યા પણ ક્ષીણતા વધતી ગઈ અને કારતક સુદ-૪ના દસ વાગે ડોકટરોની સલાહ મળતાં તેઓશ્રીને દશા પોરવાડ આયંબિલ શાળાના હોલમાં લાવવામાં આવ્યા, જ્યાં એક કલાક ચતુર્વિધ શ્રી સંઘની હાજરીમાં અપૂર્વ આરાધના કરાવતાં નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. સૌજન્ય : પૂજ્યપા વાત્સલ્યવારિધિ સૌમ્યમૂર્તિ આ. ભ. શ્રીમદ્
વિજયદેવસૂરિજી મ.શ્રીના દિવ્ય આશીર્વાદથી પ. પૂ. આ.શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિજી મ0 તથા પ. પૂ. આ.શ્રીમદ્ વિજuઘુમ્નસૂરિજી મ0ની પ્રેરણાથી ગુણગુન્નાનુરાગી સુશ્રાવકો તરફથી
શાંત- સૌમ્ય–તપોમૂર્તિ, શાસનપ્રભાવક
પૂ. આચાર્યશ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજ
દ્વારિકા નગરીની બાજુમાં આંભરડા નામનું ગામ છે. એ ગામમાં માંડ પંદરેક જેટલાં જૈનોનાં ઘર છે. નહીં દેરાસર, નહીં ઉપાશ્રય, નહીં સાધુસાધ્વીનો સત્સંગ, પરંતુ કોઈ પ્રબળ પુણ્યાઈને પ્રભાવે જૈનોનું જૈનત્વ અખંડ ટકી રહેલું. આ ગામમાં ગાંધી કુટુંબમાં કાલિદાસભાઈ રહે. તેમનાં ધર્મપત્ની વસ્તુબાઈએ સં. ૧૮૬૩ના ભાદરવા સુદ ૪ના પવિત્ર દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ વિઠ્ઠલભાઈ રાખ્યું. પરભવના પુણ્ય અને જન્મના પવિત્ર યોગે બાળકમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો પ્રબળ થતા ચાલ્યા. આગળ જતાં, જામનગર મોસાળમાં ભણવા ગયા. ત્યાં પૂ. આ. શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો. દેશના શ્રવણથી વૈરાગ્યનાં બીજ વવાયાં અને માતાપિતાની સંમતિ મેળવી સં. ૧૯૯૩ના વૈશાખ વદ ૬ના શુભ દિવસે મહેસાણા મુકામે દીક્ષા ગ્રહણ કરી પૂ. ગુરુદેવનાં ચરણે જીવન સમર્પિત કર્યું અને મુનિશ્રી વિનયવિજયજી નામે ઘોષિત થયા.
પૂ. ગુરુદેવની છત્રછાયામાં અભ્યાસ અને આરાધના કરતાં આગળ વધ્યા. પૂ. ગુરુદેવનો જપ-તપનો વારસો પ્રાપ્ત કરવામાં સારી સફળતાને વર્યા. વર્ષીતપ-માસક્ષમણ આદિ વિવિધ તપશ્ચર્યા સાથે વિચરતા મુનિશ્રી વિનયવિજયજી મહારાજને સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવે ગણિપંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી આજે સરળતા અને નિખાલસતા, વાત્સલ્ય અને ભક્તિના ગુણો વડે અનેકોનાં દિલ જીતી રહ્યા છે. તેઓશ્રીની શાસનપ્રભાવનાથી પ્રભાવિત થઈને સં. ૨૦૨૯ના માગસર સુદ બીજને દિવસે ભોંયણી તીર્થમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ૮૫ વર્ષની પરિપકવ વયે તેઓશ્રી કાયમી એકાસણાંનું તપ અને મહામંત્રનો સતત જ૫ સેવી રહ્યા. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ મધ્યે કર્યું ત્યારે ભારે શાસનપ્રભાવના થવા પામી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org