________________
શાશ્વત સૌરભ ભાગ-૧
વિક્રમ સંવત ૧૨૪૧માં સોમપ્રભસૂરિએ ‘કુમારપાળ પ્રતિબોધ'ની રચના કરી હતી. વિ.સં. ૧૨૩૦માં કુમારપાળનું મૃત્યુ થયું હતું. સોમપ્રભસૂરિએ કરેલી રચનાનું એક ઉદાહરણ
જોઈએ
વિષ્ણુ ધમ્મહ [ન રક્ષઈ] મરણુ
વિષ્ણુ ધમ્મહ અન્તુ ન અત્યિ સરણુ (એ જ, પા. ૧૪૫)
અર્થ સરંળ છે. ‘વિષ્ણુ’ એટલે વિના અને ધમ્મહ' એટલે ધર્મ. મૃત્યુને ધર્મ સિવાય કોઈ રોકી શકતું નથી અને ધર્મ સિવાય અન્ય કોઈ શરણું નથી. તેરમી સદીના આ ઉદાહરણને આજે પણ સારી રીતે સમજી શકાય છે. એકલકે ધર્માિણ લહઈ મુક્ષુ' (એ જ, પા. ૧૪૫). અર્થાત્ કેવળ ધર્મથી જ મોક્ષ મળે છે. વિક્રમ સંવત ૧૨૦૦ના શતક દરમિયાન, એ સમયથી જે કંઈ જૂની-હિન્દી અને જૂની ગુજરાતી અથવા ગુર્જર-મારવાડી ભાષા હશે તેમાં સુભાષિતો પણ લખાતાં હતાં. જોકે, પદ્યની પેઠે સુભાષિતો સર્વકાલીન રચનાઓ છે. જેમકે, ‘અંબડસ્થાનક', ‘સૂક્તાવલી’, ‘સિદ્ધચક્રમહિમસૂક્ત' વગેરે (એજ, પા. ૧૭૭– ૧૮૦). જીવનના સારરૂપ સુભાષિતો સજીવનવ્યવહારનો બોધ આપતા હોય છે તે સાથે પ્રવર્તમાન સામાજિક સ્થિતિ વિશે પણ ટૂંકમાં વર્ણન અને સાર આપતા રહે છે.
વિક્રમ સંવતની બારમી સદીમાં મુનિસુરિ થઈ ગયા. તેમણે તેમના લખાણ ગુરુસ્તુતિમાં અંત ભાગમાં લખતાં બોધ આપતાં કહ્યું છે
દૂસમ રણિહિં સૂર જિમ્ન તુહ ઉટ્ટિઉ મુણિનાહ, સિરિ મુણિચંદ મુણિંદપર મહુ ફેડઈ કુગ્ગાહ. (એ જ, ભાગ ૧, પા-૨)
અર્થ સરળ છે. દૂસમ એટલે દૂઃખમ, રયણિહિ એટલે રાત્રિ, મુણુનાહ એટલે મુણિનાથ, મુણિંદ એટલે મુનીન્દ્ર અને ફુગ્ગાહ એટલે કુગ્રાહ. જે ગ્રાહ્ય નથી તે. મુખેથી બોલાતી ભાષા કાન સુધી પહોંચે અને કાને સાંભળેલી ભાષા અન્ય કાન સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણાં પરિવર્તનો થઈ જાય છે. વળી, સ્થાનિક વાકવ્યવહારનાં લક્ષણો પણ બોલાતી અને લખાતી ભાષામાં પ્રવેશે છે. વિક્રમની તેરમી સદીમાં વજસેમસૂરિના પટ્ટશિષ્ય શાલિભદ્રસૂરિ થઈ ગયા. તેમણે ‘ભરતેશ્વર બાહુબલિ રાસ', બુદ્ધિ રાસ' (અથવા ‘હિતશિક્ષા પ્રબુદ્ધ રાસ') જેવી કૃતિઓની રચના કરી હતી. બીજી કૃતિના અંતભાગમાં તેઆ લખે છે.
Jain Education International
૩૨૩
સાલિભદ્ર ગુરુ સાંભલઈ, એ વિ ગુરુ ઉપદેસ તુ, પઢઈ ગુણઈ જે સાંભલીય, એ વિ ગુરુ ઉપદેસ તુ
(એ જ, ભાગ ૧, પ્રા. ૫)
અર્થાત્, શાલિભદ્રના ગુરુના ઉપદેશનું તું પાલન કરીશ, તેમાં આપેલા જે ગુણનું તું પઠન કરીશ તેનાથી તારા સર્વ કલેષો દૂર થશે. સમય વહેતો જાય છે, સંજોગો બદલાતા જાય છે, માનવવ્યવહારો પણ બદલાતા જાય છે, તો ભાષા કેમ બદલાય નહીં?
શાંતિસૂરિના શ્રાવક-શિષ્ય આસગુ થઈ ગયા. તેમણે ‘જીવદયા રાસુ’ વિક્રમ સંવત ૧૨૫૭ના આસો સુદ સાતમે પૂરો કર્યો. એ ગ્રંથનું લખાણ પૂરું કરતાં તેઓ લખે છે,
સંવતુ બારહસય સત્તાવન્નઈ, વિક્રમ કાલિ ગયઇ પંડિપુનઈ, આસોયરૂં સિય સત્તમિહિં હત્થોહત્યિ જિણ નિપ્પાય ઉ....... (એ જ, પા. ૯)
તેરમી સદીના આ લખાણને ઉકેલવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી. લગભગ ઓગણીસમી સદી સુધી ગુજરાતી લખાણ દેવનાગરી લિપિથી લખાતું. અહીં, મૂળ લખાણને માથું બાંધ્યા વિના આપ્યું છે.
આજના રાજસ્થાનના અર્બુદગિરિ (આબુ) વિસ્તારમાં વસ્તુપાલ–તેજપાલ ભાઈઓએ જિનદેરાસરો બંધાવ્યાં છે. વસ્તુપાલ મહામાત્ય હતા. તેમણે ગિરનાર પર્વત પર પણ અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે, પદ્યના અનેક પ્રકારોમાંનો એક પ્રકાર મહાકાવ્ય પણ પ્રચલિત હતો. સામાન્યપણે, ‘મહાભારત' અને ‘રામાયણ'ને જ એ કોટિમાં મૂકવામાં આવે છે. જો ખંડકાવ્ય કોઈક એક ઘટનાના સંદર્ભમાં રચાતું હોય તો મહાકાવ્યમાં અનેક આડકથાઓ આવી જઈ તે એક મહાનદીનું સ્વરૂપ ધારણ કરે છે. હિરભદ્રસૂરિના શિષ્ય વિજયસેનસૂરિએ કરેલી ઘણી બધી કાવ્યબદ્ધ રચનાઓમાં ચા કડવાંમાં રચાયેલો ‘રૈવંતિંગિર રાસો’ જાણીતો છે. એ રાસોના આરંભમાં તેમણે જે કડીઓ લખી છે તેનો અર્થ કરવો અઘરો નથી. (એ જ, પા. ૯)
પરમેસર તિસ્થેસરહ પથપંક્ચ પણમેવિ, ણિસુ રાસુ રેવંતિગિર અંબિકાદેવી સુમરેવિ
જૂની ગુજરાતીમાં પ્રકરણને સંધિ કહેવામાં આવતું હતું. એ સમયે પ્રાસાનુબદ્ધ છંદમાં અને ઘણાં બધાં ગીતો કે
For Private & Personal Use Only
www.jainelibrary.org