________________
૪૧૮
જ્યારે જ્યારે કોઈપણ વિચાર મનનો કેડો મૂકતો નથી ત્યારે ત્યારે તે અનુરૂપ પ્રવૃત્તિ પણ પ્રગટ્યા વિના રહેતી નથી. હવે તો વૈરાગ્યનો ‘ચોલમજીઠ રંગ’ ગોવિંદજીભાઈના અંતરમાં લાગી ગયો હતો. વૈરાગ્યનું ચિંતન ગોવિંદજીભાઈના હૃદયમાં સતત ધમરોળાતું હતું.
પરિણામે ગોવિંદજીભાઈ માતા-પિતાની અનુમતિ લઈ સંસારને તિલાંજલિ આપવા તત્પર બન્યા. અંતે મુંબઈ લાલવાડી મધ્યે વિ.સં. ૨૦૧૪ માગશર સુદ દશમ રિવવારના બે મુમુક્ષુ આત્માઓ સહ ભવ્ય મહોત્સવપૂર્વક મુનિપણું સ્વીકારી ‘નૂતન મુનિ ગુણોદયસાગરજી' નામ ધારણ કરી પ.પૂ.આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. નું શિષ્યપણું સ્વીકાર્યું.
શ્રી જિનશાસનના અને અચલગચ્છનાં કાર્યો કાજે પોતાના ગુરુદેવશ્રીનાં સત્કાર્યોમાં સતત જોડાતા રહ્યા અને પોતાના ગુરુદેવશ્રીના દિલમાં મોંઘેરું સ્થાન પ્રાપ્ત કરી લીધું. * ભૂજમાં મુનિશ્રીને ઉપાધ્યાય પદ પ્રદાન ઃ—
છેલ્લા કેટલાય સમયથી ગુરુદેવશ્રીની અને અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વે. જૈન સંઘની અંતરની ભાવના હતી કે, “મુનિશ્રી ગુણોદયસાગરજીને ગણિ ઉપાધ્યાય પદે આરુઢ કરવા, પરંતુ આ અંગે પૂજ્ય મુનિશ્રી ઉત્કંઠિત ન હોવાથી જે કાર્ય વિલંબાતું હતું તે કાર્ય વિ.સં. ૨૦૩૨ના રોજ ભૂજ નગરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના ધ્વજદંડ પુનઃ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે પરિપૂર્ણ થયું. પૂજ્ય મુનિશ્રી ગુણોદયસાગરજી મ.ને ઉપાધ્યાય પદથી અલંકૃત કર્યા. મકડામાં આચાર્ય પદવી :~
પૂ. અચલગચ્છાધિપતિશ્રીના હૃદયમાં એવી ઉત્તમ ભાવના જાગી હતી કે, પોતાના મુખ્ય શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી મ.ને હવે આચાર્ય પદથી અલંકૃત કરવા, કારણ કે, આવા સુયોગ્ય શિષ્યને સૂરિપદથી સુશોભિત કરવાથી પોતાની અનેકવિધ જવાબદારીઓમાં હળવાશ અનુભવાય અને તેમની ઉત્તમ શક્તિઓનો શાસનને તથા શ્રીસંઘને લાભ મળે. તેથી વિ.સં. ૨૦૩૩ વૈશાખ સુદ ૩ અક્ષયતૃતીયાના પાવનદિને મકડા ગામે સ્વ. ગુરુદેવ અચલગચ્છાધિપતિશ્રીના વરદ્ હસ્તે વિશિષ્ટ જિનભક્તિ મહોત્સવપૂર્વક ધામધૂમથી સૂરિ પદે આરૂઢ કરાયા અને જિનશાસનને પૂ. આચાર્ય શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. નામના આચાર્યવરની મહાન ભેટ પ્રાપ્ત થઈ.
ત્યારબાદ સૂરિયુગલ ગુરુ શિષ્યની જોડી કચ્છ
Jain Education International
ધન્ય ધરા
રાજસ્થાન ક્ષેત્રે અનેક પ્રભાવક કાર્યો કરી મુંબઈના સંઘોની આગ્રહભરી વિનંતીથી વિ.સં. ૨૦૩૪માં મુંબઈ પધારી ત્યાં જ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે જ ત્રણ ચાતુર્માસો અનુક્રમે ઘાટકોપરચીંચબંદર–મુલુન્ડ મધ્યે કર્યાં.
કચ્છ મોટા આસંબિયા મધ્યે ૧૦૮ જિનબિંબોનો અંજનશલાકા મહોત્સવ ઊજવવો હતો. તેથી પૂ. અચલગચ્છાધિપતિશ્રીને શ્રીસંઘે વિનંતી કરી, “સાહેબજી! આપશ્રી આ પાવન પ્રસંગે પધારો”, પરંતુ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રી મુંબઈનાં શાસનકાર્યોના કારણે સ્વયં પધારી શકે તેમ ન હતા. તેથી તેઓશ્રીએ પોતાના સુવિનીત પટ્ટધર આચાર્યદેવ શ્રી ગુણોદયસાગરસૂરિજીને આજ્ઞા ફરમાવી કે, “તમારે કચ્છમાં અંજનશલાકા-પ્રતિષ્ઠામહોત્સવને સંપન્ન કરવાનો છે, માટે કચ્છ પ્રયાણ કરો!”
* ઠેર ઠેર શાસનપ્રભાવના :—
પૂજ્યશ્રીના વરદ્હસ્તે મોટા આસંબિયા રતાડિયા (ગણેશ)-બેરાજા-વડોદરા-પાલિતાણા કચ્છીભવન–બહુંતેર જિનાલય મહાતીર્થ-લાખાપુર, જોગેશ્વરી, ઘાટકોપર કુશલ ટાવર, શ્રી અનંતનાથ ૨૪' જિનાલય-મુંબઈ, ખારેકબજાર, દેઢિયા કચ્છ ગુણપાર્શ્વતીર્થાદિ, રામાણીયા, ભૂજનગર, તલવાણા, ડુમરા આદિ અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, પુનઃ પ્રતિષ્ઠાઓ, ધ્વજદંડ પ્રતિષ્ઠાઓ આદિ છેલ્લાં ૨૬ વર્ષમાં સંપન્ન થઈ અને ૧૫૦થી અધિક જેટલા પુણ્યાત્માઓને ભવોદધિતારિણી દીક્ષાઓ પ્રદાન કરી. અનેક છ'રી પાળતા સંઘો, શત્રુંજય મહાતીર્થની બબ્બેવાર ૯૯ યાત્રા તેમ જ અનેક શાસન પ્રભાવનાનાં કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાયાં કોટડા (રોહા)–રાયઘણજ૨–શેરડી-કોઠારાતીર્થ-કલ્યાણપાર્શ્વનાથ તીર્થ (રતાડિયા ગણેશવાલા) કાંડાગરા–નાગલપુર-બહુંતેર જિનાલય મહાતીર્થ, ડુમરા, માટુંગા-જોગેશ્વરી-બિદડા ગઢસીમાને અને હાલ પૂજ્યશ્રીના સંયમસુવર્ણ વર્ષ નિમિત્તે આદિ ક્ષેત્રોમાં ભવ્યાતિભવ્ય ઐતિહાસિક ચાતુર્માસનો લાભ આપીને કચ્છમાં ધર્મજાગૃતિ આણી છે, એટલું જ નહીં, પણ પોતાના ગુરુવ અચલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત પ.પૂ.આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રેરિત શ્રી શત્રુંજયાવતાર આદીશ્વર બહુંતેર જિનાલય મહાતીર્થ (કચ્છ) માટે પ્રસંગોપાત પ્રેરણા આપી પ્રતિ વર્ષે લાખોનાં ફંડ કર્યાં છે. તેમ જ જિનશાસનનો જયજયકાર બોલાવ્યો છે. એટલું જ નહીં, પણ પોતાના ગુરુદેવશ્રીનું સ્વપ્ન વહેલી તકે સાકાર થાય તે માટે સતત ઉત્તેજના અને ખેવના
For Private & Personal Use Only
www.jainelibrary.org