SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ધન્ય ધરા: પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી “મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે મૂળ માત્ર છપાવી અને ‘આનંદબોધિની' નામે સુંદર વિઠ્ઠલ્મોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગતપ-સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડ્યું. માલવાની–ઉજ્જૈનની પુણ્યભૂમિમાં વીશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચક્રારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલમયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ ધૂલેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ પુનરોદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિજ્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત–ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રથમ તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી વર્ધમાન તપની કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ ઓછી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના પ્રચાર-પ્રસાર માટે સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન પણ કર્યું. પૂજયશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૧૧૫ શિષ્યો–પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી શોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજયવરને! પરમપૂજ્ય આચાર્ય શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી જૈન આગમ મંદિર ટ્રસ્ટ, પૂના. મેવાડ દેશોદ્ધારક ૫. પૂ. આ. શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મભૂમિ રાજસ્થાનમાં પાદરલી ગામ છે. તેમાં હીરાચંદજી નામે એક સુશ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્ની મનુબાઈની કુક્ષિએ સં. ૧૯૭૯ના વૈશાખ વદ ૬ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ જેઠમલજી રાખ્યું. શાળાકીય શિક્ષણ લઈને વેપારધંધાર્થે મુંબઈ આવેલા જેઠમલજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો પાવનકારી સંપર્ક થયો અને તેઓ સંયમી બનવાના મનોરથવાળા થયા. સંસારની જંજાળમાં જકડાઈ ચૂક્યા હોવાથી આ મનોરથ સફળ બનાવવા ઘણો પુરુષાર્થ કરવો પડ્યો, પણ અંતે વિજયી બનીને સવા વરસના બાલકને માતા-પિતાને સોંપીને સં. ૨00૮ના જેઠ સુદ પાંચમે મુંબઈ ભાયખલ્લામાં સંયમ સ્વીકારીને મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ બન્યા અને ગુરુપદે પૂ. મુનિવર્ય શ્રી ભાનુવિજયજી મહારાજને સ્થાપિત કર્યા. ગુરુસમર્પણ, જ્ઞાનધ્યાનની તાલાવેલી, તપપ્રેમ આદિ ગુણોના પ્રભાવે થોડા જ સમયમાં તેઓશ્રીએ અભુત પ્રગતિ સાધી. પૂજ્યશ્રીના નાનાભાઈ ગણેશમલજીએ પણ વડીલ બંધુના સંયમજીવનથી આકર્ષાઈને બે વર્ષ બાદ દીક્ષા લીધી. અને મુનિ ગુણરત્નવિજયજી બન્યા. મુનિ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ પર ગજબની ગુરુકૃપા હતી, એથી થોડાં જ વર્ષોમાં જ્ઞાન-ધ્યાન Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy