________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને!
પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેન વિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐૐકાર જૈન તીર્થ-ભદ્રંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવીમંદિર, વિશાળ ૨ઉપાશ્રય, પ્રવચનહૉલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ ની સ્થાપના-તેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પન્હાળા હિલ સ્ટેશને મહાવીર-લબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના....
સં. ૨૦૬૨ના સંયમપર્યાયના પાવન દિને અનેક સંઘોએ ભેગા થઈ દક્ષિણ મહારાષ્ટ્રભૂષણ પદવી આપેલ,સં. ૨૦૬૨ના મહાવદ ૬ના પાવદિને પૂના-બેંગલોર હાઇવે ટચ, ઈ કુંથુનાથગૌતમ-લબ્ધિ બાબેશ્વર વિહારધામ-કલશાકારે જિનાલયમાં અંજન-પ્રતિષ્ઠા ગાંધી પરિવાર દ્વારા થયેલ, પૂજ્યશ્રીની પ્રેરણાથી વિટા-ચિપલૂન-યક્ષંબા આદિ જિનાલયના કાર્યો ચાલુ છે. પૂજ્યશ્રી સતત ૧૦ વર્ષથી દીવાળીમાં ૧૬ દિન મૌન સૌથે સૂરિમંત્રની સાધના કરે છે.
સૌજન્ય : પૂ. ગણિશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી યૂ. ૐકારતીર્થ સ્થાપક સૂરિમંત્ર આરાધક દક્ષિણ મહારાષ્ટ્રભૂષમ આ. શ્રી પુણ્યાનંદસૂ.મ.ના સંયમજાવનના ૬૦ વર્ષમાં પ્રવેશ અનુમોદનાર્થે શ્રી ૐકાર જૈન તીર્થ-ભદ્રંકર પદમલા–(વડોદરા) ગુજરાત ૦૨૬૫-૨૨૪૨૭૯૨ પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી
મ.સા.
પૂ.
આચાર્યશ્રી
વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ-પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા
Jain Education International
૪૫૫
પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ધર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ કરે અને સાધુમહારાજો અને સાધ્વીમહારાજોની ઉલ્લાસપૂર્વક ભક્તિ-સેવા કરીને જીવનને કૃતાર્થ બનાવે. આ ધર્મસંસ્કારો એમના પુત્ર હીરાભાઈ અને પુત્રવધૂ પ્રભાવતીબહેનમાં ઊતર્યા. શ્રી હીરાભાઈને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ એમ પાંચ સંતાનોનો પરિવાર. પહેલું સંતાન પુત્રી ઇન્દુ, બીજું સંતાન પુત્ર ધનસુખ, ત્રીજું સંતાન પુત્ર હસમુખ, ચોથું સંતાન પુત્રી હંસા અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ આપણા આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પોષી પૂનમના દિવસે એમનો જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે પોતાના કુટુંબ સાથે અમદાવાદ આવ્યા ને સાબરમતીમાં વસ્યા. તે સમયે હસમુખભાઈની ઉંમર તો નાની હતી, પણ ભાવિનો કોઈ શુભ સંકેત કહો કે, તેમને બચપણથી જ રમત-ગમત પ્રત્યે ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધારે વસી જાય અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા ભાવ જાગતા કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને ખાન-પાન અને મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ જતાં રોકી રાખતી. એવામાં સં. ૨૦૦૨ની સાલનું ૫. પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો આ મનગમતો સુયોગ સાંપડ્યો! એમની ધર્મરુચિને ખીલવવાનો અવસર આવી ઊભો. એમના હૃદયમાંનો ધર્મરંગ વધુ પાકો બન્યો. આ પછીના વર્ષે, સં. ૨૦૦૩નું ચોમાસું યૂ. શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી સાથે પૂ. આ. શ્રી વિજયોદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી
For Private & Personal Use Only
www.jainelibrary.org