SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ધન્ય ધરાઃ બ્રાહ્મી લિપિમાં નવકાર જાતિ કે દેશવિદેશની લિપિઓ-દરક લિપિ, ખાસ્ય લિપિ, ચીન લિપિ, હૂર્ણ લિપિ વગેરેનાં નામ છે. “સમવાયાંગ સૂત્ર' અને ‘પષ્ણવણા સૂત્ર'માં ૧૮ લિપિઓની યાદી આપેલી છે. બંનેમાં ઘણાં નામ સમાન છે. આ યાદીમાં બંભી (બ્રાહ્મી), ખરોટ્ટી (ખરોષ્ઠી), પુખરસારિયા (પુષ્કરસારિકા), દ્રામિ લિપિ (દ્રવિડી) લિપિઓનો સમાવેશ થાય છે. જૈન આગમોની યાદીમાં ‘જવણાલિયા’ લિપિનો ઉલ્લેખ છે તે સ્પષ્ટતઃ યવનાની લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની શબ્દ પ્રચલિત હતો. તેનો ઉલ્લેખ પાણિનિના “અષ્ટાધ્યાયી' (ઈ.પૂ. ૫ મી રાદી)માં થયેલો છે. આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ.પૂ. ૫ મી સદીથી મળે છે. Tજ ત્રni IX CBI T૪ – r[ IŲ LOFJI To 3> 480p Dť CdIX FT 18toŲELI ૪A F 4 , 8 : LB૪ -૦-. AJ: મોકલનાર : અચલગચ્છીય. પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મ.સા. 'હડપ્પીય સભ્યતાની મઢાઓ પરની લિપિ, ૧ * ": ૨ મેં # A ta! * લેખનકળા પ્રાચીન ભારતમાં શિક્ષણના પાયાના વિષયોમાંના એક વિષય તરીકે ખૂબ અગત્યનું સ્થાન ધરાવતી હતી. લેખનકલા માટે “લિપિ” શબ્દ અને પ્રાથમિક શાળા માટે ‘લિપિશાલા' શબ્દ પ્રયોજાતો. વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બ્રહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જૈન અનુશ્રુતિમાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી મનાય છે, જ્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના સર્જક બ્રહ્માએ કર્યું મનાય છે, પરંતુ અનુશ્રુતિઓની પ્રાચીનતા નક્કી કરવી મુશ્કેલ છે. બૌદ્ધ સાહિત્યના લલિતવિસ્તર' (ઈ.સ. ૩૦૦ પૂર્વે) નામે સંસ્કૃત ગ્રંથમાં ૬૪ લિપિઓની યાદી આપવામાં આવી છે, તેમાં મહત્ત્વની લિપિ બ્રાહ્મી અને ખરોષ્ઠી દર્શાવી છે. અન્ય લિપિઓમાં પ્રદેશોનાં નામ પરથી પુષ્કરસારી, અંગ લિપિ, વંગ લિપિ, મગધ લિપિ, દ્રવિડ લિપિ જેવી લિપિઓનાં નામ અને ----------------- ____ _ 'x' હડપ્પા અને મોહેંજો-દડોનાં ખંડેરોમાંથી મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપટ્ટિકાઓ પર લખાણ કોતરેલાં મળે છે. તેની લિપિ ઉકેલવા પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ ઘણા પ્રયત્નો કર્યા છે. આ લખાણોમાં આવતાં જુદાં જુદાં ચિહ્નોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની અને એમાં ઉમેરાયેલાં માત્રાચિહ્નોની ગણતરી કરવાના પ્રયત્નો થયા છે. ડૉ. હન્ટરે કરેલાં પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા ૨૩૪ અને એમાં મૂળાક્ષરોની સંખ્યા ૧૦૨ છે. આ મૂળાક્ષરોમાં Jain Education Intemational www.jainelibrary.org Jain Education Interational For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy