________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શિયાલકોટ, પતિયાલા, પપનાખા, અમૃતસર, પસરૂર, રામનગર, અંબાલા આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સંઘો થયા. એમાં બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. સં. ૧૯૦૨માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮માં રામનગરમાં વૃદ્ધિચંદને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર માટે વિહાર આદર્યો. સં. ૧૯૧૧માં સિદ્ધાચલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ચોમાસું વિતાવીને સં. ૧૯૧૨માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઈ, હેમાભાઈ, દલપતભાઈ આદિ તેમના શ્રાવકો થયા. ત્રિપુટીએ ગુજરાતમાં રહીને યતિઓ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્મની વિજયપતાકા ફરકાવી. સાધુઓને સમ્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલા લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને મતભેદો શમાવ્યા. સં. ૧૯૨૯માં પુનઃ ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭ સાધુઓએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહાસિક ઘટના હતી.
આ
શ્રી બૂટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઈને થતું કે તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં કે તિઓમાં પણ કોઈ ન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, વૃદ્ધિચંદજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ ભળાવ્યા હતા. પરિણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિનો વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર મહાયોગી સં. ૧૯૩૯માં અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એ શીખસંતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંઘનાયક બન્યા.!
વીસમી સદીના, જૈનશાસનના રાજા પૂ. ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (મૂલચંદજી) મહારાજ
વીસમી સદીના જૈન-શાસનના રાજા તરીકે ઓળખતા તે પૂ. ગણિવર્ય શ્રી મુક્તિ-વિજયજી (મૂળચંદજી) મહારાજ જૈનશાસનના ગગનમાં એક તેજસ્વી તારલા હતા.
Jain Education International
૩૮૫
પૂ. મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાલકોટમાં વિ. સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશ વંશમાં બરડ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સુખા શાહ અને માતાનું નામ બકોરાબાઈ (મહતાબદેવી) હતું. બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતા. દેખાવે શક્તિશાળી અને પ્રતિભાશાળી લાગતા. નાનપણથી જ વ્યાવહારિક શિક્ષણ સાથે સ્થાનકમાં જવાની ટેવ પડી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને થોકડા'નો મુખપાઠ કરે. આગળ જતાં, સાધુઓનો પરિચય પ્રગાઢ થતાં નિયમ લેવાની ઇચ્છાઓ જાગી અને એક સમય એવો આવ્યો કે તેમને દીક્ષા લેવાની ભાવના થઈ. માતાપિતાએ પ્રસ્તાવને સહર્ષ અનુમોદન આપ્યું. સોળ વર્ષની ઉંમરે સં. ૧૯૦૨માં ઋષિ બૂટેરાયજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા ગ્રહણ કરી.
શ્રી બૂટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજબંને ગુરુશિષ્ય-ઘણી ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા. એને લીધે શાસનમાં પેસી ગયેલી આચાર શિથિલતાઓ અને કુરીતિઓ નાબૂદ થઈ શકી. જિનપ્રતિમાની પૂજા કરવી કે નહીં તથા મુહપત્તિ બાંધવી કે નહીં, તે વિશે સમાધાન ન થતાં સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘણો ઉહાપોહ થયો, પરંતુ પોતાની શંકાના સમાધાન માટે બૂટેરાયજી મહારાજ પોતાના બે શિષ્યો શ્રી મૂળચંદજી અને શ્રી વૃદ્ધિચંદજી સાથે એક હજાર માઇલ કરતાં પણ વધુ અંતરનો કઠિન અને ઉગ્ર વિહાર કરીને પૂ. મણિવિજયજી દાદા પાસે અમદાવાદ આવ્યા. તેઓશ્રીના સત્સંગથી અત્યંત પ્રભાવિત થઈને, ત્રણેએ પૂ. દાદા પાસેથી ફરી સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. શત્રુંજય મહાતીર્થની યાત્રા કરીને સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને ત્રણેએ સંવેગી દીક્ષા લીધી. શ્રી બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, શ્રી મૂળચંદજીનું નામ મુક્તિવિજયજી અને શ્રી વૃદ્ધિચંદજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું.
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી-સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તેમ જ પંજાબમાં-કુલ મળીને પચીસથી ત્રીશ જેટલા જ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. .િ અને શ્રીપૂજ્યની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. મોટાં નગરોમાં તેઓનું બળ પણ ઘણું વધ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ
For Private & Personal Use Only
www.jainelibrary.org