SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૪૪૩ દીધું “અતુલ'. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી થોડો સમય પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કોમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧૯ના માગશર સુદ પાંચમના શુભ દિને ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી અભયચંદ્ર વિજયજી નામે ઘોષિત કર્યા. લોકોની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન જ્ઞાન-ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિચર્યા. અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘો દ્વારા તેમને પદવી પ્રદાન કરવાની વિનંતીઓ થઈ. પ્રાંત-મુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને ‘ગણિપદ' થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ) ની વિનંતીથી પંન્યાસપદ' થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ના દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકોએ લાભ લીધો. ગુરુદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી ગણિવરને વાસક્ષેપ નાખી પંન્યાસજી બનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયોજનશક્તિ અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યું. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઈ અનેક શ્રીસંઘોએ તેમને આચાર્યપદથી અલંકૃત કરવાની વિનંતી કરી. સકળ સંઘોની આ ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પદવીઓ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્યપદથી નવ પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અલંકૃત કરવામાં આવ્યા. હવે પંન્યાસજી ‘આચાર્યશ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી' બની રહ્યા. પૂ. આ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણા દ્વારા- બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રાચીન શ્રીરામસણ-તીર્થના જીર્ણોદ્ધાર કાર્ય તેમ જ ભાયંદર (વેસ્ટ)માં આચાર્યશ્રી વિજય રામસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ સ્થાપી–ત્રણ જિનાલયો-ત્રણ ઉપાશ્રયો, સાધારણ- ભવન તેમ જ મુંબઈમાં પ્રથમક્રમે જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓ ધાર્મિક અભ્યાસ કરી સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે તેનું નવનિર્માણ કર્યું. ભીલડિયાજી તીર્થમાં શ્રી જૈન શ્રમણ શ્રાદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધ સાધુ-સાધ્વીજી માટે શ્રમણ-શ્રમણી વિહાર સંઘને આરાધના માટે પાઠશાળા જિનાલય-ઉપાશ્રય-ભક્તિભવન આદિ નિર્માણ—અને તે જ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત અર્પણ એપાર્ટમેન્ટમાં જિનાલય-ઉપાશ્રય–પાઠશાળાનું નિર્માણ કાર્ય કરાવ્યું છે. ડીસા ચાર રસ્તા પાસે ‘વર્ધમાન જૈન વિહારધામ'નું રમણીય સંકલ જિનાલય–ઉપાશ્રયો, ધર્મશાળા-ભોજનશાળાવિશાળ હોલ સાથે નિર્માણ થયું-ગાંધીનગર સરખેજ હાઇવે પર ગોતા હાઉસિંગ બોર્ડમાં શુભમંગલ શ્વે. મૂ. પૂ. સંઘ સ્થાપીજિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ શાળા નિર્માણ થયું. અભય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જયપ્રેમ સોસાયટીમાં બિમાર સાધુ-સાધ્વીની સેવાર્થે ને પાલડી-તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં સાધુ-સાધ્વી પાઠશાળાનું નિર્માણ ને હવે આ રીતે પૂજ્યશ્રી આચાર્યપદ પામ્યા પછી ગુરુકૃપાએ-અનેકવિધ શાસનપ્રભાવનાનાં ઉપરોક્ત કાર્યો સિવાય–બીજાં પણ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં 100 જેટલાં અંદાજિત ગામોમાં જિનાલય, ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલશાળા કંઈકને કંઈક પોતાની કુનેહ બુદ્ધિથી ઉદારતા ને સરળ સ્વભાવથી પ્રેરણા આપી કરાવ્યાં છે ને હજુ પણ અવિરત ચાલુ છે. ઘણાં ગામોમાં અનો પણ પૂજ્યશ્રીની પ્રેરણા પામી ધર્મમાર્ગે જોડાયા. પૂજ્યશ્રીના આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની નિશ્રામાં સાંચોરીભુવનમાં થનાર વિવિધ અનુષ્ઠાનો તથા અન્યત્ર પૂજ્યશ્રીની પ્રેરણાથી કાયમી સંભારણારૂપે થનારા સુંદર કાર્યોની નોંધ આ મુજબ છે. કારતક સુદ ૧૩ થી કારતક વદ ૨ સુધી પાલિતાણા દોશીભુવનમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવનું આયોજન, કારતક સુદ ૧૫ થી પોષ સુદ ૧૫ સુધી પાલિતાણામાં સત્યાવીશ એકડા ધર્મશાળા નવાણું યાત્રા અને માળારોપણ મહોત્સવનું આયોજન. અભય ફાઉન્ડેશન, અમદાવાદના ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ શ્રી સિદ્ધાચલ તીર્થમાં ગુરુકુલ Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy