________________
૪૫૪
પરમ
શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી.
આચાર્યદેવોના જીવનક્રમમાં સહજ બની ગયેલાં સામાન્ય કાર્યો તો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં, પરંતુ યથાનામ ધુરંધર કાર્ય ન થાય તો નામ દીપે નહીં. એવાં કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલિતાણામાં ગિરિરાજ શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતાં અને શ્રમણપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા કેસરિયા વીરપરંપરાપ્રાસાદ' નામે વિશાળ ચૈત્યનું નિર્માણ એ મુખ્ય છે. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ. કેન્સરનું નિદાન થયું, છતાં તેઓશ્રીની પ્રવૃત્તિમાં સહેજે શિથિલતા ન આવી. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. ત્યાં વ્યાધિની વેદનાએ માઝા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ સુધી આ વ્યાધિની અશાતના સહન કરતા રહ્યા. વૈશાખ વદ ૧૨ને દિવસે શુક્રવારે સાંજના ૪-૨૫ વાગ્યે આ તેજસ્વી તારક શાંતિ અને સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા, પરંતુ અપૂર્વ ગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશઃકાયા તો યાવચંદ્રદિવાકરૌ અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં એક દૃષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ કાર્યો કરી ગયા! ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, આદર્શ કોટિની સંયમ-સાધના-સ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા– સત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય જીવનયાત્રા પૂર્ણ કરી ગયા.
પ.પૂ.આ.શ્રી હેમચન્દ્રસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સા,ની પ્રેરણાથી શ્રાવકભક્તોના સૌજન્યથી શ્રી ૐકારતી ભદ્રંકરધામ–મહાવીરલબ્ધિધામ કુંથુનાથ ગૌતમલબ્ધિધામ સ્થાપક, દક્ષિણ મહારષ્ટ્રભૂષણ પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ
પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા ગાયકવાડે ‘દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે કહેવત પડી ગઈ છે કે, ‘ગામ છાણી–દીક્ષાની ખાણી.' ભાગ્યે જ
Jain Education International
ધન્ય ધરા
કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજ્યશ્રીનો જન્મ થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સંકલ્પમાં સુદૃઢ કરી દો એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પૂજ્યશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પોષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની કથાઆલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધ-સુવાચ્ય કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. ‘સુઘોષા’, ‘શાંતિસૌરભ’, ‘મહાવીર-શાસન’માં તેઓશ્રીની કથાઓ પ્રસિદ્ધ થઈ છે, આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે.
પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અદ, ૧૬-૧૧ ઉપવાસ, વીશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. વિદ્વાન આ. વારિષણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ ૐમાં પંચપરમેષ્ઠીની સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ-૩, ૧૯-૨૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને
For Private & Personal Use Only
www.jainelibrary.org