________________
૩૩૨
ધન્ય ધરાઃ
શીલેં દેવ દેવી વસિ થઈ, શીલે યશ વિસ્તાર રે, શીલેં દુષ્ટ જરા નાર્વે પાસિં, શીલેં શિવપુર સાર રે......
(એ જ, પા. ૨૫) અમદાવાદની શામળાની પોળના શ્રીમાળી વણિકને ત્યાં પુત્રજન્મ થયો. જન્મ વર્ષ હતું સંવત ૧૯૭૨ અને સંસારી નામ પાનાચંદ હતું. સંવત ૧૮૦૫માં તેમણે મુનિ ઉત્તમવિજયજી પાસે દીક્ષા લીધી. ધર્મબોધ સાથે તેમણે કાવ્યઅલંકાર, શબ્દશાસ્ત્ર જોવાનો પણ અભ્યાસ કર્યો હતો. અનેક સ્થળે વિહાર કરતાં કરતાં તેમણે અનેક પદ્યરચનાઓ કરી છે : “અષ્ટપ્રકારી પૂજા', ‘નેમિનાથ રાસ’, ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ', “મહાવીર સ્તવન', ‘પંચકલ્યાણક મહોત્સવ સ્તવન', “સમરાદિત્ય કેવલીનો રાસ', સિદ્ધાચલ નવાણુ યાત્રા પૂજા’, ‘જયાનંદ કેવળી રાસ', ‘સમકિત પચીસી સ્તવન', “ચોમાસીના દેવવંદન’, ‘વીરવિજય સ્તવન', ‘સિદ્ધચક્ર સ્તવન', “સ્તવનાવલિ' જેવી પદ્યરચનાઓની હસ્તપ્રતો મળી આવી છે. ઉપરાંત, તેમણે ગદ્યગ્રંથો પણ રચ્યા છે. પદ્યવિજયજીની અનેક રચનાઓમાંથી થોડીક રચનાઓનાં જ નામ અહીં આપ્યાં છે. સંવત ૧૮૩૭માં તેમણે “પંચકલ્યાણક મહોત્સવ સ્તવન' રચ્યું અને સંવત ૧૮૩૮માં “નવપદ પૂજા'ની પદ્યરચનામાં તેમણે લખ્યું છે (એ જ, પા. ૫૪) :
શ્રુતદાયક શ્રુતદેવતા, વંદું જિન ચોવીસ ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીસ.......
તો, સંવત ૧૮૫૮માં તેમણે લખેલા “જયાનંદ કેવળી રાસ'ની રસાળ ભાષા જોશો. પ્રથમ પ્રથમ પ્રણામું પ્રભુ, સોહે અંસે જાય, કુંતલ કનક કલસ સિરે, નીલકમલ મનુ વાસ.૧ સિદ્ધારથસુત તિવિહ ચું, વંદુ તિવિહા વીર, જનક સિદ્ધારથ દુવિહ જિન, ધરણીધર થઈ ધીર.૨
(એ જ, પા. ૬૨) વીસમી સદી–વિક્રમ સંવતની એ સદીએ ઘણાં પરિવર્તનો જોયાં. અહીં, આ લખાણની મર્યાદામાં, વિદેશીઓએ આપણા દેશમાં આપણી જ ભાષાઓ અને બોલીઓ વિશે અને તેમાં રચાયેલાં સાહિત્ય વિશે જે કંઈ સંશોધન કર્યું છે એ વિદેશી વિદ્વાનો વિશે અને તેમનાં લખાણો વિશે, લખવાને અવકાશ નથી. કેવળ જર્મન વિદ્વાનો પર જ બે ભાગમાં “German. Scholars on India'નામનું પ્રકાશન થયું છે. મેક્સ મ્યુલર
(Max Muller-૧૮૨૭–૧૯૦૦)નામના જર્મનીમાં ભાષાશાસ્ત્રી થઈ ગયા. ૧૮૭૯થી “Sacred Books the East' નામના પચાસ ભાગમાં પ્રકાશનનું સંપાદન શરૂ કર્યું હતું. તેઓ, કદી આપણા દેશમાં આવ્યા નથી. તો, આપણા દેશમાં જ્યોર્જ ગ્રિઅર્સન નામના અંગ્રેજ વહીવટકર્તા અને ભાષાશાસ્ત્રી આવી ગયા. ગ્રિઅર્સને (George Grierson : ૧૮૫૧૧૯૪૧) નિવૃત્તિ પછી ભારતની ભાષાઓ અને બોલીઓના પ્રકાશનનું ભગીરથ કામ હાથ પર લીધું. ૧૯૦૩માં તેમણે હાથમાં લીધેલું કામ છેક ૧૯૨૮માં પૂરું થયું. તેમનું પ્રકાશન The Linguistic Survey of India'ના અગિયાર ભાગ છે અને કુલ સત્તર ગ્રંથોમાં આ વિશાળ પ્રકાશન થયું છે.
પર્સી બ્રાઉન (૧૮૭૫–૧૯૫૫), જેમ્સ બકિંગહામ (૧૭૮૬-૧૮૫૫), યોહાન બુહલર (૧૮૩૭-૧૮૯૮), જેમ્સ બર્જેસ (૧૯૩૨–?), આર્થર બર્નેલ (૧૮૪૦-૧૮૮૨), વિલિયમ કેરી (૧૭૬૧-૧૮૩૪), હેન્રી કોલબૂક (૧૭૬૫૧૮૩૭), એલેકઝાંડર કનિંગહામ (૧૮૧૪-૧૮૯૩), હેનરી એલિયટ (૧૮૦૮-૧૮૫૩), જેમ્સ ફર્ગ્યુસન (૧૮૦૮૧૮૮૩), ડગ્લાસ ગોર્ડન (૧૮૯૫-૧૯૬૧), અર્નેસ્ટ હેવેલ (૧૮૬૧-૧૯૩૪), ઑગસ્ટ હર્નલ (૧૮૪૧-૧૯૧૮), યુજેન હલ્ટશ (૧૮૫૭–૧૯૨૭), વિલિયમ જોન્સ (૧૭૪૬૧૭૯૪), ચાર્લ્સ વિલ્કિન્સ (૧૭૪૯-૧૮૩૬), મોરિસ વિન્ટરનિલ્સ (૧૮૬૩-૧૯૩૭)-કેટલાં નામ યાદ કરવાં? આપણા દેશથી બધી જ બાબતોથી અપરિચિત હોય, તમામ અગવડોને વેઠીને પણ આપણા દેશની ભાષાઓ, બોલીઓ, સાહિત્ય, સ્થાપત્ય જેવાંનો અભ્યાસ કરનારા વિદ્વાનો વિદેશથી આવ્યા. અહીં દાયકાઓ સુધી કેટલાક રહ્યા અને કામ કર્યું. ફ્રાન્સની સોબોર્ન યુનિવર્સિટીનાં પ્રાકૃત ભાષા અને જૈનદર્શનનાં વિદૂષી–અભ્યાસી પ્રોફેસર કૈયા અમારે ઘેર આવતાં, ગુજરાતના જ્ઞાનભંડારોમાં જતાં એ અમને યાદ છે.
ભાષા એ તો વિચારો, મનની અનુભૂતિ-સંવેદનાને વ્યક્ત કરવાનું માધ્યમ છે. ત્યારે, સમાજને જેવી અનુભૂતિ થાય, જેવા સંજોગો સાંપડે–તેનાથી, એ સમાજની ભાષા-બોલી આકાર ધારણ કરે છે. તેથી, તેનું સ્વરૂપ બદલાતું રહે છે અને અહીં વિક્રમના વીસમા શતકની એક રચનાથી અમારું લખાણ પૂરું કરીશું. જોકે, એ રચનાના રચયિતા અને કયા શતકમાં એની રચના થઈ તેની માહિતી મળતી નથી. એટલું જ કે એ રચના
અનુત્તરોપપાતિકદશા બાલાવબોધ', આ સદીમાં મળી છે અને તેની શરૂઆત આ રીતે થાય છે (એ જ, પા. ૪૩૨) :
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only