________________
૩૩૪
ધન્ય ધરા:
ભારતની ચિત્રપરંપરાને જેન ચિત્ર-પરંપરાથી ઓળખવામાં આવે છે. જૈનોએ કળાને એટલું બધું પોષણ આપ્યું કે ઇરાની, મોગલ, પહાડી, રાજસ્થાની શૈલીની જેમ પશ્ચિમ ભારતીય જૈન ચિત્રકલાની પ્રણાલિકા પ્રચલિત થઈ અને ઘણા સ્થાનોમાં પ્રસરી. આ લેખમાળા રજૂ કરનાર શ્રી સાવલિયા સાહેબનો પરિચય.
પ્રા. ડૉ. રામજીભાઈ ઠાકરસીભાઈ સાવલિયા. વતન : કાથરોટા, તા ધારી, જિ. અમરેલી, તા. ૧૧ જાન્યુઆરી, ૧૯૫૯ના રોજ કણબી કુટુંબમાં જન્મ.
બાળપણમાં પ્રાથમિક શિક્ષણ વતન કાથરોટાની પ્રાથમિક શાળામાં ૧૯૬૪થી ૧૯૭૦ સુધી ધોરણ ૧થી ૬, માધ્યમિક શિક્ષણ બગસરા ખાતે પટેલ વિદ્યાર્થી બોર્ડિંગમાં રહી ધોરણ ૭થી ૧0 સુધી (૧૯૭૧થી ૧૯૭૪), સ્વ. ઝવેરચંદ મેઘાણી સ્મારક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૭૫-૭૬માં અમદાવાદ ખાતે પંચશીલ હાઇસ્કૂલ, સરસપુરમાં ધોરણ-૧૧નો અભ્યાસ પૂરો કર્યો.
૧૯૭૬થી ૧૯૮૦ દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિષય સાથે પ્રથમ વર્ગ મેળવી બી. એ. સુધીનો ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ પસાર કરી, ૧૯૮૧-૮૨માં ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન (ભો.જે. વિદ્યાભવન)માંથી મુખ્ય વિષય ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક (એમ. એ.)ની પદવી પ્રથમ વર્ગમાં મેળવી.
૧૯૮૨ (જૂનથી નવે.)માં સંશોધક તરીકે ઉપાસના ટ્રસ્ટ (બેરોનેટ ગ્રુપ) શાહીબાગ, અમદાવાદમાં સાબરમતી પરિક્રમા' પ્રોજેક્ટમાં કામગીરી. ૧ ડિસેમ્બર, ૧૯૮૨થી ૧૫ જુલાઈ, ૧૯૮૪ દરમ્યાન ક્યુરેટર કમ લેક્ઝરર તરીકે વિચાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત યુટેન્સિલ્સ મ્યુઝિયમ (ધાતુપાત્ર સંગ્રહાલય)માં કામગીરી બજાવી.
તા. ૧૬-૭-૧૯૮૪થી ગુજરાત યુનિવર્સિટી માન્ય ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, એચ. કે. કોલેજ કેમ્પસ, આશ્રમરોડ, અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૮૯માં “ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમવિધાન' વિષયમાં મહાનિબંધ તૈયાર કરી વિદ્યાવાચસ્પતિ (પીએચ. ડી.)ની પદવી મેળવી. ૧૯૯૭માં બહદુ ગુજરાત સંસ્કૃત પરિષદમાંથી સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી'ની પદવી મેળવી.
૧૯૯૧માં શોધનિબંધ માટે “ક. ભા. દવે રૌણચંદ્રક આણંદ, ૧૯૯૯માં શૈક્ષણિક કારકિર્દી માટે “સમાજ ગૌરવ પુરસ્કાર', ૨૦૦૧માં સંશોધનકાર્ય માટે “સ્વ. ડૉ. હરિભાઈ ગૌદાની સમાજ ગૌરવ પુરસ્કાર’–સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, ૨૦૦૧માં શિલ્પ-કલામાં શોધકાર્ય માટે રાજસ્થાન-કોટા ખાતે “શ્રીમતી સરયૂ વસંત ગુપ્ત રૌણચંદ્રક' અને ચિત્રકલા ક્ષેત્રના શોધકાર્ય માટે “સમર્પણ સેવા સમિતિ સમ્માન' તથા પીએચ.ડીના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ ૨૦૦૭માં શ્રેષ્ઠ માર્ગદર્શક શિક્ષક તરીકેનું સન્માન.
૧૯૯૬થી ગુજરાત યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષયમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અધ્યાપક તરીકે માન્યતા મળી. હાલ બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૯૮થી આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અને બૌદ્ધદર્શન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. અને પીએચ.ડી.ના માન્ય માર્ગદર્શક તરીકેની માન્યતા. ૧૯૯૮૨૦૦૩ દરમ્યાન બૌદ્ધદર્શન વિભાગમાં ૭ અને જૈનવિદ્યામાં ૪ વિદ્યાર્થીઓએ એમ.ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો,
જ્યારે ૨૦૦૧થી ૨૦૦૮ સુધીમાં બૌદ્ધ અને જૈનવિદ્યા અને દર્શનમાં ૭ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ પદવી મેળવી છે. ગુજરાત યુનિવર્સિટીના ફોરેન સેન્ટરમાં ૧૯૯૫થી ગાઇડ ટીચર તરીકેની
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org