SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ તીર્થંકરપ્રભુના પૂજ્ય માતાજી ધર્મના સાધુઓનો પરિચય કરીને, પોતાનું ‘પ્રિયદર્શી’ એવું બીજું નામ રાખીને બુદ્ધપ્રરૂપિત ધર્મઆરાધના કરનારો બન્યો. અત્યંત વિક્રમ-પરાક્રમથી એણે પૃથ્વી પર વિચરણ કરી કલિંગમહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર આદિ જનપદ (દેશો) પોતાને સ્વાધીન કર્યાં, ત્યાં એણે બૌદ્ધધર્મનો ફેલાવો કર્યો અને બૌદ્ધવિહારો બનાવડાવ્યા, છેક પશ્ચિમગિરિ ઉપર વિંધ્યાચલ આદિ પર્વતો ઉપર બૌદ્ધ શ્રમણ-શ્રમણીઓનાં વર્ષાવાસ માટે એણે અનેક ગુફાઓ કોતરાવી, અનેક પ્રકારની મુદ્રાવાળી બુદ્ધની પ્રતિમાઓ સ્થપાવી. ઉજ્જિત પર્વત (ગિરનારગિરિ) આદિ અનેક સ્થાનોએ સ્તૂપ (સ્મૃતિ-સ્તંભ)-શિલાઓ વગેરે પર પોતાના નામથી અલંકૃત લેખો કોતરાવ્યા. સિંહલ-ચીણ-બંભા (સિલોન-ચીનબર્મા) આદિ દ્વીપોમાં બૌદ્ધધર્મના ફેલાવા માટે, પાટલીપુત્ર નગરની અંદર એણે બૌદ્ધ શ્રમણોનું સંમેલન મેળવ્યું અને ત્યાં તેણે પોતાના મતને અનુસરનાર અનેક બૌદ્ધ શ્રમણોને મોકલ્યા. જૈનધર્મને અનુસરનારા નિર્પ્રન્થ અને નિર્ઝન્થિનીઓનો પણ તે આદર-સત્કાર કરતો હતો. તે તેઓની પ્રત્યે ક્યારેય પણ દ્વેષવાળો-દુર્ગુણવાળો બન્યો નહોતો. આ અશોક રાજાને અનેક પુત્રો હતા. તે પૈકીનો કુણાલ નામનો પુત્ર રાજ્યપ્રાપ્તિ માટે યોગ્ય હતો. તે કુણાલ પર વિમાતા (શોક્ય માતા) તિરસ્કાર કરતી હતી એવું જાણીને રાજા અશોકે પોતાના પ્રધાનોની સાથે Jain Education International ૩૬૯ તે પુત્ર કુણાલને અવંતિનગરીમાં અલગ રાખેલો, પરંતુ શોક્યમાતાનાં કપટ પ્રયોગથી તે કુણાલ આંધળો બન્યો હતો. પછીથી કુણાલના પુત્ર સંપ્રતિને પોતાના રાજ્ય પર સ્થાપીને તે અશોક રાજા મહાવીર પ્રભુના નિર્વાણથી ૨૪૦ વર્ષબાદ પરલોકમાં ગયો. પાટલીપુત્રમાં પોતાના અનેક શત્રુઓ છે, એવું જાણી આ રાજા સંપ્રતિએ પોતાની તે રાજધાનીનું શહેર છોડી દીધું અને પૂર્વે પોતાના પિતામહ રાજા અશોક તરફથી પોતાના પિતા કુણાલને ભોગવટામાં મળેવી અવંતિનગરીમાં તે રહ્યો અને ત્યાં રહી તે અત્યંત સુખપૂર્વક પોતાનું રાજ્ય કરનારો બન્યો. આ સંપ્રતિ રાજાનો જીવ પોતાના પૂર્વનાં ભવમાં એક રંક-દરિદ્ર હતો. એણે ભોજન મેળવવા માટે આર્ય સુહસ્તગિરિસૂરિજી મહારાજ પાસે જૈન સાધુ દીક્ષા ગ્રહણ કરી હતી અને અવ્યક્ત સામાયિકવાળો તે એક દિવસનું શ્રમણપણું પાળી તે ધર્મના પ્રભાવે કુણાલના પુત્ર સંપ્રતિ તરીકે ઉત્પન્ન થયો હતો. આ બાજુ સ્થવીર આર્ય સુહસ્તગિરિ મહારાજ નિગ્રન્થોથી પરિવરેલા વિહાર કરતાંકરતાં અવંતિનગરીમાં પધાર્યા. ત્યાં શ્રી જિનપ્રતિમાની રથયાત્રામાં ચાલી રહેલા એવા તેમને, સંપ્રતિ રાજાએ જોયા. રાજાને આ દૃશ્ય જોઈને તુરંત જાતિસ્મરણ જ્ઞાન થયું અને એટલે તે આચાર્યશ્રી સુહસ્તિગિરિ મહારાજની પાસે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy