________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અને તપ–જપનાં ક્ષેત્રે પૂજ્યશ્રીએ ખૂબ જ સુંદર પ્રગતિ સાધી. અટ્ટમ એમનો પ્રિય ત૫. ૪૦૦ અઠ્ઠમ કરીને આ ક્ષેત્રમાં મહાન સિદ્ધિ મેળવી. તદુપરાંત કર્યસાહિત્યના સર્જનમાં પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ તેઓશ્રીએ પોતાની વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી રીતે ઉદ્ધાર કરવો જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો જર્જરિત થઈ ગયાં હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો અભાવ હતો. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. પંન્યાસજી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની પાવનકારી પ્રેરણાથી મેવાડ માલવા આદિમાં ૪૦૦ મંદિરોનો જીર્ણોદ્ધાર થયો. દેરાસરોના જીર્ણોદ્ધાર સાથે હજારો શ્રાવકશ્રાવિકાઓના જીર્ણોદ્ધાર કર્યા. સ્થાનકવાસી તેરાપંથીઓને જિનપૂજાની શાસ્ત્રીયતા સમજાવી જિનપૂજક બનાવ્યા. ૨૨૨ જેટલાં મંદિરોની અંજનશલાકા પ્રતિષ્ઠાઓ થઈ. ૨૫ ઉપરાંત ઉપધાનતપ થયાં. ૭૫ દીક્ષાઓ થઈ. બિખરે ફૂલ જેવા ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં ‘રસબંધો' નામનો ૨૫ હજાર શ્લોકમાં સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયો છે. પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૨૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી જ છ મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી છે.
મેવાડ પ્રદેશમાં ઇસ્વાલ, સિરસ, માંડલગઢ, દયાલશાલિકા તીર્થ, નાગેશ્વર દર્શનધામ, લાલુખેડા, ભીમ આદિ અનેક નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ માટે અને તેને સક્ષમ અને સુદૃઢ બનાવવા ભગીરથ અને સતત પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને ‘મેવાડદેશોદ્ધારક' તરીકે ઓળખવામાં આવ્યા. ગણિપદવી વખતે ૨૦ હજાર માનવમેદની હાજર હતી. તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી સંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને વવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિવસે રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પૂજ્યશ્રીનો સંયમપર્યાય ૫૪ વર્ષનો હતો. પૂજ્યશ્રીની સમાધાનવૃત્તિ જબરદસ્ત હતી માટે ખુમારી સાથે કહી શકતા હતાં કે ૫૪ વર્ષની સંયમપર્યાયમાં મને ૫૪ મિનિટ પણ આર્દ્રધ્યાન થયું નથી! માન-અપમાન દરેકમાં સંમર્દષ્ટિ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો. ‘‘શ્રાવક પાસે ગોચરી
Jain Education International
૪૫
માંગવી, છોકરા, છોકરી માંગવી પણ પૈસા માંગવા નહિ, નહિંતર સાધુની કિંમત કોડીની થઈ જાય....
૩૦-૩૫ કિ. મી. નો રોજિન્દો વિહાર હતો. સુકલકડી કાયામાં જોશ અને ખુમારી જોવા જેવી હતી. સં. ૨૦૬૧માં મેવાડમાલવાની પ્રતિષ્ઠાઓ પૂર્ણ કરી અતિ ઉગ્ર વિહાર કરી સુરત પહોંચ્યા. ત્યાં તાવ ચઢ્યો–ઉતરે જ નહિં વર્ષોથી દવા લીધેલ નહી માટે ઉપેક્ષા કરી.રોગ વધતાં તપાસ કરાવી. લીવરનું કેંસર થર્ડ સ્ટેજનું ખ્યાલ આવ્યો છતાં અપાર સમાધિ-ભક્તિ. મારી તો ટીકિટ ક્યારની પૂરી થઈ ગઈ છે. વગર ટીકીટની મુસાફરી છે. ગમે ત્યારે ટી. ટી. આવે ઉતરવા તૈયાર છું–સમાધાન એ જ સ્વર્ગ છે, પ્રતિકુળતામાં પ્રસન્નતા આદિ સૂત્રો આત્મસાત કરેલા. આસો સુદ-રના રાત્રે ૧.૫૨ મિનિટે સુરત ભટાર રોડમાં નમસ્કાર મહામંત્ર સાંભળતાં સાભળતાં સ્વર્ગવાસી બન્યા. ૧૦૭ શિષ્યો તથા ૨૦૧ શિષ્યાઓના હિતચિંતક ગુરુદેવશ્રીનો સદા માટે વિરહ થઈ ગયો. અમર રહો પૂજ્ય ગુરુદેવશ્રી!
(પં. શ્રી રશ્મિરત્ન વિ. સંપાદિત સૂરિ જિતેન્દ્રજીવન જ્યોત તથા નમામિ સૂરિ જિતેન્દ્ર” માં પૂજ્યશ્રીનું વિસ્તૃત જીવન છે.)
સૌજન્ય : જનગુણ આરાધક ટ્રસ્ટ, ૧૫૧ ગુલાલવાડી,, મુંબઈ-૪ સાહિત્યસર્જક : વર્ધમાન તપોનિધિ, ૧૨૪
અઠ્ઠમતપના આરાધક
પ.પૂ.આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.સા
પોતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે જિનશાસનના ચતુર્વિધસંઘનો જેમના પ્રત્યે અવિહડ રાગ રગરગમાં વ્યાપી વળેલો છે તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે
For Private & Personal Use Only
www.jainelibrary.org