________________
૫૦૪
૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃક્ષેત્રે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. ધર્મભાવના તો તેમનામાં ભરપૂર હતી બાર વર્ષની ઉંમરથી જ નવપદજીની ઓળી કરતા હતા પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી. સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્યભગવંતશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને ૧૬ વર્ષની ભર યુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી નામે ઘોષિત કર્યા. દીક્ષા લીધા પછી દશ વર્ષમાં પૂ. મુનિશ્રીએ અવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ અભ્યાસ કરીને જ્ઞાનયોગ સિદ્ધ કર્યો, જેના ફળ સ્વરૂપે તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્યપરિવાર જોવા મળે છે.
પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘાણેરાવ મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં કસૂરસૂરિજી મહારાજને દીક્ષા આપતાં તો તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચરવું પડ્યું અને તેથી તો તેઓ ઘણા જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પોતાના આશ્રિતો પ્રત્યેનો એટલો વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પોતાનાં કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મનન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તૂરસૂરિજી મહારાજને અધ્યાપન કરાવવા પોતાની જાતે જ યતિ અને સંતો પાસે લઈ ગયાનાં દૃષ્ટાંતો છે. જ્યારે પણ દર્શન કરો ત્યારે જાણે એક પ્રભુતામય પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યાં ત્યાં ત્યાં સંઘમાં જૂના-જામી ગયેલાં તડનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યો. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા :
(૧) પ્રાચીન હસ્તપ્રતો સચવાય તે માટે કાળજી લેતા. (૨) વૈરાગ્યનો આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને આભારી હોવાથી કોઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ
Jain Education International
ધન્ય ધરા
પઠન-પાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ સુધી પોતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી હતી. (૩) ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને ધ્યાનમાં રાખી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના હસ્તે ૪૫ થી ૫૦ મુનિરાજોને દીક્ષા આપી છે. તેમાં શ્રી કસ્તૂરસૂરિજી, યશોભદ્રસૂરિજી, શુભંકરસૂરિજી, કુમુદચંદ્રસૂરિજી, ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય છે અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુ-સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન વગેરે આપ્યાં છે. આ પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, હસ્તપ્રતોનો સંગ્રહ, પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ.
તેઓશ્રી સં. ૧૯૮૭માં ઉપાધ્યાય પદવીથી અને સં. ૧૯૯૧માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. ૭૭ વર્ષની બુઝુર્ગ વયમાં કે ૬૧ વર્ષના દીર્ધ ચારિત્રપર્યાયમાં ક્યારેય તેઓશ્રીએ મૃત્યુનો ભય રાખ્યો નથી. કોઈ કોઈ વખત, તપાસ કરતાં ડોક્ટરોને પૂજ્યશ્રીની તબિયત ગંભીર લાગે અને ડોક્ટર એ બીજાને કહેતા હોય તો પોતે સંભળાવી દેતા કે એમાં બીજાને કહેવાની જરૂર નથી, અમે તો મૃત્યુને મુઠ્ઠીમાં લઈને ફરનારા છીએ. છેલ્લે સં. ૨૦૨૧નું ચાતુર્માસ ખંભાતમાં ઓસવાલ ઉપાશ્રયે બહુ જ આનંદપૂર્વક પૂરું કર્યા બાદ ત્યાં જ સ્થિર રહ્યા હતા. તે દરમિયાન સં. ૨૦૨૨ના ફાગણ વદ ૦))ના બપોરે ૧-૦૦ વાગે પહેલો એટેક આવતાં, લકવાની અસર પૂરેપૂરી આવી જતાં, શ્રી દેવગુરુ-ધર્મપસાયથી પછીના એક કલાકમાં સંપૂર્ણ સુધારો થઈ ગયો હતો, પણ સં. ૨૦૨૨ના ચૈત્ર સુદ દશમનો દિવસ આકરો બન્યો. તે દિવસે રાત્રે ૯-૧૧ મિનિટે ખંભાત મુકામે ઓસવાલ ઉપાશ્રયમાં પૂ. વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજનો આત્મા નશ્વર દેહ છોડી સ્વર્ગવાસી બન્યો. એક મહાન યોગીનો--અવધૂતનો તેજચમકાર એ કમનસીબ પળે વિલીન થઈ ગયો. એ મહાન વૈરાગીના હૈયામાં વૈરાગ્યનો-ત્યાગનો જે ઝણકાર હતો, સત્ય અને અહિંસાનો જે ચમકાર હતો તે વિલીન થઈ ગયો.
સૌજન્ય : જિનશાસન શણગાર ૫.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.
તથા સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિમાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર- સુરત
For Private & Personal Use Only
www.jainelibrary.org