________________
શાશ્વત સૌરભ ભાગ-૧
થયેલ. તેમ જ હમણાં પણ વિ.સં. ૨૦૬૪માં પુનર્મુદ્રણ ૧૭ ગ્રંથરત્નો પ્રાયઃ કરીને પોષ મહિનામાં અને બાકીના પણ ગ્રંથરત્નોનું પણ આજ સાલમાં પ્રકાશન થવાની સંભાવના છે. પૂજ્ય આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી મહારાજ નિરામય દીર્ઘાયુષ્ય પામીને અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કરતા રહો એ જ અભ્યર્થના! અને પૂજ્યશ્રીનાં ચરણાવિંદમાં કોટિ કોટિ વંદના ! સૌજન્ય : શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન શ્વે. સંઘ કાંદિવલી (ઇષ્ટ) મુંબઈ એક સગૃહસ્થ તરફથી. વિશ્વવિક્રમી આરાધક, ઉગ્રવિહારી તપસ્વી, ‘મરાઠાવાડ ઉદ્ધારક'
આચાર્યશ્રી વિજયવારિષણસૂરીશ્વરજી
મહારાજ
છાણીનું અપરનામ સંયમનગરી રાખવું પડે એટલી દીક્ષાઓ આ નગરીમાં થઈ છે. પૂજ્યશ્રી પણ એ ભૂમિનું સંતાન છે. શ્રી શાંતિનાથ પ્રભુની શીતળ છાયામાં ધર્મપ્રિય સોમચંદભાઈ ગિરધરભાઈના ગૃહે માતા કમળાબહેનની કુક્ષિએ છ પુત્રરત્નોએ જન્મ લીધા હતા. પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજાદિનાં પાવન પગલે નગરનાં ૮૦ ઘરમાંથી ૧૨૫ ભગવંતો પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી ગયા હતા. એવા વાતાવરણમાં ઊછરતાં કમળાબહેન અને સોમચંદભાઈનાં આ સંતાનોમાં ત્રીજા નંબરના મહેશભાઈ, ચોથા નંબરના કિરીટભાઈ, પાંચમા નંબરના મુકુન્દભાઈ અને છઠ્ઠા નંબરના તેજપાલભાઈ વૈરાગ્યના રંગે રંગાયા. ચારે પુત્રોને ઘરઆંગણે મહામહોત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરાવનાર માતાપિતા ખરેખર ધન્યવાદના અધિકારી છે! સં. ૨૦૧૪ના માગશર સુદ પૂર્ણિમાને દિવસે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષામહોત્સવ થયો. પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મહારાજના શિષ્ય તરીકે ચાર ભાઈઓ મુનિશ્રી વિજયસેનવિજયજી, શ્રી વજ્રસેનવિજયજી, શ્રી વલ્લભસેનવિજયજી અને શ્રી વારિષણવિજયજી નામે જાહેર
થયા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વારિષણવિજયજી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં શાસ્ત્રાધ્યયન અને તપ-આરાધનામાં ખૂબ જ આગળ વધ્યા. તેઓશ્રીને સં. ૨૦૩૭ના મહા સુદ ૧૪ને દિવસે મદ્રાસમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજ મહારાજના હસ્તે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં.
Jain Education International
૪૩૩
૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના મંગલ દિને શ્રાવસ્તિનગરીમાં શ્રી સંભવનાથ જિનાલય અંજનશલાકા મહોત્સવ પ્રસંગે ‘કર્ણાટકકેસરી' પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે. સૂરિપદથી શોભાવવામાં આવ્યા. એક જ વર્ષમાં પંચપ્રસ્થાનની આરાધના કરીને પૂજ્યશ્રી એક દિવ્ય પ્રભાવક બની રહ્યા છે. મરાઠાવાડામાં અનેક નગરો-ગ્રામોમાં ત્રણ વર્ષ સતત વિચરીને ધર્મવિમુખ પ્રજાને ધર્માભિમુખ બનાવી. ઔરંગાબાદમાં પૂજ્યશ્રીની ૭૫મી ઠામચૌવિહારી એકાદશીની ઓળીના પારણે અનેક સંઘોએ મહોત્સવપૂર્વક તેઓશ્રીને ‘મરાઠાવાડા ઉદ્ધારક’ની પદવી આપી. પૂજ્યશ્રીએ પ્રથમવાર જ મરાઠાવાડ પ્રદેશમાં ઉદ્યાપન, ઉપધાન તપ, અંજનશલાકા મહોત્સવો ઊજવવાનો યશ પ્રાપ્ત કર્યો છે.
જેમ દક્ષિણ ભારતના પ્રાંતોમાં પૂજ્યશ્રી શાસનપ્રભાવના દ્વારા જૈનં જયતિ શાસનમ્'નો જયઘોષ ગાજતો કરી રહ્યા, તેમ ભારતનાં છેક ઉત્તર છેડે–નેપાલમાં પણ તેઓશ્રીએ વીરપ્રભુના શાસનનો ધ્વજ લહેરાવ્યો છે. નેપાલમાં મૂર્તિપૂજક શ્રમણ તરીકે પ્રવેશ કરનાર પૂજ્યશ્રી પહેલા છે. નેપાલની સરહદે ફારબીસગંજ, ફૂલકા વગેરે નગરોમાં જિનમંદિરની પ્રતિષ્ઠા તેઓશ્રી હસ્તક થઈ છે. ઉગ્ર વિહાર એ પૂજ્યશ્રીનું એક પ્રભાવક લક્ષણ છે; તો ઉગ્ર તપશ્ચર્યા એ તેઓશ્રીનું બીજું વિશ્વવિક્રમી લક્ષણ છે. વર્ધમાન તની ૮૭મી ઓળી પૂર્ણ કરી (સં. ૨૦૪૭) ૮૮મી ઓળી ઠામચૌવિહારી એકદત્તીથી કરી રહ્યા છે. એકદત્તી ઠામચૌવિહારી ઓળી કરનાર વર્તમાનમાં પૂજ્યશ્રી વિશ્વવિક્રમ ધરાવનાર આચાર્યપ્રવર છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવના પણ અત્યંત પ્રભાવક પુરવાર થઈ છે. તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ સંઘોમાં અનેક આયંબિલ ખાતાં સ્થપાયાં છે. પૂજ્યશ્રીએ પણ ૭૦૦૦ આયંબિલ અને ૧૫૦૦ એકાસણાંની આરાધના કરી છે. ૫ ઉપધાન તપ, ૬ શિખરબંધ મંદિરમાં પ્રતિષ્ઠાઓ, ૬ ગૃહમંદિરે પ્રતિષ્ઠાઓ, અંતરિક્ષજી તીર્થ તેમ જ હિંગોળીથી શત્રુંજય તીર્થનો ૯૨૫ કિ.મી.નો, ૩૦ દિવસનો, અતિ ઉગ્ર વિહારપૂર્વકનો અને અઢાર અભિષેકના ઐતિહાસિક પ્રસંગે શત્રુંજય તીર્થે ઉપસ્થિત થઈ અનુમોદનીય બનેલો અદ્વિતીય યાત્રાસંઘ; ૧૦ અંજનશલાકા ઉત્સવ, ૨૧ માસક્ષમણ તપશ્ચર્યાઓ, ૪ દીક્ષાઓ, ૭૧ છોડનાં ઉજમણાં આદિ અનેક શાસનપ્રભાવનાઓ પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ છે. ઉપરાંત પૂજ્યશ્રીએ ૧૦૦ વર્ધમાનતપ ઓળી પૂર્ણ કરી કારતીર્થમાં અંજનશલાકા, પ્રતિષ્ઠામહોત્સવમાં પારણું કરેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org