SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ છે. આ લિપિ ઉત્તર ભારતમાં ઈ.સ.ની ૬ઠ્ઠીથી ૯મી સદી સુધી પ્રચલિત હતી. આ સમય દરમ્યાન ગુજરાત અને દખ્ખણમાં ઉત્તરી શૈલી પ્રચલિત થઈ. (૧૦મી સદીથી કાશ્મીરમાં કુટિલ લિપિનું જે જુદું સ્વરૂપ વિકસ્યું તે ‘શારદા’ લિપિ કહેવાઈ. જમ્મુ અને ઉત્તર પંજાબમાં ટાકરી લિપિ પ્રયોજાય છે. એ શારદા લિપિનું વળાંકદાર ટાકરી રૂપાંતર છે. જમ્મુ પ્રદેશોમાં એનું ડોંગરી સ્વરૂપ અને ચંબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત છે. પંજાબમાં શીખ ધર્મના ગ્રંથોના શુદ્ધ લેખન માટે ત્યાંની પ્રાચીન ‘લંડા' નામે મહાજની લિપિમાં પરિવર્તન કરી ગુરુ ગોવિંદસિંહે (૧૬મી સદી) ‘ગુરુમુખી’ લિપિ ઘડી. બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું જે કૈથી લિપિ કહેવાય છે. એનાં સામાન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં લક્ષણોને મળતાં આવે છે. સમય જતાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થતાં બંગાળી, મૈથિલી, નેપાલી વગેરે લિપિઓ ઘડાઈ. મૈથિલી એ બંગાળીનું રૂપાંતર છે. ઉડિયા પ્રદેશમાં ઉડિયા લિપિ પ્રયોજાય છે. બંગાળી લિપિ બંગાળા, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઈ છે. હાલ આ લિપિ બંગાળા અને આસામમાં પ્રચલિત છે. મિથિલા પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા મૈથિલી લિપિ પ્રયોજતા. ઉડિયા લિપિ પ્રાચીન બંગાળીમાંથી ઉદ્ભવી છે. સળંગ કલમે લખાય તેવા મરોડ તથા ગોળાઈદાર શિરોરેખાને લઈને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. પ્રાચીન તેલુગુ–કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઈ વધવા લાગી અને ઝડપથી લખવાને લીધે અક્ષરોના મરોડ બદલાતા ગયા અને એમાંથી વર્તમાન તેલુગુ–કન્નડ લિપિઓ વિકસી. તેલુગુ લિપિ : તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશમાં અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં ૩૪ થી ઔ સુધીના સ્વરો માટે સ્વતંત્ર ચિહ્ન છે. ! અને ઓ નાં હ્રસ્વ-દીર્ઘ એમ બે ચિહ્ન પ્રચલિત છે. ૬ અને ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી. કન્નડ લિપિ : કન્નડ લિપિ કર્ણાટકની લિપિ છે. હાલ માયસોર રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત Jain Education International યોગીરાજ શ્રી સર્વેશ સોનીએ મોકલેલ પત્રમાંથી– 5468 ++8 मिच्छामि दुक्कंडम રજૂઆત : અચલગચ્છીય પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. ૩૫૯ છે. એના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો જેવા છે. સ્વરમાત્રાઓમાં ૬ અને ઓ ના હ્રસ્વ-દીર્ઘ એવા બે મરોડ મળે છે. ગ્રંથ લિપિ : જે પ્રદેશમાં તમિલ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે તેલુગુ-કાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી, એને ગ્રંથ લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં શરૂઆતમાં, વચ્ચે કે અંતે ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘણી વિલક્ષણ બની ગઈ. એ માં ગો નું સ્વતંત્ર ચિહ્ન છે. ! અને ગૌ માં હ્રસ્વ-દીર્ઘના ભેદ નથી. રૂ ની માત્રા જમણી બાજુએ જોડાય છે. ૬ ની માત્રા ડાબી બાજુએ જોડાય છે. ઉ માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિ ઃ તમિળનાડુ પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત થઈ. તેના લેખ ઈ.સ.ની ૭મી સદીથી મળે છે. આ લિપિનું ત્વરિત રૂપ વàળુત્તુ લિપિ છે. તમિળ લિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હ્રસ્વ-દીર્ઘ પ તથા ગૌ નો ભેદ તમિળ લિપિમાં શરૂ થયેલો જણાય છે. આ અને રૂની માત્રા અક્ષરની જમણી બાજુએ અને ૬ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મલયાલમ લિપિ : કેરલ રાજ્યમાં મલયાલમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. આ લિપિમાં ૩ તથા ઓ માં હ્રસ્વ-દીર્ઘનો ભેદ રહેલો છે. આ, હૈં અને ડ્ની માત્રા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy