________________
શાશ્વત સૌરભ ભાગ-૧
આ ભંડારમાં સંગ્રહિત ‘નેમિનાથરિત’ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો આલેખેલાં છે. બીજી એક ૧૨મી સદીની સચિત્ર પ્રતમાં બે ચિત્રો દોરેલાં છ જેમાંના એકમાં પદ્માસન પર બેઠેલ મહાવીર સ્વામી છે અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલાં ચતુર્ભુજ સરસ્વતીનું આલેખન છે.
ખંભાતના પાયચંદ ગચ્છના ભંડારમાં ૧૫૦૦ જેટલી હસ્તપ્રતો જળવાયેલી છે, જેમાંની કેટલીક તાડપત્ર પર લખાયેલી છે. જ્ઞાનવિમલસૂરિના ભંડારમાં આ જ સૂરિની લખેલ સંસ્કૃત અને ગુજરાતની ભાષાની કેટલીક રચનાઓ પણ જોવા મળે છે. આચાર્ય નેમિસૂરિજીના ગ્રંથ ભંડારમાં આશરે વીસ હજાર જેટલી પ્રાચીન પ્રતો છે. નેમિસૂરિજીએ જૈન દૃષ્ટિએ વિશ્વવિદ્યા (cosmology)નું નિરૂપણ કરતો ‘લોકપ્રકાશ' નામનો ગ્રંથ જૂનાગઢમાં રચેલો. એમના પોતાના હસ્તાક્ષરોવાળી પ્રત અહીં સચવાયેલી છે.
અમદાવાદના હસ્તપ્રત ભંડારો ભો. જે. અધ્યયન-સંશોધન વિધાભવન હસ્તપ્રત સંગ્રહ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નામે ઓળખાતી ગુજરાત વિદ્યાસભાએ એના મૂળ સ્થાપક એલેક્ઝાંડર ફોર્બ્સના સમયથી હસ્તપ્રતોનો સંગ્રહ કરવાનું કાર્ય શરૂ કરેલું. સંસ્થાના ઉત્તરોત્તર વિકાસના પરિણામે ભેટરૂપે પ્રાપ્ત થયેલી અથવા ખરીદેલી હસ્તપ્રતોની સંખ્યા લગભગ ૨૦૦૦ જેટલી થયેલી છે. ૧૯૪૬માં ગુજરાત વિદ્યાસભાનો ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ ભો. જે. વિદ્યાભવનના નામે વિકસ્યો ત્યારથી આ સંસ્થાના મ્યુઝિયમમાં આ હસ્તલિખિત સંગ્રહ સુરક્ષિત છે. હાલ
Jain Education Intemational
૩૩૯
આ મ્યુઝિયમમાં સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, હિંદી, વ્રજ, મરાઠી, બંગાળી, અરબી, ફારસી જેવી ભાષાઓમાં લખાયેલી લગભગ ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો સંગ્રહિત છે. મોટા ભાગની હસ્તપ્રતો કાગળ ઉપર લખાયેલી છે. કેટલીક કાપડ અને તાડપત્ર ઉપર લખાયેલી મળે છે, તાડપત્રીય પ્રતો કન્નડ, તેલુગુ, મલયાલમ જેવી દક્ષિણ ભારતની લિપિઓમાં લખાયેલી છે અને ઈ.સ.ની ૧૫થી ૧૯મી સદી સુધીની છે.
આ હસ્તપ્રતો વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ સાહિત્ય, જૈન સાહિત્ય, ભક્તિ, તંત્ર, કાવ્ય, વ્યાકરણ, કોશ, નાટ્ય, શિલ્પ, અલંકાર, કામશાસ્ત્ર, આયુર્વેદ, જ્યોતિષ, કોશ જેવા વિવિધ વિષયોને લગતી છે.
આ સંગ્રહમાં ૧૮ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં સપ્તશતી, શ્રીમદ્ ભાગવત, કલ્પસૂત્ર, મધુમાલતી કથા જેવી સુંદર ચિત્રોવાળી હસ્તપ્રતોનો સમાવેશ થાય છે.
૧૮મી સદીની ગીત-ગોવિંદની સચિત્ર પ્રતમાં વિષ્ણુના દશાવતારોનાં ચિત્ર અને રાધાકૃષ્ણના મિલન-વિરહના પ્રસંગો ભાવપૂર્ણ રીતે આલેખાયેલા છે. ફારસી લિપિમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો પણ અહીં જળવાયેલી છે. જ્યોતિષને લગતા સળંગ સચિત્ર ઓળિયા (વીંટા-scroll) અને જૈન સૂરિઓ અને
સાધુઓને તેમ જ તેમના સંઘને યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક સચિત્ર વિજ્ઞપ્તિપત્ર (૧૮મી સદીનું) ઉપલબ્ધ છે.
‘બાબીવિલાસ' જેવી ઐતિહાસિક કૃતિઓ, મેદપાટ પુરાણ,કાયસ્થ પદ્ધતિ જેવી જ્ઞાતિવિષયક હસ્તપ્રતો તેમજ મંડપદુર્ગ જેવી સ્થાપત્યની હસ્તપ્રતો પણ અહીં છે.
આમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ કાળી શાહીના લખાણવાળી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org