SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવાં ચિહ્નો ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંનાં કેટલાંક ચિત્રાત્મક છે. આ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના દ્યોતક માનવામાં આવ્યા છે; જેમ કે મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. આ લિપિનું સ્વરૂપ પૂર્ણતઃ ચિત્રાત્મક નથી. કેટલાંક વિદ્વાનો એમાં ભાવાત્મક તથા ધ્વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે તો કોઈ એને મુખ્યતઃ ન્રુત્યાત્મક માને છે. ચિહ્નોની સંખ્યા પરથી આ લિપિ પૂર્ણતઃ વર્ણાત્મક નહી હોવાનું પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવી હોવાનું ધાર્યું અને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિનાં પ્રાચીનતમ ચિહ્નો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે. આ લિપિનાં કેટલાંક ચિહ્ન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકારસામ્ય ધરાવે છે તેમજ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતિ જણાય છે. આદ્ય-ઐતિહાસિક કાલની આ અણઉકલી લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઊતરી આવી હોય એ ઘણું સંભવિત છે, છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબો ગાળો રહેલો છે. પ્રાચીન ભારતમાં મુખ્યત્વે બે લિપિઓ સહુથી વિશેષ પ્રચલિત હતી; બ્રાહ્મી અને ખરોષ્ઠી. ચીની વિશ્વકોષ ફાયુઆન–સુ-લીન (ઈ.સ. ૬૬૮)માં ત્રણ દૈવી તત્ત્વોએ લેખનકલાની શોધ કરી. પહેલા દેવ ફાન (બ્રહ્મા) જેમણે ડાબેથી જમણે લખાતી બ્રાહ્મી લિપિની શોધ કરી. બીજા દેવ કીય-લુ (ખરોષ્ઠ) જેમણે જમણેથી ડાબે લખાતી ખરોષ્ઠી લિપિની શોધ કરી. ત્રીજી લિપિની શોધ સંકીએ ઉપરથી નીચે લખાતી ચીની લિપિરૂપે કરી. એમાં પહે2 પ્લે લિપિઓના કર્તા ભારતમાં જન્મ્યા. ખરોષ્ઠી લિપિ આ લિપિ મુખ્યત્વે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ પ્રચલિત હતી, જે ધીમે ધીમે પ્રાચીન કાલમાં જ લુપ્ત થઈ ગઈ. હસ્તપ્રતોમાં આ લિપિનો પ્રયોગ ઈ.સ.ની ૨ જી સદીથી જોવા મળે છે. અફઘાનિસ્તાનના એક સ્તૂપમાંથી મળેલાં ભૂપત્રો ઉપર આ લિપિ પ્રયોજાઈ છે. ખોતાન (ચીની તુર્કસ્તાન)માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ ધમ્મપદની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. આ પ્રત પ્રાયઃ ગંધારમાં કુષાણ કાલ દરમ્યાન લખાઈ હતી. ચીની તુર્કસ્તાન (મધ્ય એશિયા)માં લાકડાનાં પાટિયાં અને ચામડાં પર લખેલાં ખરોષ્ઠી લખાણ Lou-lan, Tun huang અને Miranમાંથી મળ્યાં છે. રેશમ પર લખેલાં ત્રણ ધાર્મિક Jain Education International અને બિનધાર્મિક લખાણ, પ્રાકૃત અને ખરોષ્ઠીમાં છે. વેપારીઓ, કારકુનો અને ગુમાસ્તાઓ માટેની આ લિપિનાં પ્રાકૃત લખાણ સરળતાથી લખાતાં. આ લિપિ સેમેટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી ઉત્તરી સેમેટિક કુલની અરમાઈક લિપિના કેટલાક અક્ષરો સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરો સામ્ય ધરાવે છે. ભારતીય વર્ણો લખવા માટે અરમાઈક વર્ણમાલામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અરમાઈક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરોષ્ઠી લિપિ. મૌર્ય, ભારતીય–યવનો, શક–પહ્નવો અને કુષાણોના શાસનકાલમાં આ લિપિનો સ્થાનિક લિપિ તરીકે ઉપયોગ ચાલુ રહ્યો. ઈ.સ.ની પ મી સદી પછી આ લિપિ સદંતર લુપ્ત થઈ. બ્રાહ્મી લિપિ * સ ; + یا प ૮ ૦ - ૮ T | 6 ड ठ στ ST के દ स्त्रा ↑ ^, ख For Private & Personal Use Only ग्रा ; ब 4 d dò મ *૪ + V स હૈં का कि र्व त थ द મૌર્યકાલીન य f f 2 × E F h { Á × ૪ ૪ त्र त्या म्य म्हि X + T હૈ म्युं ह्म ख्य D L D + 2 7* + 50% ૩૫૫ dr+ 40 25 બ્રાહ્મી લિપિ બ્રાહ્મી લિપિ સમસ્ત ભારત વર્ષમાં પ્રયોજાતી અને સમય જતાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામીને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે હજુ પણ વિદ્યમાન છે. આમ વર્તમાન ભારતીય લિપિઓની જનની બ્રાહ્મી લિપિ છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમેટિક કુલની www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy